ETV Bharat / bharat

આજે જાહેર થશે JEE Main 2021 સત્ર-4નું પરિણામ, રિઝલ્ટ માટે અહીં કરો ચેક

author img

By

Published : Sep 13, 2021, 4:35 PM IST

આજે જાહેર થશે JEE Main 20201 સત્ર-4નું પરિણામ
આજે જાહેર થશે JEE Main 20201 સત્ર-4નું પરિણામ

એન્જિનિયરિંગ કૉલેજોમાં પ્રવેશ અપાવનારી જોઇન્ટ એન્ટ્રેસ એગ્ઝામિનેશન (JEE Main) 2021 સેશન 4 પરીક્ષાનું પરિણામ આજે જાહેર થશે.

  • JEE Main 2021 સત્ર 4 પરીક્ષાનું પરિણામ આજે જાહેર થશે
  • jeemain.nta.nic.in પર પરિણામ જાહેર થશે
  • ઑલ ઇન્ડિયા રેન્ક અને કટ-ઑફ માર્ક્સ પણ જાહેર કરાશે

એન્જિનિયરિંગ કૉલેજોમાં પ્રવેશ અપાવનારી જોઇન્ટ એન્ટ્રેસ એગ્ઝામિનેશન (JEE Main) 2021 સેશન 4 પરીક્ષાનું પરિણામ આજે જાહેર થશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) તરફથી આ રિઝલ્ટ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાહેર કરવામાં આવશે. પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવાર પોતાનું રિઝલ્ટ JEE main એડમિટ કાર્ડ પર મેન્શનલ રૉલ નંબર અને અન્ય ડિટેલ્સ નોંધાવીને ચેક કરી શકશે.

રેન્ક અને કટ-ઑફ માર્ક્સ પણ જાહેર કરાશે

JEE Mainનું આયોજન બીઈ, બીટેક અને બીઆરસી કૉર્સેસમાં એડમિશન લેવા માટે કરવામાં આવે છે. ઉમેદવારો ધ્યાન આપે કે JEE Main પરિણામો 2021ની સાથે NTA ઑલ ઇન્ડિયા રેન્ક અને કટ-ઑફ માર્ક્સ પણ જાહેર કરશે.

JEE Main Result 2021 આ રીતે ચેક કરો

સ્ટેપ 1: સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic પર જાઓ

સ્ટેપ 2: JEE Main 2021 સત્ર 4ના પરિણામ લિંક પર ક્લિક કરો

સ્ટપ 3: હવે એક્ઝામ સેશન, અરજી નંબર, જન્મતિથી દાખલ કરો

સ્ટેપ 4: JEE Main 2021 રિઝલ્ટની કૉપી ડાઉનલોડ કરો

ટાઈ મેથડોલોજીનો ફૉલો કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે બીઈ/ બીટેક માટે JEE મેઇન પેપર-1માં મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સામેલ છે અને પેપર-2માં મેથેમેટિક્સ, એપ્ટીટ્યુડ અને ડ્રોઇંગ સામેલ છે. પ્રશ્નો 4-4 માર્કના મલ્ટીપલ ચોઇસ અને ન્યુમરિકલ બેસ્ડ હતા. મલ્ટીપલચોઇસ પ્રશ્નોમાં ખોટા જવાબો માટે એક અંકની નેગેટિવ માર્કિંગ પણ કરવામાં આવશે. JEE Mainમાં જો બે અથવા બેથી વધારે ઉમેદવારો સમાન JEE Main NTA મેળવે છે, તો આ ક્રમમાં ડેડલૉકને તોડવા માટે એક ટાઈ મેથડોલોજીનો ફૉલો કરવામાં આવશે.

પહેલા સત્રમાં 6 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા હતા

આ વર્ષે JEE Main પરીક્ષા 2021 4 સેશનમાં થઈ હતી. પરીક્ષાનું ચોથું સેશન એક સપ્ટેમ્બરના સંપન્ન થઈ હતી. JEE Main ત્રીજા સત્ર 2021ની પરીક્ષા જુલાઈ થઈ હતી અને પહેલા આયોજિત તમામ ત્રણ સત્રોમાં ત્રીજા સત્રમાં સૌથી વધારે 100 પર્સન્ટાઇઝ મેળવ્યા હતા. ત્રીજા સેશનમાં 17 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પૂર્ણ 100 ટકા પ્રાપ્ત કર્યા હતા. તો માર્ચમાં આયોજિત JEE Main સેશન 2માં 13 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા હતા. JEE Main 2021નું પહેલું સેશન ફેબ્રુઆરીમાં થયું હતું અને 6 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં 100 પર્સન્ટાઇલ મેળવ્યા હતા.

વધુ વાંચો: JEE મેઈન્સની પરીક્ષામાં સુરતનો તનય વિનીત તલય ગુજરાતમાં પ્રથમ ક્રમે

વધુ વાંચો: પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઓસ્કર ફર્નાન્ડીસનું 80 વર્ષની વયે નિધન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.