ETV Bharat / city

Jagdish Thakor Interview: વિધાનસભાની ચૂંટણી કાલે આવે તો પણ કોંગ્રેસ કચકચાવીને લડવા તૈયાર: જગદીશ ઠાકોર

author img

By

Published : Dec 18, 2021, 8:38 AM IST

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા વરાયેલા પ્રમુખ જગદીશ ઠાકોરે (gujarat congress president) ગુજરાત વિધાનસભાની 2022 (gujarat assembly election 2022)માં આવનારી ચૂંટણી માટે તમામ તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. અને તમામ સીનીયર નેતાઓનો સાથ લઈને ચૂંટણી જીતવા માટે સ્ટ્રેટજી (congress strategy for 2022 assembly election) બનાવી લીધી છે. અને ચૂંટણી વહેલી આવે તો પણ કોંગ્રેસ કચકચાવીને લડવા તૈયાર છે. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સાથે ઈટીવી ભારત ગુજરાતના બ્યૂરો ચીફ ભરત પંચાલ સાથે મોકળા મને વાત કરી છે. આવો જગદીશ ઠાકોર સાથે રૂબરૂ થઈએ.

Jagdish Thakor Interview: વિધાનસભાની ચૂંટણી કાલે આવે તો પણ કોંગ્રેસ કચકચાવીને લડવા તૈયાર: જગદીશ ઠાકોર
Jagdish Thakor Interview: વિધાનસભાની ચૂંટણી કાલે આવે તો પણ કોંગ્રેસ કચકચાવીને લડવા તૈયાર: જગદીશ ઠાકોર

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2022 (gujarat assembly election 2022)માં આવી રહી છે. ફેબ્રુઆરી-2022માં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. તેની સાથે ગુજરાતમાં પણ ચૂંટણી આવી જશે. જો કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ (gujarat congress president) જગદીશ ઠાકોરે કહ્યું (Jagdish Thakor Interview) હતું કે, કાલે ચૂંટણી આવે તો પણ કોંગ્રેસ કચકચાવીને ચૂંટણી લડવા તૈયાર છે. અમારી સ્ટ્રેટેજી (congress strategy for 2022 assembly election) તૈયાર છે અને કોંગ્રેસનો એકપણ કાર્યકર ઘરમાં નહી, અમે સીનીયર નેતાઓ સાથે સરકારની નીતિઓ સામે રોડ પર આવી જઈશું.

Jagdish Thakor Interview: વિધાનસભાની ચૂંટણી કાલે આવે તો પણ કોંગ્રેસ કચકચાવીને લડવા તૈયાર: જગદીશ ઠાકોર

જગદીશ ઠાકોર સાથે રૂબરૂ

પ્રશ્ન-1: પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખપદની ખુરશી સંભાળ્યા પછી પ્રથમ કયા કામને પ્રાથમિકતા આપી છે?

જવાબ - સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે સૌથી મહત્વનો પ્રશ્ન છે કોવિડમાં જે લોકો મૃત્યુ (covid death in india) પામ્યા છે, કોવિડ દર્દીઓની સારવાર કરનાર કોવિડ પોઝિટિવ થયા અને મૃત્યુ પામ્યા તેમના વારસદારોને નોકરી આપવાની વાત છે. કોવિડના દર્દીઓને સારવાર દરમિયાન હોસ્પિટલમાંથી ખૂબ મોટા બિલ આવ્યા છે. તેમને સરકાર તરફથી રાહત મળે તે વાત છે. કોરોનાની મહામારી (corona pandemic in india)એ કુદરતી નહોતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની બેદરકારીને કારણે આટલો મોટો રોગ ફેલાયો હતો. તેની સામે અમારુ તહોમનામુ છે. તેની તટસ્થ તપાસ થાય. આવી બેદરકારી ભવિષ્યમાં કોઈ સરકાર ન રાખે એવો દાખલો બેસાડે તેવા મહત્વના મદ્દા છે. પેપરો રોજ (government exam paper leak in gujarat) ફૂટે છે. બેરોજગારો લાખોની સંખ્યામાં ફોર્મ ભરે છે. તેઓ પરીક્ષાની તૈયારી કરે છે અને પછી પરીક્ષાના પેપર ફૂટે છે. આ કાંઈ એક વખત નથી બન્યું. આવા તો 7-8 પેપરો ફૂટયા છે અને એકેય વખત પેપર ફોડનારને દાખલો બેસે તેવી સજા થઈ નથી. બરાબર તપાસ થઈ નથી. બેરોજગારોનો મુદ્દો છે. ખેડૂતોનો મુદ્દો છે. મહિલાઓ પર થતાં અત્યાચારનો મુદ્દો છે. કાપડ બજાર હોય કે અન્ય બજારો હોય તેમાં GSTના નામે પૈસા ઉઘરાવાય છે. વેપારમાં ત્રીજો ભાગીદાર હોય તેવી રીતે તોડ થાય છે. આવા અસંખ્ય મુદાઓને લઈને આવતા દિવસોમાં કોંગ્રેસ રોડ પર રહેશે. સરકારનો જવાબ માંગશે. એક વિપક્ષ તરીકેની અમારી ફરજ અને જવાબદારી બને છે. એ જવાબદારી પ્રમાણે અમે કામ કરીશું.

