ETV Bharat / city

સુરેન્દ્રનગરના કૌભાંડી પૂર્વ IAS કે.રાજેશના રિમાન્ડ મંજૂર થયા

author img

By

Published : Jul 14, 2022, 11:03 PM IST

સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર(Former Collector of Surendranagar) ઘણા બધા કૌભાંડમાં કે. રાજેશનું નામ સામે આવ્યું છે. આ બદલ આજે કે. રાજેશ સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. દસ દિવસના રિમાન્ડ CBI દ્વારા માગ્યા હતા, પરંતું આજે સરકારી વકીલની રજૂઆત(Representation of the public prosecutor) છતા કોર્ટે આ નિર્ણય લીધો.

સુરેન્દ્રનગરના કૌભાંડી પૂર્વ IAS કે.રાજેશના રિમાન્ડ મંજૂર થયા
સુરેન્દ્રનગરના કૌભાંડી પૂર્વ IAS કે.રાજેશના રિમાન્ડ મંજૂર થયા

અમદાવાદ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર(Former Collector of Surendranagar) કે રાજેશની લાંચ અને ખોટી રીતે લાભ કરાવવાના મામલે CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. CBI દ્વારા IAS અધિકારી કે. રાજેશના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ દરોડા(CBI raid IAS officer house) પાડયા હતા અને તપાસ હાથ ધરી હતી.

CBI દ્વારા કે રાજેશ ની ધરપકડ કર્યા બાદ આજે કે રાજેશ સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આજે કે. રાજેશ સેશન કોર્ટમાં રજૂ કરાયા - CBI દ્વારા કે. રાજેશની ધરપકડ કર્યા બાદ આજે કે. રાજેશ સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સરકારી વકીલની રજૂઆત(Representation of the public prosecutor) હતી કે. રાજેશ અનેક લોકોએ ફરિયાદ કરી છે. એ સમગ્ર તપાસ માટે થઈને તેના રિમાન્ડ માગવામાં આવી રહ્યા છે. કારણ કે ઘણા બધા કોભાંડમાં કે. રાજેશનું નામ સામે આવ્યું છે. જેથી લઈને રિમાન્ડ આપવામાં આવે એવી સરકારી વકીલની રજૂઆત હતી. દસ દિવસના રિમાન્ડ CBI દ્વારા માંગવામાં( Ex IAS officer Remand approved) આવ્યા હતા.

આ પણ વાંચો: ACB detained Central government employees: ACBના સકંજામાં સેન્ટ્રલ જીએસટીના બે અધિકારી ઝડપાયા

બચાવ પક્ષના વકીલ તરફથી રજૂઆત - જ્યારે કે રાજેશના એટલે કે બચાવ પક્ષના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, બે દિવસ સુધી CBI દ્વારા કે રાજેશ ની પૂછપરછ કરવામાં આવી છે. કે. રાજેશ જ્યારે સરકારી કામથી બેંગ્લોર ગયા હતા. બીજા દિવસે તરત પણ તેઓ પાછા આવી ગયા હતા. તેમણે સંપૂર્ણપણે આ કેસમાં સહકાર આપ્યો છે. જોકે આ કેસમાં કોઈ પણ સરખી રીતે તપાસ પણ કરવામાં આવી નથી. કઈ રીતે વધારે રિમાન્ડની માગણી કરી શકાય.

રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા - મહત્વનું છે કે કે રાજેશે પણ કોર્ટમાં પોતાના તરફથી રજૂઆત કરી હતી. એ રજૂઆતમાં જણાવ્યું હતું કે, હું બેંગ્લોર હતો ત્યારે મને નોટિસ મળી હતી. હું તરત જ અમદાવાદ પાછો આવી ગયો હતો. છેલ્લા બે દિવસમાં મને 35થી વધુ સવાલ કરવામાં આવ્યા છે. જેના મેં બધા જ સવાલોના શાંતિથી જવાબ આપ્યા છે. એક પણ સવાલ એવો નથી કે જેના જવાબની વ્યવસ્થિત રીતે ના આપ્યા હોય એવા કયા કારણો છે કે જેના જવાબ મેં આપ્યા નથી. અને મારું કરિયરને પૂરું કરવામાં આવી રહ્યું છે. મને જે પણ નિયમો ખબર છે. તે મુજબ જ હું કાર્ય કરી રહ્યો છું. તેથી મારી કોર્ટને નમ્ર વકીલ છે કે આ અરજીને માન્ય રાખવામાં ન આવે. જોકે આ સમગ્ર સુનાવણી બાદ કે. રાજેશના સોમવાર સુધીના ત્રણ વાગ્યાના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

શું છે સમગ્ર મામલો - સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર અને હાલ સામાન્ય વહીવટ વિભાગના(General Administration Department) સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવતા કે. રાજેશ ઉપર અનેક પ્રકારના લાંચ રૂશ્વત વિરોધી ફરિયાદ દાખલ થતાં CBIને દરોડા પાડીને તેની ધરપકડ કરી છે.

ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદો - કે. રાજેશના સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરના કાર્યકાલ દરમિયાન તેમણે અનેક રીતે ભ્રષ્ટાચાર આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. અનેક ફરિયાદો પણ તેમના વિરુદ્ધ થઈ હતી. મળતી માહિતી પ્રમાણે કલેકટરના કાર્યકાળ દરમિયાન જમીનની ફાઈલ ક્લિયર કરવાના અને હથિયારના લાયસન્સ આપવાની(Issue a Firearms License) મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદ હતી. આ તમામ થયેલી ફરિયાદો ઉપર પ્રાથમિક તપાસ કર્યા બાદ દિલ્હી યુનિટમાં તેમના વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. તેના આધારે દિલ્હીની ટીમ ગઈકાલે ગાંધીનગર પહોંચતા CBI દ્વારા એક સામટા દરોડા પાડવાના શરૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: લાંચિયો PSI : દારૂનો કેસ ન કરવા માગી લાંચ, તો કોણે ઝડપી લીધો જૂઓ

બીજા કેટલાક પ્રકરણ પર પણ તપાસ હાથ ધરી છે - છેમૂળ આંધ્ર પ્રદેશના વતની એવા કે. રાજેશને, જમીન સોદા હથિયાર, લાયસન્સના લાંચ લેવાના પ્રકરણમાં અન્ય બીજા કેટલાક પ્રકરણ પર તપાસ હાથ ધરી રહી છે. અનેક પ્રકરણમાં થયેલી વિવિધ ફરિયાદના આધારે છેલ્લા ત્રણથી ચાર મહિનાથી CBIની ટીમ અલગ અલગ જગ્યાએ અરજદારોના નિવેદન લઈને તપાસ કરી રહી છે. અરજદારો દ્વારા કરવામાં આવેલી અલગ અલગ ફરિયાદના આધારે, જે લોકોએ ફરિયાદ દાખલ કરી હતી. તેમના પણ નિવેદનો લેવામાં આવ્યા હતા. લાંચરુશવત ઉપરાંત બીજા અન્ય એક પ્રકરણમાં CBIની તપાસમાં બામણબોરમાં 2000 કરોડની જમીન કૌભાંડનો(Land scam in Bamanbor) રેલો પણ કે. રાજેશ સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.