ETV Bharat / bharat

Fadnavis on Ajit Pawar : ફડણવીસે કહ્યું 2019 માં અજિત પવાર સાથે સરકાર બનાવતા પહેલા શરદ પવાર સાથે કરી હતી ચર્ચા

author img

By

Published : Feb 14, 2023, 8:37 AM IST

Fadnavis on Ajit Pawar : ફડણવીસે કહ્યું  2019 માં અજિત પવાર સાથે સરકાર બનાવતા પહેલા શરદ પવાર સાથે કરી હતી ચર્ચા
Fadnavis on Ajit Pawar : ફડણવીસે કહ્યું 2019 માં અજિત પવાર સાથે સરકાર બનાવતા પહેલા શરદ પવાર સાથે કરી હતી ચર્ચા

મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, વર્ષ 2019માં અજિત પવાર સાથે સરકાર બનાવતા પહેલા તેમણે શરદ પવાર સાથે ચર્ચા કરી હતી, ત્યારબાદ સ્થિતિ બદલાઈ ગઈ હતી.

મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવાર સાથે રાતોરાત હાથ મિલાવ્યાના એપિસોડના ત્રણ વર્ષ પછી, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમની પ્રતિક્રિયા આપી છે. તેમણે સોમવારે કહ્યું કે, આ કવાયતને એનસીપી પ્રમુખ શરદ પવારનું સમર્થન છે.

અમને NCP તરફથી એક પ્રસ્તાવ મળ્યો હતો : નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'અમને NCP તરફથી એક પ્રસ્તાવ મળ્યો હતો કે, તેમને એક સ્થિર સરકારની જરૂર છે અને આપણે સાથે મળીને આવી સરકાર બનાવવી જોઈએ. અમે આગળ વધવાનું અને વાતચીત કરવાનું નક્કી કર્યું. શરદ પવાર સાથે વાતચીત થઈ, પછી સ્થિતિ બદલાઈ ગઈ. તમે જુઓ કે વસ્તુઓ કેવી રીતે બદલાઈ ગઈ છે.

કાર્યક્રમમાં ફડણવીસે શું કહ્યું : એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ફડણવીસે કહ્યું કે, હું સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે કહેવા માંગુ છું કે અજિત પવારે મારી સાથે ઈમાનદારીથી શપથ લીધા હતા, પરંતુ બાદમાં તેમની (NCP) રણનીતિ બદલાઈ ગઈ. ફડણવીસની ટિપ્પણીનો જવાબ આપતા શરદ પવારે કહ્યું કે, 'મને લાગ્યું કે દેવેન્દ્ર સંસ્કારી અને સજ્જન છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તે જૂઠનો આશરો લેશે અને આવું નિવેદન કરશે.

આ પણ વાંચો : Drone Used In Mandi : હિમાચલના મંડીમાં ડ્રોન દ્વારા મેડિકલ કોલેજમાં સેમ્પલ પહોંચાડવામાં આવી રહ્યા છે

ભાજપ સાથે ગઠબંધન કરનાર શિવસેનાને 56 બેઠકો મળી હતી : ભારતીય જનતા પાર્ટી (BJP) એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 105 બેઠકો જીતી હતી, જેના પરિણામો 24 ઓક્ટોબર, 2019 ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. ભાજપ સાથે ગઠબંધન કરનાર શિવસેનાને 56 બેઠકો મળી હતી. ગઠબંધન પાસે સરકાર બનાવવા માટે પૂરતી બેઠકો હોવા છતાં, મુખ્યપ્રધાન પદ કોને મળશે તે અંગે બે સાથી પક્ષો વચ્ચે વિવાદ થયો, ત્યારબાદ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવવા માટે વાતચીત શરૂ કરી.

આ પણ વાંચો : Shirdi News: સાંઈ બાબા પ્રત્યે ભક્તોની અતૂટ શ્રદ્ધા, 30 લાખના નવરત્નનો હાર કર્યો અર્પણ

કેન્દ્રએ 12 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું : જ્યારે કોઈ પરિણામ ન આવ્યું, ત્યારે કેન્દ્રએ 12 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ ગઠબંધન બનાવવા માટે વાટાઘાટો ચાલુ રાખી અને શરદ પવારે પાછળથી જાહેરાત કરી કે ઉદ્ધવ ઠાકરેને નવી સરકારનું નેતૃત્વ કરવા સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યા છે. આમ, 23 નવેમ્બરની સવારે ફડણવીસ અને અજિત પવારનો શપથ ગ્રહણ સમારોહ આશ્ચર્યજનક હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.