ETV Bharat / bharat

કોંગ્રેસ સાત વચનોમાં બંધાણી : પ્રિયંકા ગાંધીએ બારાબંકીમાં યાત્રાને લીલી ઝંડી આપી, કહ્યું- "અમે પતિજ્ઞા નિભાવીશું"

author img

By

Published : Oct 23, 2021, 8:15 PM IST

ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ (PRIYANKA GANDHI IN UP) 2022 ની વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2022) માટે પૂર્વાંચલના પ્રવેશદ્વાર બારાબંકીથી ચૂંટણી પ્રચારની ( PRATIGYA YATRA) શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે વિધાનસભા ચૂંટણી 2022ને લઈને સાત મોટી જાહેરાત કરી હતી.

PRIYANKA GANDHI FLAGS OFF CONGRESS PRATIGYA YATRA IN UTTAR PRADESH
PRIYANKA GANDHI FLAGS OFF CONGRESS PRATIGYA YATRA IN UTTAR PRADESH

  • કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ બારાબંકીથી પ્રચાર શરૂ કર્યો
  • પ્રિયંકા ગાંધીની જાહેરાતથી રાજ્યના રાજકીય વર્તુળોમાં હલચલ
  • કોંગ્રેસ નેતાએ ઉત્તરપ્રદેશની જનતા માટે આપ્યા સાત વચનો

બારાબંકી, ઉત્તરપ્રદેશ : કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (PRIYANKA GANDHI IN UP)શનિવારે વધુ એક માસ્ટરસ્ટ્રોક રમીને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. પ્રિયંકાએ સાત વચનો લીધા છે, જેને તેના ચૂંટણી (Assembly Election 2022) ઢંઢેરામાં સામેલ કરવામાં આવશે. આ દરમિયાન તેમણે પ્રતિજ્ઞા યાત્રાને ( PRATIGYA YATRA) લીલી ઝંડી આપી છે.

રાજ્યના રાજકીય કોરિડોરમાં ગભરાટ

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીએ બારાબંકીથી મોટી જાહેરાતો કરીને રાજકીય કોરિડોરમાં ગભરાટ પેદા કર્યો છે. તેમણે કહ્યું કે, મહિલાઓ રાજનીતિમાં આવ્યા વિના તેમની સમસ્યાઓ હલ નહીં થાય, તેથી કોંગ્રેસ પાર્ટી ટિકિટમાં મહિલાઓને 40 ટકા ભાગીદારી આપશે. તેમણે ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરવાની પણ જાહેરાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, જો કોંગ્રેસની સરકાર આવશે તો ડાંગર અને ઘઉંની સરકારી ખરીદી 2500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવશે.

શેરડીના ભાવ વધારવાનું વચન

શેરડીના ખેડૂતોને શેરડીના ભાવ વધારીને રૂપિયા 400 કરવામાં આવશે. એટલું જ નહીં, તેણે વીજળીનું બિલ અડધું કરવાની પણ જાહેરાત કરી છે. કોરોના સમયગાળાની બાકી રકમ દૂર કરવાની પણ જાહેરાત કરી છે. કોરોનાના આર્થિક ફટકાને કારણે પીડિત પરિવારોને 25 હજાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય તેમણે બેરોજગારો માટે મોટી જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું કે, 20 લાખ લોકોને રોજગારી આપવામાં આવશે.

વિધાનસભા ચૂંટણી થઈ રહી છે તૈયારી

કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ આજે શનિવારે ​​2022ની વિધાનસભા ચૂંટણી માટે પૂર્વાંચલના પ્રવેશદ્વાર બારાબંકીથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. તેમણે અહીં ઝૈદપુર વિધાનસભામાં જાહેર સભાને સંબોધી હતી. તે અહીં ખેડૂતો, મજૂરો, મહિલાઓ અને યુવાનો સહિત તમામ લોકોના વિકાસ માટે પ્રતિજ્ઞા લેશે. તેમણે સમગ્ર રાજ્યની મુલાકાત લેતા ચાર પ્રતિજ્ઞા પ્રવાસોમાંથી એકને લીલીઝંડી આપી હતી.

કોંગ્રેસ દ્વારા તમામ સંભવ પ્રયાસો

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પોતાની સફળતા માટે તમામ સંભવ પ્રયાસો શરૂ કરી દીધા છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યુપીની કમાન સંભાળી લીધી છે. પ્રિયંકા ગાંધી રાજ્યમાં હાંસિયામાં ધકેલાયેલી કોંગ્રેસ પાર્ટીને તેની જૂની સ્થિતિ પર લાવવાનો પ્રયાસ કરી રહી છે.

કોંગ્રેસની સાત પતિજ્ઞા

  • ટિકિટમાં મહિલાઓનો 40 ટકા હિસ્સો
  • વિદ્યાર્થિનીઓને સ્માર્ટફોન અને સ્કૂટી
  • ખેડૂતોની સંપૂર્ણ લોન માફ
  • 2500 માં ઘઉંનું ડાંગર, શેરડીના ખેડૂતને 400 મળશે
  • વીજળીનું બિલ દરેકનું અડધું, કોરોના સમયગાળાના બાકી લેણાં મંજૂર
  • કોરોનાની આર્થિક અસર દૂર કરાશે, પરિવારને 25 હજાર આપશે
  • 20 લાખ સરકારી નોકરી

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.