ETV Bharat / city

અમદાવાદમાં આ વખતે 300 બ્લોકમાં લેવાશે બોર્ડની પરીક્ષા

author img

By

Published : May 28, 2021, 1:25 PM IST

કોરોનાને કારણે તમામ ક્ષેત્રમાં બદલાવ જોવા મળ્યો છે ત્યારે શિક્ષણ વિભાગ પર પણ તેની અસર થઇ છે.૧૫ માસથી શિક્ષણ ઓનલાઈન ચાલી રહ્યું છે.શાળાઓમાં ભણતા 1થી 11 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે અને ધોરણ 12ની પરીક્ષા હવે યોજાવવાની છે જેમાં કોરોનાની ગાઈડલાઈનનું ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે.

અમદાવાદમાં આ વખતે 300 બ્લોકમાં લેવાશે બોર્ડની પરીક્ષા
અમદાવાદમાં આ વખતે 300 બ્લોકમાં લેવાશે બોર્ડની પરીક્ષા

  • બોર્ડની પરીક્ષાને લઈને અમદાવાદ deoની તૈયારી શરૂ
  • 200 બ્લોકમાં યોજાતી બોર્ડની પરીક્ષા કોરોનાને કારણે 300 બ્લોકમાં યોજાશે
  • 20 જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે

અમદાવાદ: ધોરણ 12ના 6.83 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા 1 જુલાઈથી શરુ થવાની છે. ત્યારે દર વર્ષની જેમ પરીક્ષા યોજાશે, પરંતુ આ પ્રશ્નપત્ર સિવાય તમામ બાબતોમાં બદલાવ જોવા મળશે. જેમાં વિદ્યાર્થીઓ અને નિરીક્ષકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. અગાઉ વર્ગ ખંડમાં જેટલા વિદ્યાર્થીઓને બેસડવામાં આવતા હતા તેના કરતા ઓછા વિદ્યાર્થીઓને બેસાડીને પરીક્ષા યોજવામાં આવશે. વિદ્યાર્થીઓને ફરજીયાત માસ્ક પહેરવું પડશે અને સેનીટાઈઝરનો પણ ઉપયોગ કરવો પડશે. વિદ્યાર્થી માટે અગાઉ પરીક્ષામાં 200 બ્લોકની વ્યવસ્થા હતી તે વધારીને હવે 300 કરવામાં આવશે.

આ પણ વાંચો: 12માંની બોર્ડની પરીક્ષા રદ થશે કે નહી? સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી

હવે 20 જ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેસાડવામાં આવશે

આ મામલે મદદનીશ જીલ્લા શિક્ષણાધિકારી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 1 જુલાઈથી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજાવવાની છે. તેને લઈને શિક્ષણ વિભાગ કામે લાગ્યું છે. અગાઉ એક વર્ગખંડમાં 30 વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હતા. તેની જગ્યાએ હવે 20 જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. વિદ્યાર્થીઓએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તે ધ્યાન રાખવામાં આવશે. અગાઉ પરીક્ષા માટે 203 બ્લોકનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે હવે વધારીને 300 જેટલો કરવામાં આવશે.

આ પણ વાંચો: 12માંની બોર્ડની પરીક્ષા રદ થશે કે નહી? સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.