ETV Bharat / bharat

Omicron in India: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો? સરકારે બતાવી સતર્કતા

author img

By

Published : Dec 8, 2021, 2:42 PM IST

શું કોરોનાની રસીના બંને ડોઝ લગાવી ચૂકેલા વ્યક્તિઓ પર ઓમિક્રોનની અસર (Corona vaccine effect on Omicron) નથી થતી. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયને જ્યારે આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો મંત્રાલયે જણાવ્યું હતું કે, અત્યાર સુધીના અભ્યાસમાં આ અંગે કંઈ પણ સ્પષ્ટ નથી કહેવામાં આવ્યું. હોઈ શકે છે કે, આપણી રસી ઓમિક્રોન સામે પણ અસરકારક હોય. મંત્રાલયે કહ્યું હતું કે, જે રીતે ઓમિક્રોનના કેસ (Omicron in India) સમગ્ર વિશ્વમાં નોંધાઈ રહ્યા છે. તેને જોતા ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવે (Omicron may bring third wave in india) તેવી સંભાવનાથી ઈનકાર ન કરી શકાય.

Omicron in India: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો? સરકારે બતાવી સતર્કતા
Omicron in India: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો? સરકારે બતાવી સતર્કતા

  • કોરોનાની રસીના બંને ડોઝ લગાવી ચૂકેલા વ્યક્તિ પર નથી થતી ઓમિક્રોનની અસર
  • અત્યાર સુધીના અભ્યાસમાં કંઈ સ્પષ્ટ નથી કહેવાયુંઃ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય
  • આપમી રસી ઓમિક્રોન સામે ખૂબ જ અસરકારક છેઃ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ સંક્રમણની ત્રીજી લહેરની (Omicron may bring third wave in india) સંભાવના અંગે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે (Union Health Ministry) કહ્યું હતું કે, દક્ષિણ આફ્રિકાના બહારના દેશોમાં ઓમિક્રોનના કેસ (Omicron in India) વધી રહ્યા છે અને આના જે લક્ષણ છે. તે અનુસાર તેને ભારત (corona virus new variant in india) સહિત અન્ય દેશોમાં પણ ફેલાવવાની સંભાવના છે. જોકે, કયા સ્તર પર કેસ વધશે અને રોગની ગંભીરતા અંગે સ્થિતિ હજી સ્પષ્ટ નથી.

આ પણ વાંચો- Vibrant Gujarat Summit 2022 on risk: ઓમિક્રોન વેરિયન્ટના પગલે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ પર અનિશ્ચિતતાના વાદળો છવાયા

કેટલાક પરિવર્તનો રસીની અસરકારકતા ઘટાડી શકે છે

આરોગ્ય મંત્રાલયે (Union Ministry of Health on Omicron) જણાવ્યું હતું કે, ભારતમાં રસીકરણની (Corona vaccination in India) તીવ્ર ગતિ અને ડેલ્ટા વેરિયન્ટની અસરને જોતા આ રોગની ગંભીરતા ઓછી રહેવાની આશા છે. જોકે, વૈજ્ઞાનિક પૂરાવા હજી સુધી નથી આવ્યા. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે, સાર્સ-સીઓવી-2ના નવા વેરિયન્ટ ઓમિક્રોન પર વર્તમાન રસી (Indian corona vaccine) કામ નહીં કરે તેવા કોઈ પૂરાવા નથી. જોકે, કેટલાક પરિવર્તનો રસીની અસરકારકતા ઘટાડી શકે છે.

આ પણ વાંચો- Army Chief on Omicron: કોરોના હજી ખતમ નથી થયો

નવા વેરિયન્ટના 2 કેસ કર્ણાટકમાં નોંધાયા

મંત્રાલયે (Union Ministry of Health on Omicron) આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, નવા વેરિયન્ટ દ્વારા રોગપ્રતિકારક શક્તિને ચકમો આપવા અંગે પૂરાવાની રાહ છે. મંત્રાલયે કોરોના વાઈરસના ઓમિક્રોન વેરિયન્ટ અંગે વારવંર પૂછાતા પ્રશ્નોની એક યાદી જાહેર કરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આને ચિંતા પેદા (World Health Organization Concerns About Omicron) કરનારો વેરિયન્ટ ગણાવ્યો છે. નવા વેરિયન્ટના 2 કેસ કર્ણાટકમાં નોંધાયા છે.

કોરોનાની રસી ઓમિક્રોન સામે કામ નથી કરતી તેવા કોઈ પૂરાવા નથીઃ આરોગ્ય મંત્રાલય

મંત્રાલયે આ યાદીના માધ્યમથી વર્તમાન રસીને ઓમિક્રોન વેરિયન્ટ (Omicron, a new variant of the corona virus) સામે અસર કરવા સાથે જોડાયેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, એવો કોઈ પુરાવો નથી, જે એ બતાવે કે, વર્તમાન રસી ઓમિક્રોન પર (Indian corona vaccine) કામ નથી કરતી. જોકે, સ્પાઈક જિન પર મળેલા કેટલાક પરિવર્તન વર્તમાન રસીની અસરને ઓછી કરી શકે છે. આમાં કહેવામાં આવ્યું હતું કે, જોકે, એન્ટિબોડી દ્વારા રસી સુરક્ષાને અપેક્ષાથી વધુ સુરક્ષિત રાખવાની આશા છે. આ માટે રસીથી ગંભીર રોગ સામે સુરક્ષા મળવાની આશા છે અને રસીકરણ જરૂરી છે.

મોટા પાયે RT-PCR પદ્ધતિ અપનાવવામાં આવી છે

શું વર્તમાન ક્લિનિકલ પદ્ધતિ (Current clinical method) ઓમિક્રોનને શોધી શકે છે. આ પ્રશ્નના જવાબમાં મંત્રાલયે કહ્યું હતું કે, સાર્સ-સીઓવી-2 માટે વધુને વધુ સ્વીકાર્ય અને મોટા પાયે અપનાવવામાં આવેલી તપાસ આરટીપીસીઆર પદ્ધતિ છે.

પહેલાની જેમ સાવધાની રાખવાની જરૂર

મંત્રાલયે વધુમાં ઉમેર્યું હતું કે, આ પદ્ધતિ વાઈરસમાં વિશેષ જિનને ઓળખે છે, જેવા કે સ્પાઈક (એસ) જિન વગેરે. જોકે, ઓમિક્રોનના કેસમાં સ્પાઈક જિન વધુ પરિવર્તિત છે. આ વિશેષ એક જિનની સાથે અન્ય જિનનો ઉપયોગ ઓમિક્રોનની ક્લિનિકલ વિશેષતા તરીકે કરવામાં આવી શકે છે. જોકે, ઓમિક્રોન વેરિયન્ટની અંતિમ પુષ્ટિ જિનોમિક સિક્વન્સિંગથી કરવાની જરૂર પડશે. મંત્રાલયે કહ્યું હતું કે, ઓમિક્રોનને તેના પરિવર્તન, અત્યંત ચેપી અને રોગપ્રતિકારક શક્તિને ચકમો આપવાની ચિંતા પેદા કરનારો વેરિયન્ટ ગણવામાં આવે છે. આ અંગે ભાર આપતા કહ્યું હતું કે, પહેલાની જેમ સાવધાની રાખવા અને પગલા ભરવાની જરૂર છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે અને સમય સમય પર યોગ્ય દિશાનિર્દેશ જાહેર કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.