ETV Bharat / bharat

ડ્રગનો વેપલો બીજા કરે છે અને બાળકો આપણા ખતમ થાય છે: અમિત શાહ

author img

By

Published : Dec 21, 2022, 2:26 PM IST

Updated : Dec 21, 2022, 5:17 PM IST

લોકસભાના શિયાળુ સત્રમાં અમિત શાહે ડ્રગ્સને (Home minister Amit Shah in Loksabha) લઈને જવાબ આપ્યો છે. જેમાં તેમણે રાજ્ય સરકારની કામગીરીનો ઉલ્લેખ કરીને કેન્દ્ર સરકારની પોલીસીનો સ્વીકાર કરી ડ્રગ (Amit Shah speech on Drugs in loksabha) નેટવર્કને ડામવા પ્રયાસ પર વાત કરી છે, શાહે કહ્યું કે, ડ્રગ્સની હેરાફેરીના સમગ્ર નેટવર્કને પાયાથી ખતમ કરવું પડશે. નામ લીધા વગર શાહે એ વાત પર ભાર મૂક્યો કે, ડ્રગનો વેપલો બીજા કરે છે અને બાળકો આપણા ખતમ થાય છે.

ડ્રગ્સ હેરાફેરીના સમગ્ર નેટવર્કને પાયાથી ખતમ કરવું પડશે: અમિત શાહ
ડ્રગ્સ હેરાફેરીના સમગ્ર નેટવર્કને પાયાથી ખતમ કરવું પડશે: અમિત શાહ

નવી દિલ્હી: અમિત શાહે લોકસભાના (Home minister Amit Shah in Loksabha) શિયાળું સત્રમાં ડ્રગ મુદ્દે જવાબ આપતા કહ્યું હતું કે, ડ્રગ્સ દેશ માટે એક ગંભીર સમસ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે બન્ને ભેગા થઈને લડવાની હોય છે. પણ હું એ વાતનો સ્વીકાર કરૂ છું જ્યાં સુધી ડ્રગ્સ (Amit Shah speech on Drugs in loksabha) સામેની લડાઈ છે ત્યાં સુધી કોઈ પણ રાજ્યની સરકારે કેન્દ્ર સાથે ખભેથી ખભો મિલાવીને કામ કર્યું છે. કેન્દ્રની દરેક બાબતનો અમલ રાજ્યએ કર્યો છે. રાજ્યની ભૌગોલિક અને આર્થિક બાબતો પર અમલકરણની રીત સામે કોઈ ફેરાફર હોઈ શકે છે. નામ લીધા વગર શાહે એ વાત પર ભાર મૂક્યો કે, ડ્રગનો વેપલો બીજા કરે છે અને બાળકો આપણા ખતમ થાય છે

આ પણ વાંચો: winter session 2022: ચીન પર ચર્ચાની માગ સાથે આજે સંસદમાં ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન

કોઈ એક વિભાગની લડાઈ નથી: જ્યારથી મોદી સરકાર બની ત્યારથી ડ્રગ કેસ સામે કડક એક્શન લેવાયા છે. મોદી સરકારમાં ડ્રગના વેપલા સામે અને એનાથી આવતા ફંડ સામે ઝીરો ટોલરંન્સની પોલીસી છે. હજું આ નેટવર્કને ખતમ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. ડ્રગથી લાખો પરિવારનો ખાતમો થઈ ગયો છે. અનેક પ્રકારના સામાજિક દુષણ પણ એની સાથે પેદા થાય છે. ડ્રગથી આવતા પૈસા આતંકવાદમાં ખર્ચાય છે. જે પછી આપણી સામે જ આવે છે. આ ડ્રગથી આવતા ડર્ટી મની પણ દેશના અર્થતંત્રને ખોખલુ બનાવે છે. મોદી સરકારે ગૃહવિભાગ સામે એક લક્ષ્ય મુક્યું છે. એ છે નશામુક્ત ભારત. સભાને વિશ્વાસ અપાવું છું કે, લક્ષ્યને પૂરો કરવા માટે કોઈ કસર છોડવામાં આવી નથી. આ લડાઈ કોઈ કેન્દ્ર કે રાજ્ય કે કોઈ ચોક્કસ વિભાગની નથી.

બોર્ડરના રાજ્યો સતર્ક: જ્યાં સુધી કોઈ બોર્ડરના રાજયની વાત છે એને આ મુદ્દો ગંભીરતા લીધો છે. પાકિસ્તાન સાથે કોઈ વેપાર થતો નથી. પણ એનાથી મુશ્કેલી પૂરી થતી નથી,.તસ્કરી, સુરંગ અને ડ્રોનથી ડ્રગ આવે છે. એરપોર્ટ અને બંદરગાહથી ડ્રગ આવે છે. વેપાર બંધ કરવાથી એનો નીવેડો નથી આવ્યો. એના નવા પ્રયોગો સામે એક્શન લેવું પડશે. એનો ખાતમો કરવો પડશે. તમામે આ લડાઈ સાથે મળીને લડવી પડશે. જેનું પરિણામ લાવવું પડશે. સાથે મળીને લડીશું તો સારૂ પરિણામ આવશે. બોર્ડર પરથી, બંદરગાહ, એરપોર્ટ પરથી આવતા ડ્રગને રોકવા પડશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂર અને રાજ્યની એજન્સીઓ પણ એક પેજ પર રહીને કામ કરવું પડશે. આની સાથે વ્યસ્ન મુક્તિ માટે સમાજ કલ્યાણ વિભાગ અને હેલ્થ વિભાગે પણ સાથે રહેવું પડશે. આના તમામ આયામોને આ લડાઈમાં સામિલ થવા જોડી રહ્યા છે. જેથી ડ્રગ ફ્રી ઈન્ડિયાનું સપનું સાકાર થશે.

