ETV Bharat / bharat

Omicron Cases Analysed 2021 : 183માંથી 87ને રસીના બન્ને ડોઝ અને 3ને બૂસ્ટર ડોઝ લાગેલા હતાં, ગુજરાતમાં નોંધાયા કુલ 30 કેસ

author img

By

Published : Dec 25, 2021, 3:41 PM IST

Omicron Cases Analysed 2021 : 183માંથી 87ને રસીના બંને ડોઝ અને 3ને બૂસ્ટર ડોઝ લાગેલા હતાં, ગુજરાતમાં 30 કેસ
Omicron Cases Analysed 2021 : 183માંથી 87ને રસીના બંને ડોઝ અને 3ને બૂસ્ટર ડોઝ લાગેલા હતાં, ગુજરાતમાં 30 કેસ

ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટના (COVID-19 variant Omicron in India 2021) અત્યાર સુધી 358 કેસ સામે આવ્યા છે. તેના 183 કેસોની સરકારે સમીક્ષા (Omicron Cases Analysed 2021) કરી હતી. જેમાં 87 દર્દીઓને રસીના બંને ડોઝ લાગેલાં હતાં. જ્યારે 3 એ બૂસ્ટર ડોઝ લીધેલો હતો. આમાંથી 121 લોકો વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં હતાં.

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટના (COVID-19 variant Omicron in India 2021) અત્યાર સુધી 358 કેસ સામે આવ્યા છે. તેના 183 કેસોની સરકારે સમીક્ષા (Omicron Cases Analysed 2021) કરી હતી. જેમાં 87 દર્દીઓને રસીના બંને ડોઝ લાગેલાં હતાં જ્યારે 3 એ બૂસ્ટર ડોઝ લીધેલો હતો. આમાંથી 121 લોકો વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં હોવાની માહિતી સરકારે આપી છે.

70 ટકા કેસ લક્ષણો વિનાના છે

કેન્દ્રીય ગૃહ સચિવ રાજેશ ભૂષણે (Union Home Secretary Rajesh Bhushan ) જણાવ્યું હતું કે દેશના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં બે લોકોને આંશિક રીતે રસી આપવામાં આવી હતી, સાત લોકોને રસી આપવામાં આવી ન હતી, જ્યારે 16 લોકો રસીના ડોઝ માટે પાત્ર ન હતા. તેમ જ 73 લોકોની રસીકરણની સ્થિતિ જાણી શકાઈ (Omicron Cases Analysed 2021) નથી. "અત્યાર સુધી સમીક્ષા કરાયેલા ઓમિક્રોન 183 કેસમાંથી, 91 ટકા (87 કેસો) એવા લોકોના છે જેમને બંને રસી આપવામાં આવી છે. જ્યારે 3 કેસ - બે દિલ્હીમાં અને એક મુંબઈમાં - એવા લોકો છે જેમણે બૂસ્ટર ડોઝ મેળવ્યો છે. તો (COVID-19 variant Omicron in India 2021) 70 ટકા કેસ લક્ષણો વિનાના છે અને તેમાં 61 ટકા પુરુષો છે.

આ પણ વાંચોઃ Omicron case in India 2021: ઓમીક્રોન કેસની કુલ સંખ્યા વધીને 415 થઈ

18 વિશેની માહિતી હજુ ઉપલબ્ધ નથી

ભૂષણે કહ્યું કે 121 લોકોએ વિદેશ પ્રવાસ કર્યો હતો, જ્યારે ચેપગ્રસ્ત 44 લોકો વિદેશી પ્રવાસીઓના સંપર્કમાં આવ્યા હતાં અને 18 વિશેની માહિતી હજુ પણ ઉપલબ્ધ નથી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, 'તાજેતરમાં શોધાયેલા ક્લસ્ટરો સહિત ભારતમાં હજુ પણ ડેલ્ટા પેટર્ન પ્રવર્તે છે. તેથી, આપણે કોવિડ (COVID-19 variant Omicron in India 2021) સામે હાલમાં અમલમાં લવાતી રણનીતિ વાપરવાની અને રસીકરણ વધારવાની વર્તમાન વ્યૂહરચનાનું પાલન કરવાની જરૂર (Omicron Cases Analysed 2021) છે.

આ પણ વાંચોઃ Blast in Ludhiana Court Accused : પંજાબ પોલીસના બરતરફ જવાને કર્યો હતો બ્લાસ્ટ

ઓમિક્રોન વેરિયન્ટ સાથેનું સંક્રમણ ગંભીર રોગમાં પરિણમે તે જરૂરી નથી

ભૂષણે (Omicron Cases Analysed 2021) કહ્યું કે ભારતમાં અત્યાર સુધી મળી આવેલા તમામ કેસોમાંથી ત્રીજા ભાગના કેસો હળવા લક્ષણોવાળા છે અને બાકીના એસિમ્પટમેટિક છે. તેથી, હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે ઓમિક્રોન સંક્રમિત લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર પહેલાંની જેમ જ રહેશે. તે ડેલ્ટા, આલ્ફા અથવા બીટા સ્વરૂપથી અલગ નથી. સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ 'ઓમિક્રોન' ના 122 નવા કેસ નોંધાયા પછી દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસ વધીને 358 થઈ ગયા છે. તેમાંથી 114 લોકો સંક્રમણમુક્ત થઈ ગયા છે અથવા અન્ય સ્થળોએ જતાં રહ્યાં છે. આ કેસ 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે. મંત્રાલયે (COVID-19 variant Omicron in India 2021) શુક્રવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં 'ઓમિક્રોન' વેરિયન્ટના સૌથી વધુ 88 કેસ છે. દિલ્હીમાં 67, તેલંગાણામાં 38, તમિલનાડુમાં 34, કર્ણાટકમાં 31 અને ગુજરાતમાં (COVID-19 variant Omicron in Gujarat 2021) 30 કેસ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.