ETV Bharat / bharat

MGNREGA scam case : IAS પૂજા સિંઘલની ધરપકડ, જાણો ED કેમ કરી રહી છે તપાસ

author img

By

Published : May 11, 2022, 7:51 PM IST

EDએ IAS પૂજા સિંઘલની ધરપકડ (IAS pooja singhal arrested ) કરી છે. મનરેગા કૌભાંડ કેસમાં (MGNREGA SCAM CASE) તેમની ધરપકડ કરવામાં આવી છે. બીજા દિવસે પૂછપરછ બાદ EDએ પૂજા વિરુદ્ધ આ કાર્યવાહી કરી હતી.

મનરેગા કૌભાંડ કેસમાં IAS પૂજા સિંઘલની ધરપકડ, બીજા દિવસની પૂછપરછ બાદ EDએ કરી ધરપકડ
મનરેગા કૌભાંડ કેસમાં IAS પૂજા સિંઘલની ધરપકડ, બીજા દિવસની પૂછપરછ બાદ EDએ કરી ધરપકડ

રાંચી: EDએ બુધવારે ઝારખંડની ખાણ સચિવ પૂજા સિંઘલની ધરપકડ કરી (Jharkhand Mines Secretary Pooja Singhal arrested) છે. બીજા દિવસે પૂછપરછ બાદ EDએ પૂજાની મનરેગા કૌભાંડ (MGNREGA SCAM CASE) અને મની લોન્ડરિંગ કેસમાં (Money laundering case) ધરપકડ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મનરેગા કૌભાંડ કેસમાં એક IAS અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા બીજા દિવસે IAS ઓફિસર પૂજા સિંઘલ ED ઓફિસ પહોંચી હતી.

આ પણ વાંચો: Woman junior artiste stages nude: એવુ તે શું થયુ કે, મહિલાએ કંપની સામે જ કપડા કાઢી નાખ્યા

પૂજા સિંઘલની ધરપકડ: IAS પૂજા સિંઘલ બુધવારે સવારે 10.30 વાગ્યે એકલી ED ઓફિસ પહોંચી હતી. મંગળવારે પૂજા સિંઘલની ED અધિકારીઓએ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. આજે પણ પૂછપરછ લાંબા સમય સુધી ચાલશે તેવો અંદાજ હતો. બીજી તરફ EDના રિમાન્ડ પર આવેલા સીએ સુમનની પણ પૂછપરછ ચાલી રહી હતી. આ દરમિયાન EDની પૂછપરછ બાદ IAS પૂજા સિંઘલની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: વાવાઝોડા પહેલા જ અસાની મચાવી રહ્યું છે તોફાન, જૂઓ વીડિયો

અત્યાર સુધી, પૂજાએ આરોપોને નકારી કાઢ્યા છે : મંગળવારે પૂછપરછ દરમિયાન, પૂજા સિંઘલે મનરેગા કૌભાંડમાં તેની સંડોવણીનો સીધો ઇનકાર કર્યો હતો. પૂજા સિંઘલે ED અધિકારીઓને કહ્યું હતું કે તેણે ક્યારેય રામવિનોદ સિંહા અથવા અન્ય કોઈ અધિકારીઓ પાસેથી પૈસા લીધા નથી. પૂજા સિંઘલના જણાવ્યા અનુસાર, મનરેગા કેસમાં પ્રિન્સિપલ સેક્રેટરી કક્ષાના અધિકારીને તેમની સામે વિભાગીય તપાસ અધિકારી બનાવવામાં આવ્યા હતા. લાંબા સમયથી ચાલી રહેલી તપાસ દરમિયાન તેમને તેમનો પક્ષ પણ પૂછવામાં આવ્યો હતો, તો તેમણે એક વિષય પર તપાસ સમિતિને જવાબ આપ્યો હતો. તેમના જવાબથી સંતુષ્ટ થયા બાદ જ તેમને તત્કાલિન સરકારે વિભાગીય તપાસમાં ક્લીનચીટ આપી હતી. જો કે, ED હજી પણ તપાસ કરી રહી છે કે પૂજા સિંઘલ સામે પૂરતા પુરાવા હોવા છતાં તેને આખરે ક્લીનચીટ કેમ આપવામાં આવી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.