ગોલ્ડન ટ્રાઈએન્ગલ: ડ્રગના વેપારીઓએ ગોલ્ડન ટ્રાયએંગ્લમાં દક્ષિણ પૂર્વ એશિયાના દેશનો સમાવેશ થાય છે. જયારે ગોલ્ડન ક્રિસેન્ટમાં ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. જ્યારે પણ આ શબ્દોનો ઉપયોગ કરૂ ત્યારે ડેથ ટ્રાયએંગ્લ અને ડેથ ક્રિસન્ટ શબ્દ પ્રયોગ કરૂ છું. નશાના વેપારીઓ માટે ગોલ્ડન ટ્રાયએંગ્લ હોઈ શકે છે. એ આપણા માટે નથી. ઈન્સ્ટિટ્યુશનને જવાબદારી સોંપાઈ છે, નાર્કો એજન્સીઓને પણ મજબુત કરાઈ છે. વિસ્તૃત અભિયાન શરૂ કરાયું છે. જેમાં લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ડ્રગનો વેપલો કોઈ કરે છે અને બાળકો આપણા દેશના ખતમ થઈ રહ્યા છે. સહયોગ અને સાથ વગર આ લડાઈ ન જીતી શકાય.

આ પણ વાંચો: કોરોના એલર્ટ: કેન્દ્રીય આરોગ્ય પ્રધાન માંડવિયાએ કોવિડની સમીક્ષા માટે બેઠક બોલાવી

એન્ટ્રી પોઈન્ટ પર સુરક્ષા: જ્યાં સુધી કાયદાનો મુદ્દો છે અનેક લોકોએ એવું કહ્યું કે ફાંસી થવી જોઈએ કે નહીં, કાયદો કડક કરવો જોઈએ કે નહીં. દરેક એન્ટ્રી પોઈન્ટ પર સુરક્ષા વધારવી પડશે. ડ્રગ્સની હેરાફેરી કરનારાને કદી છોડવા ન જોઈએ. ક્યારેક આરોપીઓ સાથે પણ ખોટા વ્યવહાર થાય છે. જે ભૂલથી આ જંજાળમાં ફસાયો છે એને પરત આવવા અને અફસોસ કરાવવા માટે ચાન્સ હોવો જોઈએ. જેથી એને સમાજ પણ સ્વીકાર. સામાજિક વાતાવરણ તૈયાર કરવું પડશે. જેને ડ્રગ્સ લીધું છે ખરાબ નથી. તમામે સાથે મળીને પ્રયાસ કરવા પડશે. જ્યાં સુધી ડ્રગ્સના વેપલાનો પ્રશ્ન છે. ભારત સરકારે ત્રણ વર્ષમાં ઘણી વ્યવસ્થા કરી છે. સૌથી મોટો ફેરફાર એ છે કે, કોઈ પણ ઈન્વેસ્ટિગેશનને આઈસોલેશનમાં ન જોઈ શકાય.

ડ્રગનો રૂપિયો આંતકવાદમાં: નશીલા દ્રવ્યોના દુરુપયોગ સામે મજબૂત વલણ અપનાવતા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે કહ્યું કે, ડ્રગનો દૂષણ એક ગંભીર સમસ્યા છે જે પેઢીઓને નષ્ટ કરી રહી છે. તેણે વધુમાં કહ્યું કે ડ્રગ્સમાંથી જે નફો થાય છે તેનો ઉપયોગ આતંકવાદ માટે પણ થાય છે. અમારી સરકાર ડ્રગના મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. જે દેશો આપણા દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે તે ડ્રગથી થતા નફાનો ઉપયોગ તેના માટે કરી રહ્યા છે.

આ પણ વાંચો: સ્મૃતિ ઈરાની પર 'લટકે ઝટકે' નિવેદન આપ્યા બાદ મુશ્કેલીમાં ફસાયા અજય રાય, સોનભદ્રમાં કેસ દાખલ

અર્થ વ્યવસ્થાને નુકસાન: આ ગંદા નાણાની હાજરી પણ ધીમે ધીમે આપણી અર્થવ્યવસ્થાને પોકળ કરી રહી છે. રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોએ સાથે મળીને ડ્રગના જોખમ સામે લડવું પડશે. આપણે સરહદો, બંદરો અને એરપોર્ટ દ્વારા ડ્રગ્સના પ્રવેશને રોકવાની જરૂર છે. મહેસૂલ વિભાગ, NCB અને એન્ટિ-નાર્કોટિક્સ એજન્સીઓએ એક સાથે રહીને કામ કરવું પડશે.

Last Updated : Dec 21, 2022, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.