ETV Bharat / bharat

Nehru Memorial: નેહરુ મેમોરિયલનું નામ બદલાયું, હવે આ નામથી ઓળખાશે

author img

By

Published : Aug 16, 2023, 8:17 AM IST

કેન્દ્ર સરકારે આ વર્ષે જૂન 2023માં નેહરુ મેમોરિયલનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. હવે 77મા સ્વતંત્રતા દિવસ 2023ના અવસર પર તેને એક નવી ઓળખ આપવામાં આવી છે.

Etv Bharat
Etv Bharat

નવી દિલ્હી: નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (NMML)નું નામ 14 ઓગસ્ટથી સત્તાવાર રીતે બદલીને વડાપ્રધાન મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (PMML) સોસાયટી કરવામાં આવ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટમાં વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્તકાલયની કાર્યકારી પરિષદના વાઇસ-ચેરમેને જણાવ્યું હતું કે NMMLનું નામ બદલીને હવે વડાપ્રધાન મ્યુઝિયમ અને પુસ્તકાલય (PMML) સોસાયટી રાખવામાં આવ્યું છે. લોકશાહીકરણ અને વૈવિધ્યકરણને અનુરૂપ 14 ઓગસ્ટ 2023 થી લાગુ થશે.

કોંગ્રેસે વ્યક્ત કરી પ્રતિક્રિયા: પોસ્ટમાં તીન મૂર્તિ ભવનનો ફોટો પણ મુકવામાં આવ્યો હતો. જૂનના મધ્યમાં એનએમએમએલ સોસાયટીની એક ખાસ બેઠકમાં તેનું નામ બદલીને પીએમએમએલ સોસાયટી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. નામ બદલવા પર કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તીન મૂર્તિ ભવન એ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું સત્તાવાર નિવાસસ્થાન હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે નવા નામ પર અંતિમ સત્તાવાર મહોર આપવા માટે કેટલીક વહીવટી પ્રક્રિયાઓની જરૂર હતી અને થોડા દિવસો પહેલા અંતિમ મંજૂરી આવી હતી. તેમણે કહ્યું કે NMML અધિકારીઓએ બદલાયેલ નામને અસરકારક બનાવવા માટે 14 ઓગસ્ટની તારીખ નક્કી કરવાનો નિર્ણય કર્યો છે.

જૂનમાં લેવાયો નિર્ણય: માહિતી અનુસાર આ વર્ષે જૂન 2023માં રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નેહરુ મેમોરિયલ મેમોરિયલનું નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જૂનમાં શરૂ થયેલી પ્રક્રિયા સ્વતંત્રતા દિવસના અવસર પર પૂર્ણ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીના પૂર્વ મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રા આ સ્મારક અને સંગ્રહાલયની કાર્યકારી પરિષદના અધ્યક્ષ છે.

વડાપ્રધાન મોદીએ રજૂ કર્યો વિચાર: વડાપ્રધાન મોદીએ વર્ષ 2016માં તીન મૂર્તિ ખાતે ભારતના તમામ વડાપ્રધાનોને સમર્પિત મ્યુઝિયમ બનાવવાનો વિચાર રજૂ કર્યો હતો. નવેમ્બર 2016 ના રોજ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા તેની બેઠકમાં આને મંજૂરી આપવામાં આવી હતી. હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયો છે અને આ મ્યુઝિયમ સામાન્ય લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

(વધારાની ઇનપુટ એજન્સી)

  1. Bindeshwar Pathak passed away: સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક બિંદેશ્વર પાઠકના આજે થશે અંતિમ સંસ્કાર
  2. Lok Sabha seat sharing Meeting : રાહુલ-ખડગે AAP સાથેની બેઠકમાં લોકસભાની ચૂંટણીની ટીકીટની વહેંચણી અંગે ચર્ચા કરશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.