ETV Bharat / bharat

ભારે ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રામાં અલ્પવિરામ પથરાવ હાઈવે પર જોખમ

author img

By

Published : Aug 16, 2022, 3:49 PM IST

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં વરસાદ ન હોવા છતાં ભૂસ્ખલન Landslides in Uttakhand રહ્યું છે. જેની માઠી અસર વાહનવ્યહાર Massive Traffic jam on National highway પર થઈ રહી છે. રુદ્રપ્રયાગ જિલ્લા મુખ્યાલયથી થોડે દૂર કેદારનાથ હાઈવે પર વિશાળ ખડકો અને પથ્થરો પડ્યા હતા. જેના કારણે હાઈવે બ્લોક થઈ ગયો હતો. પરંતુ કેટલાક લોકો પોતાના જીવની ચિંતા કર્યા વગર પથ્થરની વચ્ચેથી વાહન ચલાવી રહ્યા છે.

ભારે ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રામાં અલ્પવિરામ પથરાવ હાઈવે પર જોખમ
ભારે ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રામાં અલ્પવિરામ પથરાવ હાઈવે પર જોખમ

રુદ્રપ્રયાગઃ ઉત્તરાખંડના કેદારનાથ હાઈવે (Kedarnath Highway Uttrakhand) પર વરસાદ વગર પણ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની (Landslides in Uttrakhand) ઘટના બની હોવાની વિગત સામે આવી રહી છે. અહીં આવેલા પહાડમાં તિરાડ પડી રહી છે. જેના કારણે કલાકો સુધી ટ્રાફિક (Massive Traffic Jam on National Highway) જામ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની અસર ચારધામ યાત્રા પર પણ પડી રહી છે. અહીં ટેકરીઓ પર તિરાડ પડી રહી છે. આવા સ્થળોએ પણ ઘણા ટુ-વ્હીલર ચાલકો પોતાનો જીવ જોખમમાં મૂકી વાહન ચલાવી રહ્યા છે. કેદારનાથ હાઈવે પર રૂદ્રપ્રયાગ તાલુકા પાસે હાઈવે પર પડેલા પથ્થરો જોઈ શકાય છે. તૂટેલા પથ્થરમાંથી લોકો પોતાના વાહનોને ખસેડવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ છેલ્લા ચાર મહિનામાં 79 લાખથી વધુ બાળ આધાર કાર્ડ ઈસ્યુ

ભૂસ્ખલનની યથાવતઃ પર્વતીય વિસ્તારોમાં વરસાદની સીઝન પૂર્ણ થઈ રહી છે. પણ ઊંચા પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનની પ્રક્રિયા યથાવત રહી છે. વરસાદમાં કાચા બની ગયેલા રસ્તાઓ પર તૂટી રહ્યા છે. જ્યારે ભૂસ્ખલનને કારણે પહાડ પરથી પથ્થરો ધસી રહ્યા છે. સ્લાઇડિંગ ઝોનમાં ખાસ કરીને કેદારનાથ હાઇવે પર વારંવાર ભૂસ્ખલન થાય છે. જેના કારણે કેદારનાથ યાત્રાને પણ અસર થઈ રહી છે અને મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. ભૂસ્ખલન સ્થળોએ સ્થાનિક લોકો અને હાઇવે પર મુસાફરી કરતા યાત્રાળુઓ પણ બેદરકારી દાખવી રહ્યા છે.

આ પણ વાંચોઃ સેનાના વાહનને નડ્યો અકસ્માત, 7 જવાનો શહીદ અનેક ઇજાગ્રસ્ત

જોખમી સવારીઃ ભૂસ્ખલનના સ્થળોએ પહાડ પરથી તૂટેલા ખડકો વચ્ચેથી લોકો આગળ વધી રહ્યા છે. આવા ખડકોમાંથી અવરજવર જોખમી સાબિત થઈ શકે છે. આવું જ કંઈક રુદ્રપ્રયાગ જિલ્લા મુખ્યાલયથી પાંચ કિલોમીટરના અંતરે પણ જોવા મળ્યું હતું. અહીં પથ્થર તૂટવાને કારણે હાઈવે બંધ થઈ ગયો હતો. બન્ને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેને ધ્યાનમાં લીધા વિના, કેટલાક ટુ-વ્હીલર સવારો એટલી ઉતાવળમાં હતા કે તેઓ હાઇવે ખુલવાની રાહ જોતા ન હતા. જીવના જોખમે, પથ્થર વચ્ચેથી વાહન લઈને જતા જોવા મળ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.