ETV Bharat / bharat

Omicron In India: સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી- 59 દેશોમાં ફેલાયો ઓમિક્રોન, નિયમોનું પાલન કરવું જરૂરી

author img

By

Published : Dec 10, 2021, 9:24 PM IST

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે (joint secretary ministry of health and family welfare lav agarwal) જણાવ્યું હતું કે, 24 નવેમ્બર સુધીમાં ફક્ત 2 દેશો સુધી સીમિત ઓમિક્રોન 59 દેશોમાં ફેલાઈ (omicron variant in the world) ચૂક્યો છે. તેમણે ચેતવણી આપી કે, ઓમિક્રોનનું જીનોમ સિક્વન્સિંગ (genome sequencing of omicron variant) ચાલું છે અને લોકોએ તમામ જાહેર સલામતી નિયમોનું સખતપણે પાલન કરવું જોઈએ.

Omicron In India: સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી- 59 દેશોમાં ફેલાયો ઓમિક્રોન, નિયમોનું પાલન કરવું જરૂરી
Omicron In India: સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી- 59 દેશોમાં ફેલાયો ઓમિક્રોન, નિયમોનું પાલન કરવું જરૂરી

  • 59 દેશોમાં ઓમિક્રોનના 2936 કેસો સામે આવ્યા
  • હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે
  • અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓના સક્રિય પરીક્ષણની સૂચના

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે (joint secretary ministry of health and family welfare lav agarwal) કહ્યું કે, 24 નવેમ્બર સુધી ફક્ત 2 દેશોમાં ફેલાયેલો ઓમિક્રોન (omicron variant news) અત્યાર સુધી 59 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. આ 59 દેશોમાં 2936 ઓમિક્રોનના કેસો (omicron variant in the world) સામે આવ્યા છે. ભારતમાં (omicron in india) અત્યાર સુધી ઓમિક્રોન (omicron cases in india)ના 26 જેટલા કેસો આવ્યા છે. આ ઉપરાંત 78054 સંભવિત કેસો પણ સામે આવ્યા છે. તેની જીનોમ સિક્વન્સિંગ (genome sequencing of omicron variant) ચાલું છે.

વિદેશથી આવતા પ્રવાસીઓનું ટેસ્ટિંગ કરવા સૂચના

સંયુક્ત સચિવે કહ્યું કે, દેખરેખ, પ્રભાવશાળી સ્ક્રીનિંગ (corona screening in india), આંતરરાષ્ટ્રીય મુસાફરોની દેખરેખ અને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ (covid health infrastructure in india) કરવામાં આવી રહ્યું છે. રાજ્યોને તેમની દેખરેખ વધારવા અને અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓનું સક્રિય પરીક્ષણ (covid testing for international travelers) કરવા સૂચના આપવામાં આવી છે.

સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયોનું સતત પાલન કરવું જોઇએ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, WHOએ એ વાત પર પ્રકાશ ફેંક્યો કે રસીકરણ ઉપરાંત સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયોનું નિરંતર રીતે પાલન કરવામાં આવવું જોઇએ. પર્યાપ્ત સાવધાનીઓનું પાલન કરવાનું રહેશે. સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયોમાં ઢીલાસના કારણે યુરોપમાં કેસો (corona cases in europe)માં વધારો થયો છે.

આ પણ વાંચો: Omicron in India: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો? સરકારે બતાવી સતર્કતા

આ પણ વાંચો: Army Chief on Omicron: કોરોના હજી ખતમ નથી થયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.