ETV Bharat / bharat

Helicopter Crash In Coonoor: CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ ષડયંત્ર! બાબા રામદેવે વ્યક્ત કરી શંકા

author img

By

Published : Dec 11, 2021, 10:40 PM IST

હરિદ્વારમાં આજે પતંજલિ કન્યા ગુરુકુલમ (patanjali kanya gurukulam haridwar)ની પૂજા કરવામાં આવી હતી. આ દરમિયાન બાબા રામદેવ સહિત અનેક સંતો હાજર રહ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં બાબા રામદેવે CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ (Helicopter Crash In Coonoor)ની ઘટના પર સવાલો ઉઠાવ્યા છે.

Helicopter Crash In Coonoor: CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ ષડયંત્ર! બાબા રામદેવે વ્યક્ત કરી શંકા
Helicopter Crash In Coonoor: CDS બિપિન રાવતના હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળ ષડયંત્ર! બાબા રામદેવે વ્યક્ત કરી શંકા

  • કન્યા ગુરુકુલમના ભૂમિપૂજન દરમિયાન રામદેવનું નિવેદન
  • આ ઘટના પાછળ આશંકા અને અનેક ષડયંત્ર હોઇ શકે છે
  • CDS બિપિન રાવતને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપવાની માંગ કરી

હરિદ્વાર: કુન્નૂર હેલિકોપ્ટર દુર્ઘટના (Helicopter Crash In Coonoor)માં CDS જનરલ બિપિન રાવતના નિધન બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે. આ દુર્ઘટના બાદ તરત જ વાયુસેનાએ પણ તેના સ્તરે તપાસ (investigation in coonoor helicopter crash)ના આદેશ આપ્યા છે. આ અકસ્માતમાં જનરલ રાવત, તેમની પત્ની સહિત 13 લોકોના પણ મોત થયા છે. આ અકસ્માત બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો બાબા રામદેવે પણ આ અકસ્માતને લઈને કોઈ ષડયંત્રની (coonoor helicopter crash conspiracy) આશંકા વ્યક્ત કરી છે.

આ ઘટના પાછળ અનેક ષડયંત્ર હોઇ શકે છે

બાબા રામદેવે કહ્યું કે, કોઈપણ દેશવાસી આ ઘટના પર વિશ્વાસ કરી રહ્યો નથી. તેમણે કહ્યું કે, જે હેલિકોપ્ટરમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ મુસાફરી કરે છે તેનું આ રીતે દુર્ઘટનાગ્રસ્ત (cds helicopter crash) થવું ઘણા પ્રશ્નો ઉભા કરે છે, અનેક આશંકા અને અનેક ષડયંત્ર તેની પાછળ હોઈ શકે છે, જેના રહસ્યો ટૂંક સમયમાં જાહેર થઇ જશે. તો તેમણે CDS બિપિન રાવતને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ (posthumous bharat ratna to cds bipin rawat)ની માંગ કરી છે.

પતંજલિ યોગપીઠ ખાતે કન્યા ગુરુકુલમનું ભૂમિપૂજન

ઉલ્લેખનીય છે કે બાબા રામદેવે આજે પતંજલિ યોગપીઠ ખાતે કન્યા ગુરુકુલમના ભૂમિપૂજન દરમિયાન આ બધી વાતો કહી હતી. આજે હરિદ્વારમાં બાબા રામદેવે અહીં સંતોની હાજરીમાં ભૂમિપૂજન કર્યું હતું, જેમાં આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદ મહારાજ અને જૂના અખાડાના સાધ્વી ઋતંભરા સાથે શરણંદ મહારાજે પણ ભાગ લીધો હતો.

500 કરોડના ખર્ચે બની રહી છે કન્યા ગુરૂકુલમ

આ દરમિયાન યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું કે, ભૂમિ પૂજન દરમિયાન વેદ આચાર્યોએ હવન અને યજ્ઞ કરીને સેંકડો યજ્ઞો કર્યા છે. ત્યારબાદ આજે ભૂમિપૂજન કરીને પતંજલિ કન્યા ગુરુકુલમ (patanjali kanya gurukulam haridwar)ના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવી છે. સ્વામી રામદેવે કહ્યું કે, લગભગ 500 કરોડના ખર્ચે બની રહેલી આ ઈમારતમાં ભારતનો ભવ્ય ઈતિહાસ અને ગુરુકુળ પરંપરા (glorious history of India and Gurukul tradition) જોવા મળશે. જ્યાં એક તરફ દિવ્યતા અને બીજી તરફ ભવ્યતા હશે.

આ પણ વાંચો: Government of India System: ભારતમાં સિસ્ટમના કારણે પ્રોજેક્ટ્સમાં વિલંબ: નીતિન ગડકરી

આ પણ વાંચો: Coonoor Helicopter Crash: CDS રાવત અને જવાનો પર વાંધાજનક પોસ્ટ કરનારાઓ પર આવશે તવાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.