ETV Bharat / bharat

હિમાચલ પ્રદેશમાં 48 કલાકમાં વાવાઝોડા સાથે હિમવર્ષાની શક્યતા, ત્રણ જિલ્લામાં યેલો એલર્ટ જારી

author img

By

Published : Oct 23, 2021, 7:02 AM IST

હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર હવામાનમાં પલટો(Climate change) આવશે. વિભાગે રાજ્યમાં વરસાદ અને બરફવર્ષાની સંભાવના વ્યક્ત કરી છે. શનિવાર અને રવિવારે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ, વાવાઝોડા અને હિમવર્ષા(Hurricanes and blizzards)ની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન જ્યારે નીચલા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે, તો ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે.

હિમાચલ પ્રદેશમાં આગામી 48 કલાક સુધી હવામાન ખરાબ રહેશે, ત્રણ જિલ્લામાં યલો એલર્ટ જારી
હિમાચલ પ્રદેશમાં આગામી 48 કલાક સુધી હવામાન ખરાબ રહેશે, ત્રણ જિલ્લામાં યલો એલર્ટ જારી

  • આગામી બે દિવસ હિમાચલ પ્રદેશમાં વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના
  • પ્રદેશમાં મોસમની પ્રથમ બરફવર્ષા ઊંચાઈવાળા વિસ્તારોમાં જોવા મળી
  • મધ્યવર્તી જિલ્લાઓ અને મેદાનોમાં વરસાદની આગાહી કરવામાં આવી

શિમલા: આગામી બે દિવસ હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh)વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગે (Department of Meteorology)23 અને 24 ઓક્ટોબરે ચંબા, કુલ્લુ, લાહૌલ-સ્પીતિ અને કિન્નૌરમાં ભારે હિમવર્ષાની આગાહી વ્યક્ત કરી છે. તે જ સમયે, મધ્યવર્તી જિલ્લાઓ અને મેદાનોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

3 જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું

હવામાન વિભાગના નિયામક સુરેન્દ્ર પાલે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં જ્યાં મોસમની પ્રથમ બરફવર્ષા ઊંચાઈવાળા વિસ્તારોમાં જોવા મળી હતી, ત્યાં મધ્યવર્તી અને મેદાની વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. છેલ્લા ચાર દિવસથી હવામાન સ્પષ્ટ રહ્યું છે, પરંતુ આગામી 48 કલાક સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના(Western Disturbances) કારણે ફરી એકવાર 3 જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેના કારણે ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના છે, જ્યારે મધ્યવર્તી અને મેદાની વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. 25 ઓક્ટોબર પછી રાજ્યમાં બે-ત્રણ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના છે.

લાહૌલ-સ્પીતિ પ્રશાસને એલર્ટ જાહેર કર્યું

લાહૌલ-સ્પીતિના ડેપ્યુટી કમિશનર નીરજ કુમારે( Neeraj Kumar)જણાવ્યું હતું કે 23 થી 25 અને 27 થી 29 ઓક્ટોબર દરમિયાન જિલ્લામાં ખરાબ હવામાન અને બરફવર્ષા થવાની સંભાવના છે. BRO તરફથી મળેલી માહિતી અનુસાર, મનાલી-લેહ નેશનલ હાઈવે-03(Manali-Leh Shanal Highway-03), બરાલાચા પાસ હિમવર્ષાને કારણે બંધ છે. આ એલર્ટને ધ્યાનમાં રાખીને, મનાલી-લેહ રોડ પર અટલ ટનલ રોહતાંગથી આગળ જતા માલસામાનની ટ્રકોની અવરજવર બંધ રહેશે. ખરાબ હવામાનને કારણે મોટી સંખ્યામાં લેહ- અવર જવર કરતા માલ ટ્રકો ઘણા સ્થળોએ અટવાયેલા હોવાના અહેવાલ છે. આવી સ્થિતિમાં હાલ ટ્રકોને અટલ ટનલથી આગળ જવા દેવામાં આવશે નહીં.

ખરાબ હવામાનના કારણે પ્રવાસીઓ લાહૌલની મુલાકાત ન લે

ડેપ્યુટી કમિશનરે ખાસ કરીને બહારના રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓને આગ્રહ કર્યો કે આવનારા સમયમાં પણ આવા પ્રતિકૂળ હવામાન દરમિયાન લાહૌલની મુલાકાત ન લે. જો કોઈને તાત્કાલિક મુસાફરી કરવાની જરૂર હોય, તો જિલ્લા આપત્તિ નિયંત્રણ ખંડના નંબર 94594-61355 ઉપરાંત 01900-202509 અને ટોલ ફ્રી નંબર 1077 પર પણ સંપર્ક કરો.

આ પણ વાંચોઃ કોર્પોરેશન વિસ્તારમાં 1 વર્ષમાં 1 લાખ 22 હજાર જેટલા બાળકોને ન્યુમોકોકલ કોન્જુગટ વેક્સીન અપાશે

આ પણ વાંચોઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડે 1 લાખ લોકોને યોગ ટ્રેનર બનાવવાના લક્ષ્યાંક સાથે ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન સાથે MoU કર્યા

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.