ETV Bharat / bharat

રાહુલની થઇ સફળ સર્જરી, થોડા મહિનાઓમાં જોવા મળશે મેદાન પર

author img

By

Published : Jun 30, 2022, 3:58 PM IST

સર્જરી બાદ ભારત પરત ફર્યા બાદ રાહુલનું(Rahul has a successful surgery) પુનર્વસન નેશનલ ક્રિકેટ એકેડમી (National Cricket Academy)ની સ્પોર્ટ્સ સાયન્સ ટીમના વડા ડૉ. નીતિન પટેલના નેતૃત્વમાં શરૂ થશે. રાહુલની વાપસીની સમય મર્યાદા નક્કી કરી શકાતી નથી પરંતુ તેને ભારતીય ટીમમાં પુનરાગમન કરવામાં(Rahul s return to Indian team) હજુ થોડા મહિનાનો સમય લાગી શકે છે.

રાહુલની થઇ સફળ સર્જરી
રાહુલની થઇ સફળ સર્જરી

નવી દિલ્હી : ભારતના વરિષ્ઠ ઓપનર અને નિયમિત વાઇસ-કેપ્ટન લોકેશ રાહુલનું જર્મનીમાં સ્પોર્ટ્સ હર્નિયાનું સફળ ઓપરેશન થયું(Rahul has a successful surgery) છે. તે હજુ થોડા મહિનાઓ માટે ક્રિકેટમાંથી બહાર રહે તેવી શક્યતાઓ છે. રાહુલ, જે આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલું T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. તે વર્ષોથી જંઘામૂળમાં તાણ અને પગના સ્નાયુઓની ઈજા સહિત તેના પેટના નીચેના ભાગને લગતી ફિટનેસ સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે.

  • Hello everyone. It's been a tough couple of weeks but the surgery was successful. I'm healing and recovering well. My road to recovery has begun. Thank you for your messages and prayers. See you soon 🏏♥️ pic.twitter.com/eBjcQTV03z

    — K L Rahul (@klrahul) June 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો - ભારતના પૂર્વ ક્રિકેટર BCAની રણજી ટીમના મેન્ટોર બન્યા

રાહુલે ટ્વીટ કરીને આપી જાણકારી - રાહુલે ટ્વીટ કર્યુંને જણાવ્યું કે, “છેલ્લા કેટલાક અઠવાડિયા અઘરા રહ્યા પરંતુ સર્જરી સફળ રહી. હું સાજો થઈ રહ્યો છું. મારી પુનઃપ્રાપ્તિની સફર શરૂ થઈ ગઈ છે. તમારા સંદેશાઓ અને પ્રાર્થનાઓ બદલ તમારો આભાર વ્યક્ત કરુ છું. ટૂંક જ સમયમાં ફરી મળીશું. રાહુલ રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં ભારતના સૌથી સફળ બેટ્સમેનોમાંનો એક છે અને ઓસ્ટ્રેલિયામાં આગામી T20 વર્લ્ડ કપમાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો - Wimbledon 2022: ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ 1લી જ મેચમાં હાર સાથે બહાર થઈ ગઈ

રાહુલના કરિયર પર એક નજર - છેલ્લા આઠ વર્ષમાં, 30 વર્ષીય ખેલાડીએ ભારત માટે 42 ટેસ્ટ, 42 વન-ડે અને 56 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ થકી જણાવવામાં આવ્યું છે કે, રાહુલ થોડા દિવસો આરામ કરશે અને પછી એનસીએમાં તેનું પુનર્વસન શરૂ થશે. નિયમિત નેટ સીઝન શરૂ થતાં થોડા અઠવાડિયા લાગશે અને ચાલો જોઈએ કે તે એશિયન કપમાં પુનરાગમન કરી શકશે કે કેમ, તે હજુ નક્કી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.