ETV Bharat / city

Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના અધધધ...23 હજારથી પણ વધુ કેસ નોંધાયા, 15 લોકોના મોત

author img

By

Published : Jan 22, 2022, 8:07 PM IST

Updated : Jan 22, 2022, 8:40 PM IST

Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના અધધધ...23 હજારથી પણ વધુ કેસ નોંધાયા, 15 લોકોના મોત
Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના અધધધ...23 હજારથી પણ વધુ કેસ નોંધાયા, 15 લોકોના મોત

ગુજરાતમાં કોરોના (Corona In Gujarat)ના આજે 23 હજારથી પણ વધુ કેસો (Corona Cases In Gujarat) નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી આજે 15 લોકોના મોત થયા છે. અમદાવાદમાં કોરોના (Corona In Ahmedabad)ની સૌથી ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદમાં 8,184 અને વડોદરામાં 2,823 કોરોનાના કેસ નોંધાયા છે.

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ (Corona Cases In Gujarat) સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 23,150 જેટલા કોરોના પોઝિટિવ કેસ (Corona In Gujarat) નોંધાયા છે. જ્યારે 15 જેટલા લોકોના દુઃખદ મૃત્યુ પણ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Health Department Gujarat) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસ (Corona Cases In Ahmedabad)માં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં (Corona In Ahmedabad) 8,184 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 2,635 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ પણ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 05 જેટલા નોંધાયા છે. સુરતમાં 1,876 (Corona Cases In Surat), રાજકોટમાં 1,707 અને વડોદરામાં 2,823 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: Covid-19 Testing Vadodara: MS યુનિવર્સિટીમાં કોરોના ટેસ્ટિંગ, 10 વિદ્યાર્થીઓ અને એક વોર્ડન પોઝિટિવ

રાજ્યમાં આજે કેટલા નાગરિકોનું થયું રસીકરણ?

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદીમાં જણાવાયુ હતું કે, રાજ્યમાં આજે કુલ 01,88,588 વ્યક્તિઓનું રસીકરણ (Vaccination In Gujarat) કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 09,62,28,391 રસીના ડોઝ અપાયા છે. રિકવરી રેટ 86.60 ટકા જેટલો નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 09,05,833 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 01,29,875 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 245 વેન્ટિલેટર પર અને 01,29,631 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ 10,230 મૃત્યુ નોંધાયા છે.

આ પણ વાંચો: Corona In Surat: કોરોનાના કેસ વધતા 100 બેડવાળા કોવિડ આઇસોલેશન સેન્ટરનો સી.આર.પાટીલના હસ્તે શુભારંભ

Last Updated :Jan 22, 2022, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.