ETV Bharat / city

Preamble of Indian Constitution: બંધારણના આમુખના શબ્દો સરળતાથી સમજાવવા લખાયું પુસ્તક, શુક્રવારે કર્યું વિમોચન

author img

By

Published : Nov 27, 2021, 11:32 AM IST

Updated : Nov 27, 2021, 8:59 PM IST

Preamble of Indian Constitution: બંધારણના આમુખના શબ્દો સરળતાથી સમજાવવા લખાયું પુસ્તક, શુક્રવારે કર્યું વિમોચન
Book on the Preamble of Indian Constitution: બંધારણના આમુખમાં લખાયેલા શબ્દો સરળતાથી સમજાવવા અમદાવાદના પ્રોફેસરે લખ્યું પુસ્તક, શુક્રવારે કર્યું વિમોચન

સમગ્ર દેશમાં 26 નવેમ્બરે બંધારણ દિવસની (Constitution Day 2021) ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભારતીય બંધારણના આમુખમાં (the preamble of the Indian Constitution) લખવામાં આવેલા શબ્દો લોકોને સરળતાથી સમજમાં (make it easier for people) આવે. તેમ જ લોકો બંધારણના ગુણોને સમજી શકે. તે હેતુથી અમદાવાદના પ્રોફેસર હેમંતકુમાર શાહે બંધારણના આમુખ (the preamble of the Indian Constitution) પર એક પુસ્તક (A book written by a professor from Ahmedabad) લખ્યું છે, જેનું શુક્રવારે વિમોચન (released on Friday) કરવામાં આવ્યું હતું.

  • પ્રોફેસર હેમંતકુમાર શાહે બંધારણના આમુખ ઉપર લખેલી પુસ્તકનું વિમોચન કરાયું
  • પુસ્તકમાં બંધારણમાં ઉલ્લેખિત 11 શબ્દોનો ન માત્ર શાબ્દિક મતલબ સમજી શકાશે
  • સમાજશાસ્ત્રી ઘનશ્યામભાઈ શાહ અને અચ્યુતભાઈ યાજ્ઞિક ઉપસ્થિત રહ્યા

અમદાવાદઃ ભારત દેશે શુક્રવારે (26 નવેમ્બરે) બંધારણ દિવસ (Constitution Day 2021) ઉજવ્યો હતો. ત્યારે ભારતના બંધારણના (Indian Constitution) ગુણોને સાચા અર્થમાં ચરિતાર્થ કરી શકે તેવા શબ્દો કદાચ જ મળે. બંધારણ ન માત્ર આપણા દેશનો વહીવટ સુચારુરૂપે ચલાવે છે, પરંતુ તેમાં આપણી લોકશાહીનો રંગ પણ ઝલકી આવે છે. આજ રંગથી પ્રેરાઈને શુક્રવારે પ્રોફેસર હેમંતકુમાર શાહે (A book written by a professor from Ahmedabad) બંધારણના આમુખ ઉપર લખેલી પુસ્તકનું (the preamble of the Indian Constitution) વિમોચન કરવામાં (released on Friday) આવ્યું હતું.

Preamble of Indian Constitution: બંધારણના આમુખના શબ્દો સરળતાથી સમજાવવા લખાયું પુસ્તક, શુક્રવારે કર્યું વિમોચન

ખેત ભવનમાં પુસ્તકનું વિમોચન કરાયું

અમદાવાદના પ્રોફેસરે લખેલા આ પુસ્તકનું વિમોચન (released on Friday) ગાંધી આશ્રમ પાસે આવેલા ખેત ભવનમાં (Book release at Khet Bhavan) કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે વિદ્વાન સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહ અને અચ્યુત યાજ્ઞિક હાજર રહ્યા હતા.

આ પણ વાંચો- દલિત સમાજના ઘરે ભોજન લઈ ફોટો પડાવવાની જગ્યાએ તેમને તમારા ઘરે બોલાવો : પાટીલ

આ પુસ્તકમાં આમુખમાં લખાયેલા દરેક શબ્દોને સમજાવવામાં આવ્યા છે

આ પુસ્તકની સૌથી ખાસ વિશેષતા એ છે કે, બંધારણના આમુખમાં (the preamble of the Indian Constitution) લેખિત 11 જેટલા શબ્દો જેવાકે સાર્વભૌમ (Sovereign), બિનસાંપ્રદાયિક (Secular), સમાજવાદી (Socialist), અખંડિતતા (Integrity) ઉપર સામાન્ય જનતા ઉંડાણપૂર્વક સમજી શકે તે માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં બંધારણમાં (the Indian Constitution) ઉલ્લેખિત 11 શબ્દોનો ન માત્ર શાબ્દિક અર્થ સમજી (easily explain the words) શકાશે, પરંતુ તેની સામે આ શબ્દો કયા પરીપેક્ષમાં બંધારણમાં (the Indian Constitution) સામેલ કરવામાં આવ્યા છે તે પણ જાણી શકાશે

આ પણ વાંચો- Library Week 2021: ગુજરાત યુનિવર્સિટી 1 રૂપિયાથી લઈ 5,000 રૂપિયાની કિંમતના પુસ્તકો આપશે વિનામૂલ્યે

પ્રોફેસરે પુસ્તક અંગે શું કહ્યું?

પુસ્તકના લેખક પ્રોફેસર હેમંતકુમાર શાહે (Professor Hemantkumar Shah) ETV Bharatને જણાવ્યું હતું કે, જે સમયે દેશમાં CAA જેવા મુદ્દાઓ ચર્ચામાં હતા. તે સમયે ઘણા લોકો ભારતના બંધારણના આમુખને (the preamble of the Indian Constitution) સમજવાનો (easier for people to understand the words) પ્રયત્ન કરી રહ્યા હતા. લોકોને આમ સર્ચ કરતા જોઈ તેમણે વોટ્સએપમાં લખવાની શરૂઆત કરી. જ્યારે અઢળક આર્ટિકલ આમુખ પર લખાઈ ગયા તો તેમણે તેને પુસ્તકનું સ્વરૂપ આપી દીધું.

Last Updated :Nov 27, 2021, 8:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.