પ્રશ્ન-2: વિધાનસભાની 2022માં ચૂંટણી આવી રહી છે, આપના નેતૃત્વમાં કોંગ્રેસ કઈ સ્ટ્રેટેજી સાથે આગળ વધશે?

જવાબ- મેં આપને જણાવ્યું ને કે 2 મુદ્દા છે એક આંદોલનનો… સરકારની નીતિથી પ્રજાને જે મુશ્કેલીઓ પડી રહી છે, તે પ્રશ્નોને ઉજાગર કરવાનું છે. બીજુ અમારે સંગઠનના માળખાને મજબૂત કરવાનું છે અને જ્યાં સંગઠનમાં જગ્યા ખાલી છે, ત્યાં નિમણૂંક આપવાની છે. અમારા સિનિયર નેતાઓ સાથે બેસીને તેઓ શું સુચન કરે છે, તેના કરતાં તે પોતે શું જવાબદારી લે છે? સારી વાત એ છે કે સિનિયર નેતાઓ સામેથી કહી રહ્યા છે કે હું આ કામ કરીશ. કામની વહેંચણી થઈ રહી છે. સંગઠનના ઢાંચાની ઠીક કરી રહ્યા છીએ. યુથ કોંગ્રેસ, NSUI, મહિલા વિંગ, સેવા દળ, લોયર્સ અને ડોક્ટર ટીમ ઊભી કરી છે. આગામી સમયમાં સરકારને અમે કોર્ટમાં પણ ઘેરીશું. અમારા કાર્યકરો પર ખોટા કેસ કરાયા છે. માનવ અધિકારોના હનન થાય છે. ગ્રુપ મીટિંગો, વન ટુ વન, ચર્ચાના મુદાઓને લઈને આગળ વધી રહી છે.

પ્રશ્ન-3: કોંગ્રેસમાં અનેક સિનિયર નેતાઓ છે, જૂથવાદ અને આંતરિક વિખવાદ વચ્ચે આપ તમામને સાથે લઈને કેવી રીતે ચાલશો?

જવાબ- ખુબ સરસ સવાલ કર્યો આપે… તેના માટે હું 2 જ ઉદાહરણ આપીશ. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ CM વિજય રૂપાણી સાહેબના મંત્રીમંડળને ડ્રોપ કર્યા અને ભૂપેન્દ્રભાઈના મંત્રીમંડળમાં લીધા. એક સરકારને કાઢી અને બીજી સરકારને બેસાડી, આ 2 ગ્રુપ થયા… હવે તમે કયારેય કોઈપણ કાર્યક્રમમાં બન્ને જૂથના પ્રધાનોને સાથે જોયા ખરા. મારા પદગ્રહણ વખતે જોયું હશે મારી સાથે કોંગ્રેસનું આખુંય નેતૃત્વ હતું. ગઈકાલે સુખરામભાઈ પદગ્રહણ વખતે તમે જોયું હશે. આખુંય કોંગ્રેસનું નેતૃત્વ સાથે છે. ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દા નથી, એ ગપગોળા કરે છે, કોંગ્રેસમાં એકતા નથી, જૂથવાદ (groupism in congress) છે. ત્યાં ભાઉ સાહેબનો જૂથવાદ, ભૂપેન્દ્રભાઈની જવાબદારી... વિજયભાઈ સુરત જાય છે, તો ભાઉ સાહેબ રાજકોટ જાય છે. ક્યાંક તો ભેગા થાવ, ક્યાંક તો બેસો, એ ક્યાંય ભેગા થતા નથી. અમે ભેગા થઈને પાર્ટીનું કામ કરીએ છીએ.

