ETV Bharat / bharat

DRDO Supersonic Missile Assisted Torpedo: ભારતીય નૌસેનાની વધશે તાકાત, SMARTનું સફળ પરીક્ષણ

author img

By

Published : Dec 13, 2021, 5:17 PM IST

ભારતે સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ ટૉરપીડો (DRDO Supersonic Missile Assisted Torpedo)નું સફળ પરીક્ષણ કર્યું. DRDO અનુસાર તે 650 કિમીના અંતરે આવેલા લક્ષ્યાંકોને સાધવામાં સક્ષમ (drdo anti submarine missile) છે. તેને નેવી (torpedo for indian navy) માટે વિકસાવવામાં આવી રહ્યું છે.

DRDO Supersonic Missile Assisted Torpedo: ભારતીય નૌસેનાની વધશે તાકાત, SMARTનું સફળ પરીક્ષણ
DRDO Supersonic Missile Assisted Torpedo: ભારતીય નૌસેનાની વધશે તાકાત, SMARTનું સફળ પરીક્ષણ

  • ઓરિસ્સાના બાલાસોર દરિયાકિનારે પરીક્ષણ કર્યું
  • સંરક્ષણ પ્રધાને DRDOને અભિનંદન પાઠવ્યા
  • SMART હાઇબ્રિડ ટેકનોલોજીથી બનેલી એક સુપરસોનિક એન્ટી શિપ મિસાઇલ

હૈદરાબાદ: ભારતે સોમવારે ઓરિસ્સાના બાલાસોરના દરિયાકિનારે (odisha balasore seashore) લોંગ રેન્જ સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ ટૉરપીડો (long range supersonic missile assisted torpedo ship)નું સફળ પરીક્ષણ કર્યું. DRDOનું કહેવું છે કે, આ સિસ્ટમ ટૉરપીડો (DRDO Supersonic Missile Assisted Torpedo)ની પરંપરાગત શ્રેણીથી ઘણી આગળ એન્ટી-સબ મરીન યુદ્ધ ક્ષમતા (anti submarine combat capability india)ને વધારવા માટે બનાવવામાં આવી છે.

રાજનાથ સિંહે DRDOને અભિનંદન પાઠવ્યા

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સફળ પરીક્ષણ માટે DRDOને અભિનંદન પાઠવ્યા (rajnath singh congratulates drdo) છે. રાજનાથ સિંહે કહ્યું કે, એન્ટી સબમરિન યુદ્ધમાં (anti submarine warfare india) સ્ટેન્ડ ઑફ ક્ષમતા માટે આ એક પ્રમુખ ટેકનોલોજી સફળતા હશે. હું આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ માટે DRDO અને અન્ય ભાગીદારોને અભિનંદન આપું છું.

650 કિમી સુધી અચૂક નિશાન સાધવામાં સક્ષમ

SMART હાઇબ્રિડ ટેકનોલોજીથી બનેલી એક સુપરસોનિક એન્ટી શિપ મિસાઇલ (supersonic anti ship missile) છે, જેનો ઉદ્દેશ મધ્યમ વજનવાળા ટૉરપીડો તરીકે પેલોડ છે.આ સુપરસોનિક એન્ટી સબમરીન મિસાઇલ તરીકે પણ કામ કરશે. આ 650 કિલોમીટર સુધી અચૂક નિશાન સાધવામાં સક્ષમ છે. આ હથિયારથી ભારતીય નૌસેનાની ક્ષમતા (capability of the indian navy) વધી જશે.

આ પણ વાંચો: Jammu and Kashmir border: જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદે BSFએ પાકિસ્તાની ઘૂસણખોરને કર્યો ઠાર

આ પણ વાંચો: Kashi Vishwanath Corridor: કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન, PM મોદીએ કહ્યું- કાશી અવિનાશી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.