ETV Bharat / bharat

સ્પાઈસ જેટની ફ્લાઈટ 8 કલાક મોડી પડતા, એરપોર્ટના ફ્લોર પ્રવાસીઓ કર્યું આવું કાર્ય

author img

By

Published : Aug 25, 2022, 5:44 PM IST

વારાણસી એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ વચ્ચેની સ્પાઈસ જેટ એરલાઈન્સની ફ્લાઈટ બુધવારે સાડા આઠ કલાકથી વધુ મોડી પડી હતી. પ્લેન મોડા પડવાના કારણે વારાણસીથી અમદાવાદ જવા માટે એરપોર્ટ પર પહોંચેલા પ્રવાસીઓએ પ્લેનની રાહ જોઈને રાત વિતાવી હતી. આવી સ્થિતિમાં, ઘણા પ્રવાસીઓ ટર્મિનલ બિલ્ડિંગમાં ફ્લોર પર સૂઈ ગયા હતા. Varanasi Airport, SpiceJet flight delayed for 8 hours, Passengers Got Angry, Passengers slept on the Floor of Varanasi airport

સ્પાઈસ જેટની ફ્લાઈટ 8 કલાક પડી મોડી, વારાણસી એરપોર્ટના ફ્લોર પર સૂઈ ગયા પ્રવાસીઓ
સ્પાઈસ જેટની ફ્લાઈટ 8 કલાક પડી મોડી, વારાણસી એરપોર્ટના ફ્લોર પર સૂઈ ગયા પ્રવાસીઓ

વારાણસી વાતપુરના લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ વચ્ચે ઓપરેટ થતી સ્પાઈસ જેટ એરલાઈન્સની ફ્લાઈટ બુધવારે સાડા આઠ કલાકથી વધુ મોડી (SpiceJet flight delayed for 8 hours) પડી હતી, જેના કારણે એરપોર્ટ પર પહોંચેલા પ્રવાસીઓ વારાણસીથી અમદાવાદ જવા માટે રાહ જોઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં ઘણા પ્રવાસીઓ ટર્મિનલ બિલ્ડિંગમાં ફ્લોર પર સૂઈ (Passengers slept on the Floor of Varanasi airport) ગયા હતા. ફ્લાઈટ મોડી પડવાને કારણે પ્રવાસીઓ અને એરલાઈન કર્મચારીઓ વચ્ચે ઘણી ઉગ્ર ઝઘડો પણ થયો હતો.

સ્પાઈસ જેટ એરલાઈન્સની ફ્લાઈટ સાડા આઠ કલાક થઈ મોડી સ્પાઈસ જેટ એરલાઈન્સની ફ્લાઈટ SG 596 (SpiceJet Airlines Flight SG 596) વારાણસી એરપોર્ટથી (Varanasi Airport) અમદાવાદ માટે બપોરે 1:30 વાગ્યે ઉપડે છે. બુધવારે આ જ પ્લેન અમદાવાદથી સાડા આઠ કલાક મોડા ઉપડ્યું હતું. એરલાઇન્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઇટ મોડી પડી હતી. આવી સ્થિતિમાં આ પ્લેનમાં અમદાવાદ જતા મુસાફરોને રાત સુધી એરપોર્ટ પર રાહ જોવી પડી હતી.

મુસાફરોએ લગાવ્યો આરોપ એરક્રાફ્ટ પેસેન્જર્સે જણાવ્યું હતું કે, પ્લેન બપોરે દોઢ વાગ્યે એરપોર્ટ પરથી ટેકઓફ કરે છે. આવી સ્થિતિમાં મુસાફરો ચેક-ઇન માટે લગભગ 2 કલાક પહેલા એરપોર્ટ પહોંચી ગયા હતા. મુસાફરોનો આરોપ છે કે, એરલાઈન્સ મેનેજમેન્ટ દ્વારા સાચી માહિતી આપવામાં આવી નથી. પહેલા કહેવામાં આવ્યું કે, પ્લેન 2 કલાક, પછી 5 કલાક અને પછી 7 કલાક મોડું થયું. આવી સ્થિતિમાં બપોરના સમયે એરપોર્ટ પહોંચેલા મુસાફરો ભૂખ અને તરસથી પીડાવા લાગ્યા હતા.

પ્રવાસીઓએ અમદાવાદ એરપોર્ટ પર મચાવ્યો હતો હંગામો પ્લેનની રાહ જોતા લાંબો સમય વીતી ગયા બાદ પ્રવાસીઓ અને એરલાઇન કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જો કે વારાણસીમાં એરલાઇન મેનેજમેન્ટ દ્વારા મુસાફરો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે જ સમયે આ પ્લેનમાં અમદાવાદથી વારાણસી આવતા પ્રવાસીઓએ અમદાવાદ એરપોર્ટ પર હંગામો મચાવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને સમજાવવા CISFના જવાનોએ આગળ આવવું પડ્યું હતું. તેનો વીડિયો પણ એક મુસાફરે ટ્વીટ કર્યો છે. લાંબા સમય બાદ ફ્લાઈટ મોડી પડતા વારાણસીમાં પ્લેનની રાહ જોઈ રહેલા પ્રવાસીઓ જમીન પર સૂઈ ગયા હતા. દેશના મેટ્રો એરપોર્ટ પર પ્રવાસીઓના બેસવાની સાથે સાથે સૂવાની પણ વ્યવસ્થા છે, પરંતુ વારાણસીમાં આવી કોઈ સુવિધા નથી. આ જ કારણ હતું કે મુખ્ય ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવાસીઓને ફ્લોર પર સૂવું પડ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.