પ્રશ્ન-4: જ્ઞાતિવાદી સમીકરણ આજના આધુનિક જમાનામાં પીછો છોડતું નથી. ચૂંટણી આવે એટલે જ્ઞાતીવાદી સમીકરણને જોડીને ટિકિટોની ફાળવણી કરાય છે. આ અંગે આપના શું વિચારો છે?

જવાબ- 40 વર્ષથી પક્ષમાં છું. એકદમ જીરો ગ્રાઉન્ડથી માંડીને પક્ષ પ્રમુખપદ સુધી આવ્યો છું. 40 વર્ષમા નાના-મોટા સંગઠનોની જવાબદારી સંભાળી છે. સમગ્ર પરિસ્થિતિથી હું વાકેફ છું. મને સૌથી વધુ આનંદ મારી ટીમ પર છે અને મારા કોંગ્રેસના આગેવાનો પર છે. કોઈપણ ગામનું ફળિયું એવું નથી કે જ્યાં કોંગ્રેસના કાર્યકર ન હોય. મારી જવાબદારી બધાને ભેગા કરવાની છે. સ્વેચ્છાએ કામની વહેંચણી થાય અને પછી અમે ઈલેક્શનના મોડ પર આવીએ, ત્યારે કોંગ્રેસનો આખો પરિવાર ટિકિટની વહેંચણીમાં અને તે પછી ચૂંટણી લડે છે. આ રણનીતિમાં અમે અભ્યાસપૂર્વક આગળ વધીએ છે. અને ચૂંટણી આ રીતે લડીશું.

પ્રશ્ન-5: અત્યાર સુધી ગુજરાતમાં 2 જ વિકલ્પ હતા, પણ હવે ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી અને MIM પણ છે. તો આ બન્ને પક્ષ સામે ટક્કર કેવી રીતે આપશો?

જવાબ- આ પહેલીવાર નથી આવ્યું, શંકરસિંહ વાઘેલા રાજપા લઈને આવ્યા હતા, કેશુભાઈ પટેલ GPP લઈને આવ્યા હતા. અને BSPના ઉમેદવાર પણ અમારી સામે લડ્યા હતા. NCPના ઉમેદવાર પણ અમારી સામે લડ્યા હતા. એટલે ભૂતકાળનો અમને અનુભવ છે. અને જે કાંઈ નફો નુકસાન થયું હતું, તેની ગણતરી કરીને 2022માં અમને લાભ થાય તે રીતે આગળ વધીશું.

પ્રશ્ન-6: કોંગ્રેસની બેઠક પર ચૂંટણી જીતે અને પછી ભાજપમાં જવાનો ટ્રેન્ડ છે, તેને રોકવા કેવા પગલા લેશો?

જવાબ- કોંગ્રેસની નેતાગીરી કે કોંગ્રેસની કોઈ જવાબદાર વ્યક્તિ જ્યારે કોંગ્રેસ છોડીને જાય ત્યારે ચોક્કસ અમને દુ:ખ થાય. આ અમારી ભૂલ હતી, અને અમે આ કાર્યકરને સાચવી નહી શક્યા. પણ જેણે નક્કી જ કર્યુ હોય કે મારે જવું જ છે, તો હું નહી પણ દુનિયાની કોઈ તાકાત તેને રોકી નહી શકે. લોભ-લાલચ તો બરાબર છે, પણ અત્યારે કોઈની ફાઈલો તૈયાર કરવી. ધંધો કરતો હોય તો તેની ફાઈલ તૈયાર કરો. ભારતીય જનતા પાર્ટી ટેબલ પર જ બોલાવીને કહી દે છે કે આ તમારી ફાઈલ જોઈ લો. તમારે ભાજપમાં આવવું હોય તો જિંદગીભર લહેર કરશો. જો કોંગ્રેસમાં રહેવું હશે તો આ ફાઈલના આધારે જિંદગીભર જેલમાં રહેશો. આવા દબાણો થાય પછી સ્વભાવિક છે કે તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે, અને તે ભાજપમાં જાય પછી તેને જે અનુભવ થાય છે તે તો જગજાહેર છે અને આખુંય ગુજરાત જાણે છે.

પ્રશ્ન-7: 2017માં તમે સત્તાની બિલકુલ નજીક હતા. ભાજપને 99 બેઠક અને કોંગ્રેસને 77 બેઠક મળી હતી, હવે 2022માં કેટલી બેઠકો આવશે?

