ETV Bharat / city

ગૌ માતાના ગોબરમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી ગણેશજી, વડોદરામાં જમાવ્યું આકર્ષણ

author img

By

Published : Aug 26, 2022, 4:46 PM IST

ગૌ માતાના ગોબરમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી ગણેશજી, વડોદરામાં જમાવ્યું આકર્ષણ
ગૌ માતાના ગોબરમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી ગણેશજી, વડોદરામાં જમાવ્યું આકર્ષણ

ગણેશ ચતુર્થી ઓગસ્ટ 2022 નજીક છે. ત્યારે ગણેશભક્તો ગણેશ પ્રતિમા માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પણ શોધી રહ્યાં છે. જેને લઇનેવડોદરામાં ઇકો ફ્રેન્ડલી ગાયના છાણની ગણેશ મૂર્તિ જોવા મળી રહી છે. Ganesh chaturthi aug 2022 Eco Friendly Cow Dung Ganesha Idol in Vadodara

વડોદરા વડોદરા શહેર એ ઉત્સવ પ્રિય નગરી છે. ત્યારે હવે ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે બજારમાં વિવિધ પ્રકારની ગણેશજીની પ્રતિમાઓ જોવા મળી રહી છે. ત્યારે હાલમાં ખૂબ ધામધૂમથી ગણેશ ચતુર્થીના પાવન પર્વે ભાવી ભક્તો ક્યાંક માટીની તો ક્યાંક પીઓપીની મૂર્તિની ધૂમ ખરીદી કરી રહ્યા છે. ત્યારે ગાયના ગોબરમાંથી બનાવેલ ગણેશજીની મૂર્તિઓએ પણ આકર્ષણ જમાવ્યું છે.

ગણેશભક્તો ગણેશ પ્રતિમા માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પણ શોધી રહ્યાં છે

ગૌ માતાના ગોબરમાંથી બનતી મૂર્તિ કાઉ પ્રોડક્ટ એસોસિએશનના ટ્રસ્ટી દ્વારા નિર્માણ કરવામાં આવેલ ગણેશજી ખુબજ સુંદર અને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં આવ્યા છે. સાથે જ ગૌ માતાના પંચકબીથી બનાવવામાં આવેલ ગણેશજીની મૂર્તિ જેમાં ગાયમતાનું ગોબર, ગૌમુત્ર ,દૂધ ,દહીં,ઘીના મિશ્રણથી બનાવેલ ગણેશજી ખૂબજ સુંદર બનાવવામાં આવ્યા છે.

ગોબરમાંથી બનાવેલ મૂર્તિની વિશેષતા કાઉ પ્રોડક્ટ એસોસિએશનના ટ્રસ્ટી મૂમૂકેશભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું કે ગૌ માતાના ગોબરમાંથી બનાવવામાં આવેલી ભગવાન ગણેશજીની મૂર્તિ 6 ઇંચ થી લઈ 3 ફૂટ સુધીની બનાવવામાં આવી છે. આ પ્રકારના ગણેશજીને વિસર્જન માટે બહાર જવાની જરૂર રહેતી નથી. ઘરમાંજ આ મૂર્તિનું વિસર્જન કરી શકાય છે સાથે પર્યાવરને અનુકૂળ ગૌ માતાના ગોબરની મૂર્તિ ઘરમાં રહેલ ફૂલછોડના ગમલામાં મુકવાથી નેચરલ ખાતર પણ થઈ જાય છે. મૂર્તિમાં રહેલ વિવિધ બીજ દ્વારા આવનાર સમયમાં ફળની પ્રાપ્તિ થાય છે એટલે ચોક્કસથી પર્યાવરણ અને ગૌ માતાનું પણ જતન થાય છે.

આ પણ વાંચો હવે પંચામૃતમાંથી બનશે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ

ગૌ માતાના ગોબરમાંથી વિવિધ વૈદિક વસ્તુ બનાવી ભારતીય સંસ્કૃતિ અને પર્યાવરણના જતન માટે અનેક ચીજવસ્તુઓ જેમ તહેવાર આવે છે તેમ કાઉ પ્રોડક્ટ એસોસિએેશન દ્વારા બનાવવામાં આવી રહી છે. હાલમાં ગણેશ ચતુર્થીના પાવન પર્વે ગૌ માતાના પંચતત્વોમાંથી ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. ત્યારે દિવાળીમાં દીપ ,રક્ષાબંધનમાં રાખડી ,શ્રાવણ માસમાં શિવલિંગ સહિત અનેક પ્રકારની ચીજ વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. જે સંપૂર્ણ ગૌ માતાના ગોબરમાંથી બનાવી પર્યાવરણ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પણ વાંચો આ વર્ષે બનશે થીમ આધારિત ગણેશજીની મૂર્તિઓ

વિદેશમાંથી પણ ઓર્ડર વડાપ્રધાન મોદીની સ્વદેશી અપનાવો મુહિમમાં ખૂબ જ સહયોગ મળી રહ્યો છે અને હાલમાં વિદેશમાંથી પણ ઓર્ડર આવી રહ્યા છે અને આવનાર સમયમાં વિદેશમાં પણ આ પ્રોડક્ટની Eco Friendly Cow Dung Ganpati Idols In Gujarat ડિમાન્ડ વધી જશે તેવું મૂકેશભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું. Ganesh chaturthi aug 2022 , Eco Friendly Cow Dung Ganesha Idol in Vadodara , Cow Product Association

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.