ETV Bharat / city

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, જાહેરમાં ઘાસચારો વેચનારની ધરપકડ સહિતના આદેશો છૂટ્યાં

author img

By

Published : Aug 26, 2022, 5:36 PM IST

રખડતાં ઢોર પકડવા મુદ્દે હાઈકોર્ટના કડક વલણને લઇને કાર્યવાહીની શરુઆત થતી જોવા મળી રહી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું કે હવે રખડતી ગાયોને પકડવામાં પોલીસ પણ મદદ કરશે. Order of Ahmedabad Police Commissioner to arrest fodder sellers , Ahmedabad Police Commissioner Sanjay Shrivastav

અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, જાહેરમાં ઘાસચારો વેચનારની ધરપકડ સહિતના આદેશો છૂટ્યાં
અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, જાહેરમાં ઘાસચારો વેચનારની ધરપકડ સહિતના આદેશો છૂટ્યાં

અમદાવાદ રાજયમાં રોડ ઉપર રખડતી ગાયોના મુદ્દે હાઈકોર્ટે કડક વલણ અપનાવતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ઘાસચારો વેચનારા લોકો સામે કેસ કરવા માટે તાકીદ કરી હતી. આ ઉપરાંત રખડતી ગાયોને પકકડવામાં મદદ કરવાની પણ જવાબદારી સોંપી છે. જ્યારે એસીપીને ફિલ્ડમાં હાજર રહીને વધુમાં વધુ કાર્યવાહી કરાવવા સૂચના આપી છે.

ડીસીપીને સુપરવિઝન કરવા આદેશ કરાયો જો કોઈ પીઆઈ ગાયો પકડવાની કામગીરીમાં જરા પણ નિષ્કાળજી રાખશે તો તેની સામે ગંભીર પ્રકારના શિક્ષણાત્મક પગલાં લેવાશે. કરેલા આદેશમાં જણાવાયા મુજબ જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઝુંબેશ ચાલુ થશે. જેમાં જાહેરમાં ઘાસચારો વેચનાર સામે જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવા સૂચના આપી છે. જ્યારે ડીસીપીને સુપરવિઝન કરવા આદેશ કરાયો છે.

આ પણ વાંચો રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને આપ્યો આદેશ, યુદ્ધના ધોરણે પગલા લેવા જણાવ્યું

ઢોર પકડવાની ટીમ અમદાવાદ કોર્પોરેશન પાસે રખડતાં ઢોર પકડવા 100 પોલીસ SRP જવાનનો કાફલો છે. કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં એક ડીવાયએસપી સહિત 100 જેટલા પોલીસ અને એસઆરપીના જવાનો કાફલો છે. જેમનું મુખ્ય કામ રોડ ઢોર પકડવાનું છે.

આ પણ વાંચો વડોદરામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર મહિલાઓ દ્વારા કરાયો હુમલો

જાહેરમાં ઘાસચારો વેચનારની ધરપકડ થશે અમદાવાદ પોલીસ કમિશનરે ઘાસચારો વેચનારા લોકોને પકડવાનો આદેશ જારી કર્યો હતો. આ આદેશથી કેટલાક પીઆઈ એસીપી અને ડીસીપીએ તેમના વિસ્તારમાં ગુરુવાર સાંજથી જ ઘાસચારો વેચનારાને પકડવાનું શરૂ કર્યું છે. Order of Ahmedabad Police Commissioner to arrest fodder sellers , Ahmedabad Police Commissioner Sanjay Shrivastav જાહેરમાં ઘાસચારો વેચનારની ધરપકડ અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.