ETV Bharat / bharat

મહારાષ્ટ્ર અને કર્ણાટકે રસીની અછતને કારણે 18-44 વય જૂથ માટે અટકાવ્યું રસીકરણ અભિયાન

author img

By

Published : May 13, 2021, 9:25 AM IST

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એન્ટિ કોવિડ -19 રસીઓની અછતને કારણે રાજ્ય સરકારે 18થી 44 વર્ષની વયના લોકો માટે રસીકરણ અભિયાનને અસ્થાયીરૂપે અટકાવવાનું અને 45 વર્ષથી ઉપરના જૂથો માટે ઉપલબ્ધ રસીના ડોઝનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે.

18-44 વય જૂથ માટે અટકાવ્યું રસીકરણ અભિયાન
18-44 વય જૂથ માટે અટકાવ્યું રસીકરણ અભિયાન

  • મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં રસીની અછત
  • 18થી 44 વર્ષની વય જૂથ માટે અટકાવ્યું રસીકરણ અભિયાન
  • 45 વર્ષથી ઉપરના જૂથો માટે રસીના ડોઝનો ઉપયોગ કરવાનો નિર્ણય

મુંબઇ/બેંગલુરુ: મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં એન્ટિ કોવિડ-19 રસીઓની અછતને કારણે રાજ્ય સરકારે 18થી 44 વર્ષની વય જૂથ માટે રસીકરણ અભિયાનને અસ્થાયીરૂપે અટકાવ્યું છે અને 45 વર્ષથી ઉપરના જૂથો માટે રસીના ઉપલબ્ધ ડોઝનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે અને કર્ણાટકના આરોગ્ય મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી.

આ પણ વાંચો: જૂનાગઢમાં છેલ્લા 3 દિવસથી સિનિયર સિટિઝન્સ કોરોના રસીથી વંચિત

મહારાષ્ટ્રમાં રાજ્ય પ્રધાનમંડળની બેઠક દરમિયાન તેનો નિર્ણય લેવામાં આવ્યો હતો

પ્રધાને કહ્યું કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)એ મહારાષ્ટ્ર સરકારને જાણ કરી દીધી છે કે, તે 20 મેથી રાજ્યમાં 1.5 કરોડ કોવિશિલ્ડ રસી આપી શકશે.

ટોપે કહ્યું, '45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીકરણ માટે રસીનો પૂરતો પુરવઠો નથી. તેથી રાજ્ય પ્રધાનમંડળે નિર્ણય લીધો છે કે, 18-44 વય જૂથના લોકો માટે ઉપલબ્ધ રસીનો ઉપયોગ 45 વર્ષથી વધુ વયના લોકો માટે કરવામાં આવશે. તેથી જ અમે 18-44 વર્ષની વય જૂથના લોકો માટે કેટલાક સમય માટે રસીકરણ બંધ કરી રહ્યા છીએ.'

ભારત બાયોટેક બનાવે છે 'કોવેક્સિન' રસી

પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા 'કોવિશિલ્ડ' રસી બનાવે છે. જ્યારે ભારત બાયોટેક 'કોવેક્સિન' રસી બનાવે છે.

પ્રધાને કહ્યું કે, 'સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા'એ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને 20 મેથી કોવિશિલ્ડ રસી સપ્લાય કરવા અંગે માહિતી આપી છે. પુરવઠો મેળવવા પર 18-44 વય જૂથ માટે ઇમ્યુનાઇઝેશન ડ્રાઇવને ફરીથી સ્થાપિત કરવામાં આવશે.

ટોપે મંગળવારે આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્ર સરકાર રાજ્યોને રસીના પૂરતા પ્રમાણમાં ડોઝ આપવા માટે પોતાની જવાબદારી નિભાવતી નથી.

આ પણ વાંચો: પાટણમાં કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ લેવા લાગી લાંબી લાઈનો

કર્ણાટકમાં શું છે પરિસ્થિતિ

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 7 મેના રોજ રાજ્ય સરકારે 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને રસીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી રસીના આખા પુરવઠાનો ઉપયોગ કર્યો હતો. આ રસીકરણ આ લાભાર્થીઓની બીજા ડોઝ માટે કરવામાં આવ્યું હતું.

આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે મીડિયાને જણાવ્યું કે, બદલાતા સંજોગો અને રસીની તીવ્ર તંગીના કારણે રાજ્ય સરકાર દ્વારા રસીને સીધા 18થી 44 વર્ષના બાળકોને રસી લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમને 18થી 44 વર્ષની વય જૂથમાં બીજો ડોઝ મળ્યો નથી, તેમને પણ ધ્યાનમાં લેવામાં આવશે અને તેમને આગામી સ્ટોકમાં રસીનો બીજો ડોઝ આપવામાં આવશે.

આરોગ્ય વિભાગે કહ્યું કે, આ હુકમ રાજ્યના તમામ સંચાલિત કોવિડ રસીકરણ કેન્દ્રોમાં કોવિડ રસીકરણ માટે લાગુ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.