ETV Bharat / bharat

VIJAY DIWAS 2021 : આજથી 50 વર્ષ પહેલા ભારતે માત્ર 13 દિવસમાં પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું

author img

By

Published : Dec 16, 2021, 10:16 AM IST

આજે વિજય દિવસ(VIJAY DIWAS 2021) છે, આજથી 50 વર્ષ પહેલા ભારતીય સેનાએ ઈતિહાસના(VIJAY DIWAS 2021 HISTORY) આ સૌથી ટૂંકા યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી અને પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું હતું.

VIJAY DIWAS 2021 : આજથી 50 વર્ષ પહેલા ભારતે માત્ર 13 દિવસમાં પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું
VIJAY DIWAS 2021 : આજથી 50 વર્ષ પહેલા ભારતે માત્ર 13 દિવસમાં પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું

  • 13 દિવસમાં પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું
  • 3 હજાર પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સેના સામે આત્મસમર્પણ કર્યું
  • એવું જાણવા મળ્યું છે કે અમેરિકી સરકારે પાકિસ્તાનને આર્થિક અને ભૌતિક રીતે મદદ કરતું હતું

હૈદરાબાદ: 16 ડિસેમ્બરનો દિવસ(16 december victory day) ભારતીય સૈનિકોની બહાદુરીની સાક્ષી આપે છે. આ દિવસ ભારતીય સેનાની બહાદુરી અને આજથી 50 વર્ષ પહેલા લખાયેલી સફળતાની(VIJAY DIWAS 2021) ગાથા જણાવે છે. વર્ષ 1971માં આજના દિવસે ભારતે પાકિસ્તાનને(VIJAY DIWAS 2021 HISTORY) ચારે બાજુથી હરાવ્યું હતું. પાકિસ્તાન સાથેના આ યુદ્ધમાં ભારતના સેંકડો સૈનિકો શહીદ થયા હતા, પરંતુ જ્યારે પાકિસ્તાનની આખી સેનાએ ભારતના બહાદુર સપૂતો સામે આત્મસમર્પણ(Indo-Pakistani war) કર્યું ત્યારે સમગ્ર વિશ્વએ ભારતના બહાદુર સપૂતોને સલામ કરી હતી.

બાંગ્લાદેશ આઝાદીની 50મી વર્ષગાંઠ ઉજવણી કરી રહ્યું

આ ઉપરાંત બાંગ્લાદેશ પણ આજે તેની આઝાદીની 50મી વર્ષગાંઠની(bangladesh independence) ઉજવણી કરી રહ્યું છે. વાસ્તવમાં, આ યુદ્ધની વાર્તાનું કેન્દ્રબિંદુ આજનું બાંગ્લાદેશ છે, જે એક સમયે પશ્ચિમ પાકિસ્તાન હતું. બાંગ્લાદેશ આ યુદ્ધને બાંગ્લાદેશ મુક્તિ(Bangladesh Liberation War) યુદ્ધ કહે છે અને 16 ડિસેમ્બર 1971 થી, બાંગ્લાદેશ આ દિવસને તેની સ્વતંત્રતા તરીકે ઉજવે છે.

દર વર્ષે વિજય દિવસ ઉજવવામાં આવે છે

1971ના યુદ્ધમાં પાકિસ્તાનની હાર (1971 INDO PAK WAR) બાદથી દર વર્ષે વિજય દિવસ ઉજવવામાં આવે છે. દુનિયામાં એવું કોઈ ઉદાહરણ નથી કે જ્યાં કોઈ દેશની સેનાના 90 હજારથી વધુ સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હોય. ભારતીય સેનાની સામે પાકિસ્તાન સેના પણ આવી જ રીતે ઝૂકી ગઈ હતી અને ત્યારબાદ આ યુદ્ધ સમાપ્ત થયું હતું.

યુદ્ધનું કારણ

  • 1971 પહેલા બાંગ્લાદેશ પાકિસ્તાનનો એક ભાગ હતો, જેને 'પૂર્વ પાકિસ્તાન' કહેવામાં આવતું હતું.
  • પાકિસ્તાની સૈનિકો દ્વારા પૂર્વ પાકિસ્તાનના લોકોને મારવામાં આવ્યા, તેમનું શોષણ કરવામાં આવ્યું, મહિલાઓ પર બળાત્કાર જેવા કિસ્સા
  • પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાનના લશ્કરી શાસક જનરલ અયુબ ખાન સામે ભારે રોષ હતો.
  • 16 ડિસેમ્બર 1971ના રોજ ઢાકામાં ભારતીય સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જગજીત સિંહ અરોરાની આગેવાનીમાં લગભગ 93 હજાર પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સેના સામે આત્મસમર્પણ કર્યું. આ દિવસને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
  • ભારતની જીત બાદ બાંગ્લાદેશ વિશ્વના નકશા પર ઉભરી આવ્યું.

પાકિસ્તાને છંછેડ્યું અને પછી ભારત છોડ્યું નહીં

3 ડિસેમ્બર 1971ના રોજ, પાકિસ્તાને ઓપરેશન ચંગીઝ ખાન હેઠળ ભારતીય વાયુસેનાના 11 એરબેઝ પર હવાઈ હુમલા શરૂ કર્યા. બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારતને મદદનો હાથ લંબાવવો પાકિસ્તાનને પસંદ નહોતું. પાકિસ્તાને લગભગ 50 એરક્રાફ્ટ ભારતને મોકલ્યા અને શ્રીનગરથી અંબાલા, અમૃતસર, પઠાણકોટ, આગ્રા, જોધપુર સુધીના 11 એરબેઝને નિશાન બનાવ્યા. ઉપરાંત એવું માનવામાં આવે છે કે પાકિસ્તાને આ હુમલો ઈઝરાયેલની તર્જ પર કર્યો હતો. આ પછી જ્યારે ભારતના વીરોએ મોરચો સંભાળ્યો તો પાકિસ્તાન સેના તેને જોઈને ઘૂંટણિયે આવી ગઈ.

