ETV Bharat / bharat

Sameer Wankhede Tenure : સમીર વાનખેડેનો NCBમાં 31 ડિસેમ્બરે કાર્યકાળ થશે પૂર્ણ

author img

By

Published : Dec 18, 2021, 12:04 PM IST

Updated : Dec 18, 2021, 1:02 PM IST

Sameer wankhede event : સમીર વાનખેડેસની NCBની ઘટના 31 ડિસેમ્બરે પૂરી થશે
Sameer wankhede event : સમીર વાનખેડેસની NCBની ઘટના 31 ડિસેમ્બરે પૂરી થશે

ભારતીય મહેસૂલ સેવા(IRS- Indian Revenue Service officer) અધિકારી સમીર વાનખેડેનો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)માં કાર્યકાળ 31 ડિસેમ્બરે સમાપ્ત(Sameer Wankhede eventful NCB stint to end on December 31) થશે. વાનખેડે(sameer wankhede tenure) IRSના 2008 બેચના ભારતીય મહેસૂલ સેવા અધિકારી, સપ્ટેમ્બર 2020 થી NCBમાં પ્રતિનિયુક્તિ પર છે અને એન્ટી-ડ્રગ્સ એજન્સીના મુંબઈ ઝોનલ ડિરેક્ટર છે.

મુંબઈ: ભારતીય મહેસૂલ સેવા (IRS- Indian Revenue Service officer) અધિકારી સમીર વાનખેડેનો(sameer wankhede tenure) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં વિવાદાસ્પદ કાર્યકાળ 31 ડિસેમ્બરે પૂરો થશે(Sameer Wankhede eventful NCB stint to end on December 31) તેવી માહિતી મળી રહી છે. વાનખેડે, IRS ના 2008 બેચના ભારતીય મહેસૂલ સેવા અધિકારી, સપ્ટેમ્બર 2020 થી NCBમાં પ્રતિનિયુક્તિ પર છે અને એન્ટી-ડ્રગ્સ એજન્સીના મુંબઈ ઝોનલ ડિરેક્ટર છે. આ પહેલા તેઓ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સમાં(DRI) હતા.

વાનખેડે સુશાંતની આત્મહત્યા સામેની કાર્યવાહીમાં સામેલ હતા

NCBના ઝોનલ ડિરેક્ટર(Zonal Director of NCB) તરીકે, વાનખેડે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા બાદ ડ્રગ સિન્ડિકેટ સામેની કાર્યવાહીમાં સામેલ હતા. આ સિન્ડિકેટમાં કથિત રીતે બોલિવૂડ કલાકારો સામેલ છે.

આ વર્ષે ઑક્ટોબરમાં, વાનખેડેની આગેવાની હેઠળની ટીમે, મુંબઈના દરિયાકાંઠે ક્રૂઝ જહાજ પર દરોડા(Raids on a cruise ship off the coast of Mumbai) દરમિયાન, કથિત રીતે ડ્રગ્સ જપ્ત કરવાનો અને અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન સહિત અન્ય લોકોની ધરપકડ કરવાનો દાવો કર્યો હતો. પરંતુ પાછળથી દરોડા દરમિયાન NCB દ્વારા ઉપયોગમાં લેવાતા સ્વતંત્ર સાક્ષીઓની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે NCB અધિકારીઓએ શાહરૂખ ખાન પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો.

વાનખેડે મુસ્લિમ પરિવારમાં જન્મ્યાઃ નવાબ મલિક

મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકે વાનખેડે પર પ્રહાર(Maharashtra Minister Nawab attacks Wankhede) કરતા આરોપ લગાવ્યો હતો કે, વાનખેડે મુસ્લિમ પરિવારમાં જન્મ્યા હતા પરંતુ નકલી જાતિ પ્રમાણપત્ર મેળવીને અનુસૂચિત જાતિ અનામત હેઠળ નોકરી મેળવી હતી.

વાનખેડેને ક્યાં પોસ્ટ કરવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી

વાનખેડેએ આરોપને નકારી કાઢ્યો અને તેના પિતાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP) નેતા મલિક સામે માનહાનિનો દાવો કર્યો. આ ઉપરાંત મળતી માહિતી મુજબ NCBમાં ડેપ્યુટેશન સમાપ્ત થયા પછી વાનખેડેને ક્યાં પોસ્ટ કરવામાં આવશે તે હજુ સ્પષ્ટ નથી.

આ પણ વાંચોઃ NCB અધિકારી સમીર વાનખેડે સામે શો કોઝ નોટિસ ફટકારી

આ પણ વાંચોઃ સરકારી મહેમાનો ટૂંક સમયમાં મારા ઘરે આવી શકે છે, અમે તેમનું સ્વાગત કરીએ છીએ: નવાબ મલિક

Last Updated :Dec 18, 2021, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.