ETV Bharat / bharat

Heavy rains in Andhra Pradesh: આંધ્રપ્રદેશમાં પૂરમાં અત્યાર સુધીમાં 20ના મોત, 100થી વધુ લોકો થયાં ગુમ

author img

By

Published : Nov 20, 2021, 1:46 PM IST

Heavy rains in Andhra Pradesh
Heavy rains in Andhra Pradesh

આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને (Heavy rains in Andhra Pradesh) કારણે આવેલા અચાનક પૂરમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત (20 deaths in Andhra Pradesh) થયા છે અને 100થી વધુ લોકો ગુમ (More than 100 missing) થયાં હોવાનું કહેવાય છે. બંગાળની ખાડીમાં નીચા દબાણના વિસ્તારની રચનાને કારણે રાયલસીમાના ત્રણ જિલ્લા અને એક દક્ષિણ તટીય જિલ્લામાં 20 સેમી સુધી વરસાદ નોંધાયો છે.

  • આંધ્રપ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ
  • અત્યાર સુધીમાં 20ના મોત, 100થી વધુ લોકો થયાં ગુમ
  • કડપ્પા અને તિરુપતિમાં આજે શનિવારે શાળા- કોલેજો બંધ

અમરાવતીઃ આંધ્રપ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને (Heavy rains in Andhra Pradesh) કારણે ભારે તારાજી સર્જાઈ છે. ભારે વરસાદ અને પૂરને કારણે ભારે નુકસાન થયું છે. અપ્રિય ઘટનાઓમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત (20 deaths in Andhra Pradesh) થયા છે, જ્યારે 100થી વધુ લોકો ગુમ (More than 100 missing) હોવાનું કહેવાય છે. એરફોર્સ, SDRF અને ફાયર સર્વિસના જવાનો પૂર પ્રભાવિત જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. કડપ્પા અને તિરુપતિમાં આજે શનિવારે શાળા- કોલેજો બંધ છે.

આંધ્રપ્રદેશમાં પૂરમાં અત્યાર સુધીમાં 20ના મોત, 100થી વધુ લોકો થયાં ગુમ

આ પણ વાંચો: વાપીમાં કમોસમી વરસાદમાં રાજકીય પક્ષના ચૂંટણી કાર્યાલયો થયા વેરવિખેર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન સાથે ટેલિફોનિક વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો

રિપોર્ટ અનુસાર રાયલસીમા ક્ષેત્રના કડપ્પામાં 12 અને અનંતપુર જિલ્લામાં આઠ લોકોના મોત થયા છે. રાજ્યના મુખ્યપ્રધાન વાય.એસ.જગનમોહન રેડ્ડીએ (Chief Minister Jagan Mohan Reddy) શનિવારે પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને કડપ્પા, ચિત્તૂર અને નેલ્લોર જિલ્લામાં પૂરની સ્થિતિનો અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન વાય.એસ.જગનમોહન રેડ્ડી સાથે ટેલિફોનિક વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને રાજ્યને તમામ સહાયનું વચન આપ્યું હતું.

આંધ્રપ્રદેશમાં પૂરમાં અત્યાર સુધીમાં 20ના મોત, 100થી વધુ લોકો થયાં ગુમ
આંધ્રપ્રદેશમાં પૂરમાં અત્યાર સુધીમાં 20ના મોત, 100થી વધુ લોકો થયાં ગુમ

આ પણ વાંચો: repeal farm law: કાયદાઓ ખેડૂતોના હિત માટે હતા પણ સમજાવવામાં અને સમજવામાં ક્યાંક ચૂંક થઈ છે: આરોગ્યપ્રધાન ઋષિકેષ પટેલ

મુખ્યપ્રધાને વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વીડિયો કોન્ફરન્સ કરી

ભારે વરસાદ (Floods in Andhra Pradesh) પછી નદીઓ અને નહેરોમાં છલકાઇ જવાથી ઘણાં જિલ્લાઓમાં પૂર આવ્યું છે, રસ્તાઓને નુકસાન થયું છે અને કેટલીક જગ્યાએ સામાન્ય જીવન ખોરવાયું છે. પૂરમાં ઢોર પણ ધોવાઈ ગયા છે. મળતી માહિતી મુજબ કડપ્પા જિલ્લામાં હજુ પણ 12 લોકો લાપતા છે. બંગાળની ખાડીમાં નીચા દબાણના વિસ્તારની રચનાને કારણે ભારે વરસાદને કારણે ચિત્તૂર અને કડપ્પામાં ઘણા વર્ષોમાં સૌથી ભયાનક પૂર આવ્યું છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ટીમ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની ટીમો બચાવ અને રાહત કાર્યમાં વ્યસ્ત છે. મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીએ (Chief Minister Jagan Mohan Reddy) શુક્રવારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વીડિયો કોન્ફરન્સ કરી અને તેમને રાહત અને બચાવ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.