ETV Bharat / bharat

Pm Modi Addresses Nation: જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોને રસી, ફ્રન્ટ લાઇન વર્કર અને વૃદ્ધોને બૂસ્ટર ડોઝ: વડાપ્રધાન મોદી

author img

By

Published : Dec 26, 2021, 8:36 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન (Announcement of Narendra Modi) કરીને કહ્યું હતું કે, દેશમાં 15 વર્ષથી 18 વર્ષની વયના બાળકો માટે રસીકરણ (Vaccination For Children) શરૂ થશે. તે 3 જાન્યુઆરી 2022, સોમવારથી શરૂ થશે.

PM MODI ADDRESSES NATION
PM MODI ADDRESSES NATION

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) શનિવારે રાત્રે રાષ્ટ્રને તેમના સંબોધનમાં (Pm Modi Addresses Nation) જાહેરાત કરી હતી કે, 3 જાન્યુઆરીથી 15 વર્ષથી 18 વર્ષની વયના બાળકોને રસી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, સરકારે નિર્ણય લીધો છે કે 10 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર્સને હેલ્થ કેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને પ્રી-કૉશન ડોઝ જૅબ (Precaution Dose Jabs) આપવામાં આવશે. આ સાથે જ 10 જાન્યુઆરીથી 60 વર્ષથી વધુ ઉંમરના અથવા ગંભીર બીમારીથી પીડિત વૃદ્ધોને પણ ડૉક્ટરની સલાહ પર પ્રી-કન્સ્યુશન ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

ફ્રન્ટલાઈન કામદારો માટે પણ રસીના સાવચેતી ડોઝ શરૂ કરાશે: નરેન્દ્ર મોદી

કોરોના સામેની લડાઈમાં આરોગ્ય કર્મચારીઓ અને અગ્ર હરોળના જવાનોના યોગદાનને યાદ કરતા વડાપ્રધાને કહ્યું કે, દેશને સુરક્ષિત રાખવામાં તેમનું મોટું યોગદાન છે. વડાપ્રધાને કહ્યું તેથી સાવચેતીના દૃષ્ટિકોણથી સરકારે નિર્ણય લીધો છે કે આરોગ્યસંભાળ અને ફ્રન્ટલાઈન કામદારો માટે પણ રસીના સાવચેતી ડોઝ શરૂ કરવામાં આવશે. તે 2022માં 10 જાન્યુઆરી સોમવારના રોજ શરૂ થશે.

વડાપ્રધાને દેશવાસીઓને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી

આ સાથે જ વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે, 60 વર્ષથી વધુ ઉંમરના સહ- રોગ ધરાવતા નાગરિકો માટે તેમના ડૉક્ટરની સલાહ પર રસીના સાવચેતી ડોઝનો વિકલ્પ પણ તેમના માટે ઉપલબ્દ્ધ રહેશે. આ પણ 10 જાન્યુઆરીથી ઉપલબ્દ્ધ થશે. આ નિર્ણય માત્ર કોરોના વાઈરસ સામેની દેશની લડાઈને જ મજબૂત નહીં બનાવે તેનાથી શાળા- કોલેજોમાં જતા બાળકો અને તેમના માતા- પિતાની ચિંતા પણ ઓછી થશે. આ અવસર પર તેમણે દેશવાસીઓને કોઈપણ પ્રકારની અફવાથી દૂર રહેવા અને કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોનથી સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો.

ઓમિક્રોનથી ડરવાની જરૂર નથી, ફક્ત દિશાનિર્દેશોનું પાલન કરો: નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, ઓમિક્રોનનું સંક્રમણ (Omicron Cases) વધી રહ્યું છે પરંતુ તેનાથી ડરશો નહીં, સાવચેત રહો. તમામ દિશાનિર્દેશોનું પાલન કરો. કારણ કે આ કોરોના સામે લડવાનું એક મહાન શસ્ત્ર છે. આ સિવાય રસીકરણ પણ એક શસ્ત્ર છે. મહામારી સામે લડવાનો અમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે આ તમામ નાગરિકોના સામૂહિક પ્રયાસો અને સંકલ્પશક્તિનું પરિણામ છે કે આજે આપણે 140 કરોડનો લક્ષ્યાંક પાર કર્યો છે. 61 ટકા લોકોએ બન્ને ડોઝ લીધા છે. 90 ટકા લોકોને એક જ ડોઝ મળ્યો છે. દેશમાં 18 લાખ આઈસોલેશન બેડ, 5 લાખ ઓક્સિજન સપોર્ટેડ બેડ, 1.40 હજાર ICU બેડ, 90,000 બેડ ફક્ત બાળકો માટે છે. દેશમાં 3000થી વધુ PSA ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. આવશ્યક દવાઓના બફર ડોઝ તૈયાર કરવામાં રાજ્યોને મદદ કરવામાં આવી રહી છે.

દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 415 કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે, ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના ઓમિક્રોન સ્વરૂપના કુલ 415 કેસ (Omicron Cases) નોંધાયા છે, જેમાંથી 115 લોકો સ્વસ્થ થઈ ગયા છે અથવા દેશ છોડી ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 108 કેસ છે. આ પછી દિલ્હીમાં 79, ગુજરાતમાં 43, તેલંગાણામાં 38, કેરળમાં 37, તમિલનાડુમાં 34 અને કર્ણાટકમાં 31 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: વડોદરામાં ઓમિક્રોન પોઝિટિવ આવેલા લોકોના ઘરે પાલિકાએ માર્યુ નો એન્ટ્રીનું સ્ટીકર

આ પણ વાંચો: Covaxin For Children: 12થી 18 વર્ષના બાળકોને અપાશે કોવેક્સિન, DCGIએ આપી મંજૂરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.