ETV Bharat / bharat

Flights Ban: દેશમાં આવતી-જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર 31 જુલાઈ સુધી પ્રતિબંધઃ DGCA

author img

By

Published : Jun 30, 2021, 3:23 PM IST

દેશમાં કોરોનાના કારણે તમામ ફ્લાઈટ્સ બંધ (Ban on international flights)) કરી દેવાઈ હતી. ત્યારે હવે ફરી એક વાર દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus variant)ના કેસ વધતા અને કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona)ની આશંકા વચ્ચે DGCAએ દેશમાં આવતી અને જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ (Ban on international flights) મુકી દીધો છે. એટલે કે હવે 31 જુલાઈ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ (Ban on international flights) મુકાયો છે.

Flights Ban: દેશમાં આવતી-જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર 31 જુલાઈ સુધી પ્રતિબંધઃ DGCA
Flights Ban: દેશમાં આવતી-જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર 31 જુલાઈ સુધી પ્રતિબંધઃ DGCA

  • દેશમાં આવતી અને જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર લાગ્યો પ્રતિબંધ (Ban on international flights)
  • દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus variant)ના કેસ વધતા DGCAએ લગાવ્યો પ્રતિબંધ
  • 31 જુલાઈ સુધી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ (Ban on international flights) લાગ્યો

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર શાંત થતા કે તરત હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus variant)નો કહેર વધ્યો છે. દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus variant)ના કેસ વધતા અને કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona)ની આશંકાને ધ્યાનમાં રાખી DGCAએ નવો નિર્ણય લીધો છે. DGCAએ દેશમાં આવતી અને જતી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની ફ્લાઈટ્સ પર (Ban on international flights) 31 જુલાઈ સુધી પ્રતિબંધ વધારી દીધો છે. આ પહેલા DGCAએ કોરોના વાઈરસના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર 30 જૂન સુધી પ્રતિબંધ મુક્યો હતો.

આ પણ વાંચો- Fly like a Boss! 360 સીટ ધરાવતા બોઈંગ જેટે માત્ર 1 પેસેન્જર સાથે ઉડાન ભરી

DGCAએ નવા સર્ક્યૂલરમાં આપી માહિતી

DGCAએ જાહેર કરેલા નવા સર્ક્યૂલરમાં જણાવવામાં આવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ વધારવાના નિર્ણયની અસર કાર્ગો વિમાન પર નહીં પડે. આ સાથે જ આ પ્રતિબંધમાંથી તે ફ્લાઈટ્સને પણ છૂટ હશે, જેને ખાસ કરીને DGCAએ મંજૂરી આપી હતી.

આ પણ વાંચો- લૉકડાઉનમાં રદ થયેલી ફ્લાઈટના 99 ટકા ગ્રાહકોને પૈસા પરત કરાયાઃ ઈન્ડિગો

કોરોનાના કારણે વર્ષ 2020માં પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને રદ કરાઈ હતી

ભારતમાં કોરોના મહામારીના કારણે 23 માર્ચ 2020થી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને રદ કરી દીધી હતી, પરંતુ મે 2020માં વંદે માતરમ્ અને જુલાઈ 2020થી અમુક દેશો વચ્ચે દ્વિપક્ષીય એર બબલ વ્યવસ્થા અંતર્ગત વિશેષ આંતરરાષ્ટ્રીય વિમાન ફ્લાઈટ્સ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.