ETV Bharat / city

આ વર્ષે ગલીએ ગલીએ થશે દૂંદાળા દેવના દર્શન, મૂર્તિ ખરીદવા લોકોની પડાપડી

author img

By

Published : Aug 27, 2022, 10:43 AM IST

Updated : Aug 27, 2022, 12:40 PM IST

આ વર્ષે ગલીએ ગલીએ થશે દૂંદાળા દેવના દર્શન, મૂર્તિ ખરીદવા લોકોની પડાપડી
આ વર્ષે ગલીએ ગલીએ થશે દૂંદાળા દેવના દર્શન, મૂર્તિ ખરીદવા લોકોની પડાપડી

અમદાવાદમાં ગુલબાઈ ટેકરા ખાતે ગણેશજીની મૂર્તિ લેવા માટે દૂરદૂરથી લોકો આવે છે. હવે ગણેશોત્સવ જેમ જેમ નજીક આવી રહ્યો છે. તેમ તેમ અહીં મૂર્તિની ખરીદી કરવા આવતા લોકોની ભીડ વધતી જાય છે. મૂર્તિના સારા વેચાણના કારણે વેપારીઓમાં પણ આ વખતે ખુશી જોવા મળી રહી છે. ganesh festival 2022 August.

અમદાવાદ ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દૂંદાળા દેવ એવા ગણેશજીને આવકારવા લોકો આતુરતાથી રાહ જોઈ (ganesh festival 2022 news) રહ્યા છે. બજારમાં પણ ગણેશજીની મૂર્તિઓ ખરીદવા માટે લોકોની ભીડ જામી રહી છે. આ જ સ્થિતિ જોવા મળી રહી છે ગુલબાઈ ટેકરામાં (gulbai tekra ahmedabad). અહીં તૈયાર થતી ગણેશજીની મૂર્તિને ખરીદવા (ganesh chaturthi 2022 august) માટે દૂરદૂરથી લોકો આવી રહ્યા છે. તો અહીં ગણેશજીની મૂર્તિ પર શણગાર સહિતની કામગીરી કરી આખરી ઓપ (ganesh idol making) આપવામાં આવી રહ્યો છે.

મૂર્તિકારોમાં ખુશી

મૂર્તિકારોમાં ખુશી આખરે 2 વર્ષ પછી સરકારે 15 ફૂટ જેટલી મૂર્તિની મંજૂરી આપતાં મૂર્તિકારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ગુલબાઈ ટેકરામાં (gulbai tekra ahmedabad) પણ મૂર્તિકારો મોટી સંખ્યામાં મૂર્તિનું (ganesh idol making) વેચાણ કરી રહ્યા છે. ત્યારે આ વખતે મૂર્તિની માગ પણ વધુ છે.

વધુ માગ ઊભી થવાની આશા મૂર્તિકાર વાલજીભાઈ ભાટીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાના કારણે (covid pandemic news) ગણપતિની મૂર્તિની ખરીદી ઓછી જોવા મળી હતી, પણ આ વર્ષે ગણપતિ મૂર્તિ ઉચાઈને લઈને સરકારે છૂટછાટ આપી છે. આના કારણે વેપારી વર્ગ પણ મોટી મૂર્તિ (ganesh idol making) બનાવી રહ્યો છે. વેપારીઓ માની રહ્યા છે કે, કોરોના મહામારીના કારણે માગ ખૂબ ઓછી જોવા મળી હતી, પણ આ વર્ષે માગ વધારે થાય તેવી આશા છે.

અન્ય રાજ્યમાંથી ખરીદી કરવામાં આવે છે
અન્ય રાજ્યમાંથી ખરીદી કરવામાં આવે છે

અન્ય રાજ્યમાંથી ખરીદી કરવામાં આવે છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગણપતિજી મૂર્તિ ખરીદવામાં માત્ર અમદાવાદ જ નહીં, પણ વડોદરા, સુરત,રાજકોટ,ભાવનગર, જામનગર, અમરેલી સાથે અન્ય રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ, કર્ણાટક સહિત લોકો અમદાવાદના ગુલાબાઈ ટેકરા ખાતે ખરીદી કરવા (gulbai tekra ahmedabad) આવી રહ્યા છે.

આ પણ વાંચો 1939થી આ પરિવાર બનાવે છે ગણેશજીની મૂર્તિ, છતાં પણ નથી બદલાયા ભગવાનના સ્વરુપો

સરકારે આપી 15 ફૂટ સુધીની મંજૂરી ગુજરાત સરકારે પહેલા મર્યાદિત ઉંચાઈ સુધીની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ કોરોના મહામારી (covid pandemic news)બાદ ગુજરાત સરકારે 15 ફૂટ જેટલી મૂર્તિ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. તેમ છતાં તેઓ 11 ફૂટ સુધી મૂર્તિ બનાવી રહ્યા છીએ. જ્યારે કોઈ ગ્રાહક 15 ફૂટની મૂર્તિનો ઓર્ડર આપે તો તે પ્રમાણે મૂર્તિ બનાવવામાં આવે છે.

POP મૂર્તિની માગ વધારે ગુજરાત સરકાર દ્વારા માટી મૂર્તિ ખરીદી કરવામાં ભાર મુકવામાં આવી રહ્યો છે, પરંતુ બજાર હાલના સમયમાં પણ POP (પ્લાસ્ટર ઑફ પેરિસ) મૂર્તિ બનાવવામાં આવી રહી છે અને લોકો પણ POPની મૂર્તિની માગ કરી રહ્યા છે. આથી ગામડે આવતા લોકો માટીની મૂર્તિ રોડ પર ખાડા હોવાની કારણે મૂર્તિ ખંડિત થઈ જાય તેવો ભય હોય છે. આના કારણે POP મૂર્તિ તેમની પહેલી પસંદ બની છે.

આ પણ વાંચો ગૌ માતાના ગોબરમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી ગણેશજી, વડોદરામાં જમાવ્યું આકર્ષણ

11 ફૂટની મૂર્તિ બનાવતા 6 માસથી વધારે સમયગાળો પહેલા સમયમાં ગણપતિની માટીની મૂર્તિ હાથ (ganesh festival 2022 news) બનાવવામાં આવતી હતી, પરંતુ આજના આધુનિક સમયમાં અને પ્રકારના સાધનો ઉપલબ્ધ હોવાથી તેના પર મૂર્તિ બનાવવામાં આવી રહી છે, પરંતુ જે મોટી મૂર્તિ એટલે કે વિશાળ 11 ફૂટની મૂર્તિ બનાવતા અમારે અંદાજિત 6 મહિના જેટલો સમય લાગે છે. એટલે અમે તે મૂર્તિ એક ડેમો માટે બનાવતા હોય છે. આ મૂર્તિ બનવાનું કામ ગણેશ ચતુર્થી (ganesh chaturthi 2022 august) પૂર્ણ થયા બાદ 1 મહિના પછી આવતા વર્ષે મૂર્તિ બનાવવાની કામગીરી શરૂઆત કરવામાં આવે છે.

Last Updated :Aug 27, 2022, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.