ETV Bharat / bharat

Republic Day 2022: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન, દેશવાસીઓને કરી આ હાકલ

author img

By

Published : Jan 25, 2022, 8:41 PM IST

Republic Day 2022: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન, દેશવાસીઓને કરી આ હાકલ
Republic Day 2022: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિનું સંબોધન, દેશવાસીઓને કરી આ હાકલ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે 73માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સંબોધિત કર્યા (ram nath kovind address to nation). તેમણે દેશ અને વિદેશમાં વસતા તમામ ભારતના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કોરોનાને લઇને પણ દેશવાસીઓને નિયમોને અનુસરવા જણાવ્યું હતું.

નવી દિલ્હી: ગણતંત્ર દિવસ (Republic Day 2022)ની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને સંબોધિત (ram nath kovind address to nation) કર્યા. તેમણે કહ્યું કે, 26 જાન્યુઆરીનો દિવસ એ મહાન નાયકોને યાદ કરવાનો પણ પ્રસંગ છે જેમણે સ્વરાજના સ્વપ્નને સાકાર કરવા માટે અજોડ હિંમત બતાવી અને તેના માટે લડવા દેશવાસીઓનો ઉત્સાહ જગાડ્યો.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝને કર્યા યાદ

રાષ્ટ્રપતિએ કહ્યું કે, 2 દિવસ પહેલા, 23મી જાન્યુઆરીએ આપણે બધા દેશવાસીઓએ 'જય હિંદ'નો ઉદ્ઘોષ કરનારા નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ (125th birth anniversary of netaji) પર તેમને યાદ કર્યા છે. સ્વતંત્રતા માટેની તેમની તત્પરતા અને ભારતને ગૌરવ અપાવવાની તેમની મહત્વાકાંક્ષા આપણા બધા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેમણે કહ્યું કે, આપણે અત્યંત ભાગ્યશાળી છીએ કે, તે યુગની શ્રેષ્ઠ હસ્તીઓએ આપણું બંધારણ ઘડનાર વિધાનસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું. તે લોકો આપણા મહાન સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય ધ્વજવાહક હતા.

આ પણ વાંચો: Republic Day 2022: 384 લોકોને વીરતા પુરસ્કારની જાહેરાત, નીરજ ચોપરાને મળશે પરમ વિશિષ્ટ સેવા મેડલ

દેશવાસીઓએ નિભાવેલી ફરજની કરી પ્રશંસા

રાષ્ટ્રપતિએ કહ્યું, આહ્વાન કરવામાં આવતા રાષ્ટ્રની સેવા કરવાની મૂળભૂત ફરજ નિભાવતા આપણા કરોડો દેશવાસીઓએ સ્વચ્છતા અભિયાનથી લઈને કોવિડ રસીકરણ (Vaccination In India) અભિયાન સુધી જન આંદોલનનું સ્વરૂપ આપ્યું છે. આવા અભિયાનોની સફળતાનો મોટો શ્રેય આપણા ફરજ બજાવતા નાગરિકોને જાય છે. તેમણે કહ્યું કે, વર્ષ 1930માં મહાત્મા ગાંધીએ દેશવાસીઓને 'પૂર્ણ સ્વરાજ દિવસ' (purna swaraj day) કેવી રીતે ઉજવવો તે સમજાવ્યું હતું. બને તેટલું રચનાત્મક કાર્ય કરવાનો ગાંધીજીનો આ ઉપદેશ હંમેશા પ્રાસંગિક રહેશે.

કોરોના વિરુદ્ધ અસાધારણ દ્રઢ સંકલ્પનું પ્રદર્શન કર્યું

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગાંધીજી ઈચ્છતા હતા કે આપણે આપણી અંદર જોઈએ, આત્મનિરીક્ષણ કરીએ અને વધુ સારા માનવી બનવાનો પ્રયત્ન કરીએ અને પછી બહાર પણ જોઈએ, લોકો સાથે સહયોગ કરીએ અને વધુ સારા ભારત અને વધુ સારા વિશ્વના નિર્માણમાં આપણો ભાગ ભજવીએ. તેમણે કહ્યું કે, મને કહેતા ગર્વની લાગણી થાય છે કે, આપણે કોરોના વાયરસ (Corona In India) સામે અસાધારણ દ્રઢ સંકલ્પ અને કાર્યક્ષમતાનું પ્રદર્શન કર્યું છે.

આ પણ વાંચો: REPUBLIC DAY 2022 : દેશમાં ગણતંત્ર દિવસ 2022ની તૈયારીઓ પૂરજોશમાં, જૂઓ તસવીરો

જ્યાં સુધી કોરોના દૂર ન થાય ત્યાં સુધી નિષ્ણાતોના સૂચનોનું પાલન કરવું

રાષ્ટ્રપતિએ કહ્યું, અસંખ્ય પરિવારો ભયંકર આફતના સમયગાળામાંથી પસાર થયા છે. અમારી સામૂહિક પીડા વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. પરંતુ એક જ આશ્વાસન એ છે કે, ઘણા લોકોના જીવ બચાવી શકાયા છે. તેમણે કહ્યું કે, કોવિડ રોગચાળા સામેની લડાઈમાં વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી સાવચેતીનું પાલન (Corona Guidelines India) કરવું એ આજે ​​દરેક દેશવાસીઓનો રાષ્ટ્રીય ધર્મ બની ગયો છે. જ્યાં સુધી આ સંકટ દૂર ન થાય ત્યાં સુધી આપણે આ રાષ્ટ્રધર્મનું પાલન કરવાનું છે.

ડૉક્ટરો અને નર્સોએ માનવતાની સેવા કરી

તેમણે જણાવ્યું કે, મુશ્કેલ પરિસ્થિતિઓમાં લાંબો સમય કામ કરીને, ત્યાં સુધી કે દર્દીઓની દેખભાળ માટે પોતાનો જીવ જોખમમાં નાંખીને પણ ડોકટરો, નર્સો અને પેરામેડિક્સે માનવતાની સેવા કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.