ETV Bharat / bharat

SC Hear On PM Security Breach : વડાપ્રધાનની સુરક્ષા અંગેની અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી

author img

By

Published : Jan 10, 2022, 6:41 AM IST

પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષાની ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં (SC Hear On PM Security Breach) કરવામાં આવેલા અરજી પર આજે સનાવણી હાથ ઘરવામાં આવશે. આ અરજી 6 જાન્યુઆરીના દિવસે કરવામાં આવી હતી.

SC Hear On PM Security Breach
SC Hear On PM Security Breach

નવી દિલ્હીઃ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ક્ષતિને લઈને સુપ્રીમ કોર્ટમાં (SC Hearing On PM Security Breach) દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સોમવારે ફરી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી (Hearing in Supreme Court today) થશે. અરજીમાં આ મામલાની સંપૂર્ણ તપાસ કરવા અને ભવિષ્યમાં આવું ન થાય તેની ખાતરી કરવા વિનંતી કરવામાં આવી છે.

પંજાબમાંની સુરક્ષામાં ગંભીર ભુલ

ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે ગુરુવારે વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહની રજૂઆતની નોંધ લીધી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, પંજાબમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં (lapse in security of PM Modi) ગંભીર ભુલ થઈ છે.

વડાપ્રધાનના કાફલાને ભટિંડામાં રોકવો પડ્યો

વડાપ્રધાનના કાફલાને ભટિંડામાં (PM convoy stop in Bathinda) રોકવો પડ્યો હતો. આ પછી વડાપ્રધાને પંજાબમાં રેલીમાં હાજરી આપ્યા વિના જ દિલ્હી પરત ફરવું પડ્યું હતું.

અરજી પર તાત્કાલિક સુનાવણીની વિનંતી કરવામાં આવી

અરજી પર તાત્કાલિક સુનાવણીની વિનંતી કરવામાં આવી હતી. બેન્ચે કહ્યું કે આ અરજીની નકલ રાજ્ય સરકારને પણ સોંપવામાં આવશે.

સુરક્ષા વ્યવસ્થાના તમામ પુરાવા

વરિષ્ઠ વકીલ સિંઘે જણાવ્યું હતું કે, ભટિંડાના જિલ્લા ન્યાયાધીશને વડાપ્રધાનની મુલાકાત માટે પંજાબ પોલીસ દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાના તમામ પુરાવા તેમના કબજામાં લેવાનો નિર્દેશ આપવામાં આવે. પંજાબમાં જે બન્યું તે જોતાં, સુરક્ષામાં ખામીઓની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જવાબદારી નક્કી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ઉભી ન થાય.

વકીલે જણાવ્યું કે, આવી ઘટના ફરી ન બને

વકીલે જણાવ્યું હતું કે આવી ઘટના ફરી ન બને. કોર્ટની દેખરેખ હેઠળ પોલીસ બંદોબસ્તની વ્યાવસાયિક અને અસરકારક તપાસની જરૂર છે. વર્તમાન પરિસ્થિતિને જોતા આ યોગ્ય રહેશે. જિલ્લા ન્યાયાધીશે તમામ રેકોર્ડ લેવા જોઈએ અને તે પછી તમે નક્કી કરી શકો છો કે શું પગલાં લેવાના છે.

સુરક્ષા ક્ષતિ ઇરાદાપૂર્વક કરવામાં આવી હોવાનો દાવો

વરિષ્ઠ એડવોકેટ 'લોયર્સ વોઈસ' (Senior Advocate Lawyers Voice)દ્વારા દાખલ કરાયેલી અરજીનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે સુરક્ષા ક્ષતિ ઇરાદાપૂર્વક કરવામાં આવી હતી અને રાષ્ટ્રીય સુરક્ષા અને રાજ્ય સરકારના વર્તમાન અધિકારીઓની ભૂમિકા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. પ્રશ્નો ઉભા થયા છે.

PM મોદી કાર્યક્રમમાં હાજરી આપ્યા વિના પંજાબથી પરત ફર્યા

પંજાબમાં બુધવારે પ્રદર્શનકારીઓ દ્વારા કરાયેલી નાકાબંધીને કારણે વડાપ્રધાનનો કાફલો ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો, ત્યારબાદ તેઓ રેલી સહિત કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપ્યા વિના પંજાબથી પરત ફર્યા હતા.

વડાપ્રધાનની મુલાકાતમાં સુરક્ષા પ્રક્રિયામાં આવી બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ રાજ્ય સરકારને તાત્કાલિક અહેવાલ ફાઈલ કરવાનો નિર્દેશ આપતા કહ્યું હતું કે, તેણે જરૂરી જમાવટની ખાતરી કરી નથી. ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા પ્રક્રિયામાં આવી બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને જવાબદારી નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.