યુદ્ધ માત્ર 13 દિવસમાં સમાપ્ત થઈ ગયું

3 ડિસેમ્બરે શરૂ થયેલું આ યુદ્ધ માત્ર 13 દિવસ ચાલ્યું અને 16 ડિસેમ્બરે ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું. તેને ઇતિહાસનું સૌથી ટૂંકું યુદ્ધ પણ કહેવામાં આવે છે. આ યુદ્ધની વિશેષતા એ છે કે ભારત અને પાકિસ્તાન બંને પૂર્વી અને પશ્ચિમી સરહદો પર યુદ્ધ લડી રહ્યા હતા.ભારતીય વાયુસેનાએ આ યુદ્ધમાં પાકિસ્તાનને હરાવ્યું અને પાકિસ્તાનની વાયુસેનાને લગભગ નષ્ટ કરી દીધી. ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેનની સામે પાકિસ્તાન આર્મી અને એરફોર્સ પાણી માગતા જોવા મળ્યા હતા.

1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિશે કેટલીક મહત્વપૂર્ણ હકીકતો

  • આ યુદ્ધ પૂર્વ પાકિસ્તાનના લોકો સાથેના દુર્વ્યવહાર અને પાકિસ્તાનના ચૂંટણી પરિણામોને ધ્યાનમાં રાખીને થયું હતું. 26 માર્ચ 1971ના રોજ પૂર્વ પાકિસ્તાન દ્વારા અલગ થવાનો અવાજ સત્તાવાર રીતે ઉઠાવવામાં આવ્યો હતો. ભારતના તત્કાલીન વડા પ્રધાને બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું.
  • મીડિયાએ પાકિસ્તાની સૈન્યના હાથે બંગાળીઓ અને હિંદુઓના વ્યાપક નરસંહારની જાણ કરી હતી, જેના કારણે લગભગ 10 મિલિયન લોકોને ભારતમાં ભાગી જવાની ફરજ પડી હતી. ભારતે પણ બંગાળી શરણાર્થીઓ માટે તેની સરહદો ખોલી દીધી.
  • ઉત્તર-પશ્ચિમ ભારતના એરફિલ્ડ્સમાં પાકિસ્તાન એરફોર્સ (PAF) દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા પછી ભારત-પાક યુદ્ધ અસરકારક રીતે શરૂ થયું.
  • આના જવાબમાં ભારતીય વાયુસેનાએ પશ્ચિમી મોરચામાં લગભગ 4000 ફાઇટર એરક્રાફ્ટ અને પૂર્વમાં લગભગ બે હજાર ફાઇટર એરક્રાફ્ટ તૈનાત કર્યા. આ પછી પાકિસ્તાન સેનાએ બંને મોરચે લગભગ 2800 અને 30 ફાઈટર એરક્રાફ્ટ તૈનાત કર્યા. ભારતીય વાયુસેનાએ યુદ્ધના અંત સુધી પાકિસ્તાનના હવાઈ મથકો સામે જવાબી કાર્યવાહી કરવાનું ચાલુ રાખ્યું.
  • ભારતીય નૌકાદળના પશ્ચિમી નૌકા કમાન્ડે 4-5 ડિસેમ્બરની મધ્યવર્તી રાત્રે ટ્રાઇડેન્ટ નામથી કરાચી બંદર પર હુમલો કર્યો.
  • પાકિસ્તાને તેના સૈનિકોને પશ્ચિમી મોરચા પર તૈનાત કર્યા હતા. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી અને પાકિસ્તાનના હજારો કિલોમીટરના વિસ્તાર પર કબજો કરી લીધો.
  • આ યુદ્ધમાં પાકિસ્તાનના લગભગ આઠ હજાર સૈનિકો માર્યા ગયા અને 25 હજાર સૈનિકો ઘાયલ થયા. ત્યારે ભારતના ત્રણ હજાર સૈનિકો શહીદ થયા હતા અને 12 હજાર સૈનિકો ઘાયલ થયા હતા.
  • પૂર્વ પાકિસ્તાનમાં મુક્તિવાહિની જૂથે પાકિસ્તાની સૈનિકો સામે લડવા માટે ભારતીય દળોનો સાથ આપ્યો. તેણે ભારતીય સેના પાસેથી હથિયાર અને તાલીમ મેળવી હતી.
  • સોવિયેત સંઘે પણ ભારતને યુદ્ધમાં સાથ આપ્યો હતો. બીજી તરફ રિચર્ડ નિકસનની અમેરિકી સરકારે પાકિસ્તાનને આર્થિક અને ભૌતિક રીતે મદદ કરી.
  • યુદ્ધના અંતે, જનરલ અમીર અબ્દુલ્લા ખાન નિયાઝીની આગેવાની હેઠળ લગભગ 93 હજાર પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું.

આ પણ વાંચોઃ Navy Day Celebrations: INS વાલસુરામાં નેવી ડે ની ભવ્ય ઉજવણી, બિટિંગ રિટ્રીટ સહિતના કાર્યક્રમોનુ આયોજન

આ પણ વાંચોઃ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન સામે મળેલી જીતની યાદમાં INS વાલસુરા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.