પુરી: કરાચીના હિંદુ શ્રદ્ધાળુઓએ શનિવારે રાત્રે ઓડિશાના તીર્થ નગર પુરીમાં પુરી જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી અને દેવતાનું સન્માન કર્યું હતું. પુરૂષો, મહિલાઓ અને બાળકો સહિત 45 લોકોનું જૂથ દેશભરના તમામ ધર્મસ્થાનોની મુલાકાત લેવાના ઈરાદા સાથે ભારત પહોંચ્યું હતું. તેઓએ તેમની સફર પુરી શ્રીમંદિરની મુલાકાત લઈને શરૂ કરી. દર્શન પહેલા તેમના પાસપોર્ટની તપાસ કરવામાં આવી હતી.
રાચીથી યાત્રા શરૂ : તેઓએ 11 જાન્યુઆરીએ કરાચીથી તેમની યાત્રા શરૂ કરી અને પુરીના તીર્થ નગરમાં પહોંચતા પહેલા ભારતના વિવિધ મહત્વપૂર્ણ મંદિરોની મુલાકાત લીધી. આ ભક્તો દર વર્ષે તેમના દેશમાં રથયાત્રા કરે છે. અમે છેલ્લા 14 વર્ષથી અહીં દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા હતા. કરાચીના એક ભક્તે મીડિયાને જણાવ્યું કે, જ્યારે અમે ભગવાન જગન્નાથને જોયા ત્યારે અમે રડી પડ્યા હતા. ભક્તોએ આવી તક માટે ભારત અને પાકિસ્તાન સરકારનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો: જ્યારે પ્રેમમાં ભગવાન પણ રડી પડ્યા, શું છે જગન્નાથની મોટી આંખોની વાર્તા
જગન્નાથની મોટી આંખોની વાર્તા: આમ તો જગન્નાથ પુરીમા પ્રખ્યાત દંતકથા પ્રમાણે ભગવાનને ઇન્દ્રધુમ્ર રાજાનુ સ્વપ્ન અને મૂર્તિનું સર્જનની વાર્તા ખુબ જ લોકપ્રિય છે, પણ જોવા જઈએ તો એક વાર્તા આ પણ છે, જે એટલી લોકપ્રિય નથી પણ વાંચકનું ધ્યાન ખેંચી લે એમ છે. આ દંતકથા ભગવાન જગન્નાથને કૃષ્ણના પ્રેમ સ્વરુપ સાથે સાક્ષાત્કાર કરાવશે, જેને એક ચોક્કસ નામ તરીકે પણ ઓળખવામાં આવે છે, રુક્ષમણીએ લીધી રાધાની પરિક્ષા.
Jagannath Rathyatra 2022: રોબો રથયાત્રા બની આકર્ષણનું કેન્દ્ર, વિજ્ઞાન-સંસ્કૃતિનો જોવા મળ્યો સમન્વય
રુક્ષમણીએ લીધી રાધાની પરિક્ષા: એક સમયે જ્યારે રુક્ષમણી કૃષ્ણને ગરમ દુધ આપી દે છે, એ પીને તેમના મોઢામાં "હે રાધે" આવી જાય છે, જો કે આ સાંભળતા જ રુક્ષમણીને ઈર્ષ્યા જન્મે છે અને રાધાજીની પરિક્ષા (Rukshmani taking radha exam) લેવાનું વિચારે છે. આ માટે તેઓ એક દાસને મોકલે છે, જે ત્યાં જઈને રાધાજીનો તાગ મેળવે છે, રાધાજી પોતાના સયનકક્ષમાં હોય છૂપી રીતે દાસ ત્યા જઇને રાધાજીના પગ ઉપર ગરમ પાણી રેડે છે અને રુક્ષમણીના કહ્યા પ્રમાણે ઘટનાનું અવલોકન કરતો પાછો આવી જાય છે.
રાધાજીના દર્શન: રુક્ષમણીના કહ્યા પ્રમાણે જ દાસ જ્યારે પોછો આવે છે તો તેની પોસેથી રુક્ષમણી આખી વાત સાંભળે છે. વાત સાંભળતા જ રુક્ષમણીને ધક્કો લાગે છે, કારણ કે દાસના કહેવા પ્રમાણે રાધાજીના પગ પર પાણી રેડવાથી કોઈ ખાસ ફરક પડતો નથી અને રાધાજી તો શાંતિથી સુતા જ રહે છે. જો કો રુક્ષમણીને શંકા જતા તુરંત દોડીને કૃષ્ણના કક્ષમાં જાય છે. કૃષ્ણના કક્ષમાં પહોચતા જ રુક્ષમણીનું હૈયુ ધબકારો ચૂકી જાય છે અને જોયુ તો કૃષ્ણના પગ પર ગરમ પાણીના સોળ ઉપસી આવે છે. જેથી આ માટે તેમને રાધાજીના દર્શન કરવાની ઈચ્છા થઈ આવે છે.
રુક્ષમણીને પસ્તાવો: રુક્ષમણીને આ ઘટનાથી ખુબ જ દુખ થાય છે અને પસ્તાવો થતા પહેલા રાધાજીને મળવા જાય છે. રાધાજીને મળવા જાય છે તો જૂએ છે કે તેમને પગ પર નહી પણ આખા શરીરે સોળ ઉપસી આવે છે, જેની પુચ્છા કરતા રાધાજી કહે છે કે, મારા પગ પર ગરમ પાણી નાખતા પ્રભુને વેદના થઈ. મારા પ્રભુને તો તમે ગરમ દુધ આપતા તેમનુ હૈયુ બાળી નાખ્યુ અને એમના હૌયામાં તો હું વસુ છું. માટે જ મારા શરીર પર તેમની વેદના દેખાય છે અને આ જાણીને રુક્ષમણીને વધુ પસ્તાવો થઈ આવે છે.