ETV Bharat / bharat

યુદ્ધ સમયે આપવામાં આવતો ત્રીજો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'વીર ચક્ર' અભિનંદનના નામે

author img

By

Published : Nov 22, 2021, 4:44 PM IST

પાકિસ્તાનના F-16 ફાઇટર જેટને ધ્વસ્ત કરનાર કેપ્ટન અભિનંદન વર્ધમાનને વીરચક્ર અપાતા સમયે રાષ્ટ્રપતિ ભવન તાળિઓના ગળગળાટથી ગુંજી ઊઠ્યું હતું. અભિનંદનને પરત લાવવા માટે ભારતે વ્યૂહરચના ઘડી હતી. આ સાથે જ તેને 1 માર્ચ 2019ના રોજ જિનીવા સંધિ હેઠળ આઝાદ કરાયો હતો. અને તેઓને કડક સરંક્ષણ હેઠળ 'વાઘા-અટારી બોર્ડર' (Vagha atari Boarder) દ્વારા વતન લવાયા હતા.

યુદ્ધ સમયે આપવામાં આવતો ત્રીજો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'વીર ચક્ર' અભિનંદનના નામે
યુદ્ધ સમયે આપવામાં આવતો ત્રીજો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર 'વીર ચક્ર' અભિનંદનના નામે

  • અભિનંદનને રાષ્ટ્રપતિના હસ્તે 'વીરચક્ર' મળ્યું
  • સમારોહમાં તેમને 'વીરચક્ર' આપીને સન્માનિત કરાયા
  • સાંસદ અયાઝ સાદિકે સનસનાટીભર્યો ખુલાસો કર્યો

નવી દિલ્લી: યુદ્ધ દરમિયાન પાકિસ્તાની F-16 ફાઇટર જેટને મારનાર અભિનંદન વર્ધમાનને સોમવારના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ( Rastrapati Ramnath covind) દ્વારા સુશોભન સમારોહમાં તેમને વીરચક્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. યુદ્ધ સમયે આપવામાં આવતો આ ત્રીજો સર્વોચ્ચ પુરસ્કાર છે. 27 ફેબ્રુઆરી જમ્મુ-કાશમીરમાં રાજૌરી-મેંઢોરના સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલ (LOC) ઉપર પાકિસ્તાની ફાઇટર જેટને અટકાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, વિંગ કમાન્ડર અભિનંદનનું (Wing Comander Abhinandan) મિગ-21 બાઇસન પ્લેન પાકિસ્તાની F-16 એરક્રાફ્ટ સાથે ડોગફાઇટ કરતી વખતે ક્રેશ થયું અને તે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (પીઓકે) બોર્ડર પર પહોંચ્યો, જયાં તેમણે પેરાશૂટની મદદથી લેન્ડિંગ કર્યું હતું. પરંતુ ત્યાં તેમના પર પાકિસ્તાન તરફથી હુમલો કરવાામાં આવ્યો હતો ત્યાં તરત જ પાકિસ્તાન સૈનિકોએ કમાંડર અભિનંદનને પકડી પાડ્યો હતો, તેના દ્વારા અભિનંદનનો એક વીડિયો પણ જાહેર કરાયો હતો. જેમાં તેની આંખ ઉપર પાટા બાંધેલા અને લોહીથી લથપથ જોવા મળ્યા હતા. પાકિસ્તાને તેને સતત ત્રણ દિવસ સુધી બંધક બનાવી રાખ્યો હતો.

આ પણ વાંચો: પઠાણકોટ આર્મી કેમ્પ પાસે ગ્રેનેડ હુમલો, હાઈએલર્ટ જાહેર

સાંસદ અયાઝ સાદિકે સનસનાટીભર્યો ખુલાસો કર્યો

અભિનંદનને પરત લાવવા માટે ભારતે વ્યૂહરચના ઘડી હતી. આ સાથે જ તેને 1 માર્ચ 2019ના રોજ જિનીવા સંધિ હેઠળ આઝાદ કરાયો હતો. અને તેઓને કડક સરંક્ષણ હેઠળ વાઘા-અટારી બોર્ડર (Vagha atari Boarder) દ્વારા વતન લવાયા હતા. આપને જણાવી દઈએ કે પાકિસ્તાનના સાંસદ અયાઝ સાદિકે ભારતીય સેનાના વિંગ કમાન્ડર અભિનંદનના (Wing Comander Abhinandan) છોડવા અંગે સનસનાટીભર્યો ખુલાસો કર્યો હતો. સાદિકનો દાવો છે કે પાકિસ્તાનને ભય હતો કે કયાંક ભારત હુમલો ન કરી દે, આ ડરને કારણે પાકિસ્તાને અરાજકતા વચ્ચે વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો. નેશનલ એસેમ્બલીના એક ભાષણ દરમિયાન પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા અયાઝ સાદિકના કહેવા પ્રમાણે વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ એક મહત્વપૂર્ણ બેઠકમાં કહ્યું હતું કે જો પાકિસ્તાન અભિનંદનને નહીં છોડે તો ભારત તે જ રાત્રીના 9 વાગ્યે પાકિસ્તાન પર હુમલો કરી દેશે.

આ પણ વાંચો: Vibrant Gujarat 2022: સમિટ પહેલાં જ 24,185 કરોડ રૂપિયાના થયા MoU, કામ ઝડપથી શરૂ કરવા CMનું આહ્વાન

અભિનંદનને મુક્ત કરવાની કોશીશ

પીએમએલ-એનના નેતાએ વિપક્ષી નેતાઓને જણાવ્યા મુજબ કુરેશીએ પીપીપી અને પીએમએલ-એન અને આર્મી ચીફ જનરલ 'કમર જાવેદ' બાજવા સહિતના સંસદીય નેતાઓ સાથેની બેઠકમાં અભિનંદનને મુક્ત કરવા કહ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.