નવી દિલ્હી: પંજાબમાં, ભારતીય જનતા પાર્ટી (BJP), પૂર્વ મુખ્યપ્રધાન અમરિન્દર સિંહની પંજાબ લોક કૉંગ્રેસ અને સુખદેવ સિંહ ધીંડસાની શિરોમણી અકાલી દળ (SAD) (યુનાઈટેડ) સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતે સોમવારે આ જાણકારી આપી.
ભગવા પક્ષના ટોચના નેતાઓને મળ્યા
અગાઉ, પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને નવા રચાયેલા પંજાબના લોક કૉંગ્રેસના (Punjab Lok Congress )નેતા અમરિન્દર સિંહ અને રાજ્યસભાના સભ્ય ધીંડસાએ સોમવારે અહીં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના(Union Home Minister Amit Shah) નિવાસસ્થાને શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભગવા પક્ષના ટોચના નેતાઓને મળ્યા હતા.
ત્રણ પક્ષોના આ ગઠબંધનનો સંયુક્ત ઢંઢેરો હશે
શેખાવતે બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, "આજે ઔપચારિક રીતે જાહેરાત કરવામાં આવી છે કે ભાજપ, અમરિંદર સિંહની પાર્ટી અને ધીંડસાની પાર્ટી પંજાબમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ સાથે મળીને (BJP announces alliance in Punjab)લડશે."પંજાબમાં બીજેપીના ચૂંટણી પ્રભારી શેખાવતે જણાવ્યું હતું કે સીટ વહેંચણીના કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે દરેક પક્ષના બે નેતાઓનો સમાવેશ કરીને એક સંયુક્ત સમિતિની રચના કરવામાં આવશે.તેમણે જાહેરાત કરી હતી કે ત્રણ પક્ષોના આ ગઠબંધનનો સંયુક્ત ઢંઢેરો હશે.
પંજાબ વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત
મળતી માહિતી મુજબ આજે સવારે દિલ્હીમાં ભાજપ, પંજાબ લોક કૉંગ્રેસ (Punjab Lok Congress) અને શિરોમણિ અકાલી દળ (Shiromani Akali Dal )ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પંજાબના લોક કૉંગ્રેસના નેતા અમરિંદર સિંહ, અમિત શાહ, જેપી નડ્ડા અને સુખદેવ સિંહ ધીંડસા હાજર હતા. આ દરમિયાન ઘણી મહત્વની બાબતો પર ચર્ચા થઈ હતી. ભાજપે અગાઉ સિંહની પાર્ટી સાથે ગઠબંધન કરીને પંજાબ વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. હવે પંજાબ વિધાનસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવાની સાથે સીટોની વહેંચણી પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
ભાજપ પંજાબમાં 117માંથી 75 સીટો પર ચૂંટણી લડી શકે
બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે પાર્ટી ગઠબંધનની જાહેરાત કરી અને કહ્યું કે ત્રણેય પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડશે. બેઠક વહેંચણીના કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે દરેક પક્ષના બે નેતાઓની બનેલી સંયુક્ત સમિતિની રચના કરવામાં આવશે. તેમણે જાહેરાત કરી હતી કે ત્રણ પક્ષોના આ ગઠબંધનનો સંયુક્ત ઢંઢેરો હશે.સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ પંજાબમાં 117માંથી 75 સીટો પર ચૂંટણી લડી શકે છે. બાકીની બેઠકો પર કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ અને સુખદેવ સિંહ ધીંડસાની અકાલી દળ સંયુક્ત ચૂંટણી લડી શકે છે.
આ પણ વાંચોઃ Uttar Pradesh Assembly Election 2022: નારાજ બ્રાહ્મણોને મનાવવા માટે નડ્ડાએ ભાજપ સમિતિના સભ્યો સાથે કરી બેઠક
આ પણ વાંચોઃ Katrina Kaif Wishes Salman Birthday : કેટરીનાએ સલમાન ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, શેર કરી તસવીર