ETV Bharat / bharat

Jahangirpuri violence: આખરે જહાંગીરપુરી હિંસામાં તલવાર વેચનારાનો થયો પર્દાફાશ

author img

By

Published : May 2, 2022, 7:09 PM IST

જહાંગીરપુરી હિંસા (Jahangirpuri violence)ને હવે લગભગ 20 દિવસ થવા જઈ રહ્યા છે. જહાંગીરપુરીમાં વાતાવરણ પણ સામાન્ય થઈ રહ્યું છે. પોલીસ સતત ધરપકડ કરી રહી છે. હવે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અન્ય 2 લોકોની ધરપકડ કરી છે, જેઓ જહાંગીરપુરીના રહેવાસી છે.

Jahangirpuri violence: જહાંગીરપુરી હિંસામાં આખરે તલવાર વેચનારાનો થયો પર્દાફાશ
Jahangirpuri violence: જહાંગીરપુરી હિંસામાં આખરે તલવાર વેચનારાનો થયો પર્દાફાશ

નવી દિલ્હીઃ જહાંગીરપુરી હિંસા (Jahangirpuri violence) કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ 2 લોકોની ધરપકડ કરી છે. આ 2 આરોપીઓની ધરપકડ (2 more accused arrested Jahangirpuri violence)સાથે જ જહાંગીરપુરી હિંસા કેસમાં ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા 31 પર પહોંચી ગઈ છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ હિંસા પહેલા તલવારો (Jahangirpuri sward distribution) વહેંચી હતી, સાખે જ જહાંગીરપુરી હિંસામાં લોકોને ઉશ્કેર્યા પણ હતા.

આ પણ વાંચો: Maharashtra Loudspeaker Politics: શા માટે મહારાષ્ટ્રના ગૃહપ્રધાને રાજ ઠાકરે વિરુદ્ધ કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો

જહાંગીરપુરી હિંસાને હવે લગભગ 20 દિવસ થવા જઈ રહ્યા છે. જહાંગીરપુરીમાં વાતાવરણ પણ સામાન્ય થઈ રહ્યું છે. પોલીસ (Delhi Police on Jahangirpuri incident ) તપાસનો ધમધમાટ આગળ ધપાવીને સતત ધરપકડ કરી રહી છે. હવે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અન્ય 2 લોકોની ધરપકડ કરી છે, જેઓ જહાંગીરપુરીના રહેવાસી છે. આરોપ છે કે, તેમણે હિંસા પહેલા લોકોને તલવારો વહેંચી હતી, જેથી મામલો વધીને હિંસક સ્વરૂપ ધારણ કરી શકે.

આ પણ વાંચો: ધોની કેપ્ટન બનતાની સાથે જ ચેન્નાઈ એક્સપ્રેસ ફરી જીતના પાટા પર, જૂઓ પોઈન્ટ ટેબલમાં કયા ક્રમે

ધરપકડ કરાયેલા 2 આરોપીઓમાંથી એકનું નામ યુનુસ છે, બીજાનું નામ સલીમ છે. હાલ પોલીસની સતત પૂછપરછ ચાલી રહી છે અને અન્ય કેટલાક લોકોની પણ ધરપકડ થઈ શકે, તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.