ETV Bharat / city

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનનો કાયકાદીય વિવાદ આખરે પહોંચ્યો હાઈકોર્ટ

author img

By

Published : Sep 14, 2022, 1:45 PM IST

ગુજરાતના અને દેશના સૌથી મોટા ખાદ્યતેલ ઉદ્યોગના જૂના સંગઠન એવા સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશન્સનો કાયદાકીય વિવાદ ફરી એક વખત સામે આવ્યો છે અને આ મામલે હાઈકોર્ટે ચેરીટી કમિશનરને છ મહિનામાં ફરીથી નવેસરથી ચૂકાદો આપવા અને પક્ષકારના મુદ્દાઓને ધ્યાનમાં રાખવાનો આદેશ કર્યો છે. Legal dispute saurashtra oil mill association, charity commissioner gujarat, Gujarat High Court Hearing.

સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનનો કાયકાદીય વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ
સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનનો કાયકાદીય વિવાદ પહોંચ્યો હાઈકોર્ટ

અમદાવાદ આ સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનનો કાયદાકીય વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. SOMAના પૂર્વ પ્રમુખ એવા સમીર શાહના કાર્યકાળ દરમિયાન તેમણે જે નિર્ણય (Gujarat High Court Hearing)લીધા હતા એ નિર્ણયને હરીફો દ્વારા પડકારવામાં (Legal dispute saurashtra oil mill association) આવ્યા હતા અને આ સમગ્ર મામલો ચેરિટી કમિશનર પાસે (charity commissioner gujarat) પહોંચ્યો હતો.

ચૂંટણી પ્રક્રિયા મામલે માગી હતી દાદ જ્યાં આ સમગ્ર મામલે સમીર શાહે પણ ચૂંટણી પ્રક્રિયા મામલે દાદ માગી હતી અને આ વિવાદ (Legal dispute saurashtra oil mill association) ચેરિટી કમિશનર પાસે (charity commissioner gujarat) ચાલતા સમીર શાહના દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સમીર શાહે આ બાબતે વિરોધ નોંધાવતા તેમણે આ મામલે હાઈકોર્ટમાં (Gujarat High Court Hearing) અરજી કરી હતી.

ચેરિટી કમિશનરનો ચૂકાદો અલગ છે આ સમગ્ર મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે, ચેરિટી કમિશનરને (charity commissioner gujarat) અગાઉનો આપેલો ચૂકાદો મૂળ મુદ્દાઓથી ખૂબ જ અલગ છે અને તેથી જ હાઈકોર્ટમાં (Gujarat High Court Hearing) આ મામલે અરજી કરવામાં આવી છે. આ સાથે જ તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે, આ મામલે હાઇકોર્ટે સૂચના આપી હોવા છતાં પણ તે લોકો 4 વર્ષ સુધી કેમ કંઈ બોલ્યા જ નહીં અને હવે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે તે અયોગ્ય છે.

નવેસરથી ચૂકાદો આપવા આદેશ આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે (Gujarat High Court Hearing), અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચેરિટી કમિશનરને (charity commissioner gujarat) હાઇકોર્ટે આદેશ કર્યો છે કે, 6 મહિનામાં ફરીથી આ મુદ્દે વિચારણા કરે અને નવેસરથી ચૂકાદો આપે.

બંને પક્ષ રજૂ કરવા માગે છે મુદ્દાઓ સાથે જ હાઇકોર્ટે (Gujarat High Court Hearing) એ પણ આદેશ કર્યો છે કે, બંને પક્ષ આવતા 15 દિવસમાં હજી કોઈ મુદ્દાઓ રજૂ કરવા માગે છે તો જે રીતે કમિશનર સમક્ષ રજૂ કરી શકે છે અને ત્યારબાદ ચેરિટી કમિશનર મહત્તમ 6 મહિનામાં નવેસરથી ચૂકાદો આપવો પડશે. મહત્વનું છે કે, SOMAના બંધારણમાં સમીર શાહ દ્વારા કાર્યકાળ દરમિયાન કરાયેલા ફેરફારને લઈને હરીફોમાં ખૂબ જ ભારે ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.