જવાબ- સરસ સવાલ કર્યો તમે. 2017ની ચૂંટણી પછી અમે 600 લોકોને મળ્યા હતા. ગ્રુપમાં મળ્યા હતા, વન ટુ વન પણ મળ્યા હતા, માત્ર પક્ષના લોકોને જ નહી. જે રાજકીય વિવેચકો છે, રાજકીય પ્રચાર પ્રસાર કરવાવાળા છે, પ્લાનિંગ કરવાવાળા છે, એનાલીસીસ કરવાવાળાઓને પણ મળ્યા હતા. 2017 પછી ચૂંટણીલક્ષી એક અહેવાલ તૈયાર કર્યો હતો, અને તેમાં જે તથ્યો બહાર આવ્યા છે, તેના પર અમે કોઓર્ડિનેશન કમિટીની બેઠકમાં ચર્ચા કરી છે. મંથન કર્યું છે. આમાં જે કસર રહી ગઈ હશે તે અમે 2022માં પુરી કરીશું અને તે રણનીતિ સાથે આગળ વધીશું. (કેટલી બેઠકો આવશે તે જવાબ આપવાનું ટાળ્યું હતું)

પ્રશ્ન-8: અચ્છા, ફેબ્રુઆરીમાં 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવે છે, તેની સાથે ગુજરાતમાં ચૂંટણી વહેલી આવે તેવી શકયતા લાગે છે ખરી?

જવાબ- મને બધા મીડિયાના મિત્રો અને રાજકીય લોકો પુછે છે. હું કહુ છું કે ભારતીય જનતા પાર્ટી એવું માનતી હોય કો કોંગ્રેસમાં કશું નથી, એવું તમારા મગજમાં હોય તો કાલે જ ઈલેક્શન જાહેર કરો અમે પહોંચી વળીશું. (તૈયાર છો) પહોંચી વળીશું. હસતા હસતા…

પ્રશ્ન-9: 2022ના ચૂંટણી જંગમાં કોંગ્રેસ શું નવું કરશે?

જવાબ- 2022ના મુદ્દાની વાત કરીએ તો જેમ આપે કહ્યું તેમ એક તો સોશિયલ મીડિયા અને યુવા નેતૃત્વ- સરકાર ગમે તેની હોય પણ તેની દુનિયા લૂંટાતી હોય કે ચાહે ખેડૂત હોય, વેપારી હોય કે યુવાન હોય. પણ એમની સમસ્યાના 25 મુદ્દા હોચ, પણ અમે એવા પાંચ મહત્વના મુદ્દાની ઘાર કાઢીને બજારમાં આવીશું ત્યારે બધાને લાગશે કે કોંગ્રેસ કંઈક લાવી. કોંગ્રેસનો એકપણ કાર્યકર ઘરે બેસેલો નહી હોય, કોંગ્રેસ રોડ પર નીકળશે. મને મારા નેતાઓ પર ભરોસો છે, અને મારા આગેવાનો પર ભરોસો છે. મારો કાર્યકર સક્ષમ છે અને પુરા જોશથી લડીશું.

પ્રશ્ન-10: જગદીશ ઠાકોર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા છે, તો હવે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં આવી જશે?

જવાબ- મેં અગાઉ પણ કહ્યું હતું કે, કોંગ્રેસનો ત્રિરંગો જેને પણ ઘારણ કરવો હોય અને કોંગ્રેસની વિચારધારા અપનાવવી હોય અને ભારતીય જનતા પાર્ટીની કિન્નાખોરીવાળી ધમકાવવાવાળી રાજનીતિ હોય તેની સામે કચકચાવીને લડવું હશે તેવા લોકોનું હું પાર્ટીમાં સ્વાગત કરીશ.

પ્રશ્ન-11: તમારે અલ્પેશ ઠાકોર સાથે કોઈ વાત થઈ છે?

જવાબ- ના મારે કોઈ વ્યક્તિગત વાત થઈ નથી.

આ પણ વાંચો: MLA Lalit Vasoya Statement on Paper Leak 2021 : પેપર નથી ફુ્ટયું બેરોજગાર યુવાનોનું ભવિષ્ય ફૂ્ટયું છે

આ પણ વાંચો: Gram Panchayat Election 2021: પ્રચાર પડઘમ શાંત, 19 ડિસેમ્બરના રોજ સવારે 7થી 6 વાગ્યા સુધી યોજાશે મતદાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.