ETV Bharat / bharat

વિખૂટા પડેલા બે ભાઈઓનું 74 વર્ષ બાદ કરતારપુર સાહિબ કોરિડોરમાં થયું મિલન, ભેટીને ખૂબ રડ્યા

author img

By

Published : Jan 13, 2022, 1:04 PM IST

કરતારપુર સાહિબ કોરિડોર (kartarpur sahib corridor) અલગ થયેલા પરિવારને ફરી મળવાનો મોકો આપી રહ્યો છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કરતારપુર સાહિબ કોરિડોરમાં બનેલા આ વીડિયોમાં (Viral video of Kartarpur Sahib corridor) બે વૃદ્ધ એક સાથે રડી રહ્યા છે. કહેવાય છે કે આ બન્ને સગા ભાઈઓ છે, જેઓ ભાગલા વખતે અલગ થઈ ગયા હતા.

EMOTIONAL VIRAL VIDEO
EMOTIONAL VIRAL VIDEO

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો એક વીડિયો લોકોને ઈમોશનલ કરી રહ્યો છે. આ વીડિયોમાં બે સગા ભાઈઓ 74 વર્ષ પછી એકબીજાને મળી રહ્યા છે. એવું કહેવાય છે કે, કરતારપુર સાહિબ કોરિડોર (kartarpur sahib corridor) પર 74 વર્ષ (Reunion of two brothers after 74 years) પછી બે અલગ પડેલા ભાઈઓ મળ્યા હતા. દેશના ભાગલા વખતે બન્ને ભાઈઓ અલગ થઈ ગયા હતા. આટલા વર્ષો પછી બન્ને મળ્યા ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા તેઓ લાંબા સમય સુધી રડતા રહ્યા હતા. બન્ને ભાઈઓની ઓળખ મુહમ્મદ સિદ્દીક અને ભારતમાં રહેતા તેના ભાઈ હબીબ ઉર્ફે શેલા તરીકે થઈ છે.

  • Kartarpur Sahib corridor has reunited two elderly brothers across the Punjab border after 74 years. The two brothers had parted ways at the time of partition. A corridor of reunion 🙏 pic.twitter.com/g2FgQco6wG

    — Gagandeep Singh (@Gagan4344) January 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મોહમ્મદ સિદ્દીક પાકિસ્તાનના ફૈસલાબાદ અને તેનો ભાઈ શેલા ભારતના પંજાબમાં રહે છે

મોહમ્મદ સિદ્દીકની ઉંમર 80 વર્ષ છે અને તે પાકિસ્તાનના ફૈસલાબાદ શહેરમાં રહે છે, તેનો ભાઈ હબીબ ઉર્ફે શેલા ભારતના પંજાબમાં રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિભાજન દરમિયાન હબીબ તેની માતા સાથે તેની મામાના ઘરે આવ્યો હતો, જે પંજાબમાં છે. વિભાજન પછી હત્યાકાંડ શરૂ થયો ત્યારે તે પાકિસ્તાન જઈ શક્યો ન હતો. પરિવારજનોએ તેના પિતા અને મોટાભાઈ વિશે માહિતી મેળવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે મળ્યો નહીં.

બન્ને કરતારપુર કોરિડોર દ્વારા જોડાયેલા હતા

ઘણા વર્ષો પછી પાકિસ્તાનમાં મુહમ્મદ સિદ્દીકના પરિચિતોએ સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો, જેમાં તે 1947ની ઘટનાનો ઉલ્લેખ કરી રહ્યો હતો. આ પછી બન્ને ભાઈઓને એકબીજા વિશે ખબર પડી હતી. બન્ને કરતારપુર કોરિડોર દ્વારા જોડાયેલા હતા. આ દરમિયાન કરતાર સાહિબ ગુરુદ્વારાના અધિકારીઓ પણ હાજર હતા, જે વાયરલ વીડિયોમાં પણ જોવા મળી રહ્યા છે. મીટીંગમાં હબીબે સિદ્દીકને જણાવ્યું હતું કે, આટલા વર્ષોથી ભારતમાં રહીને તેણે લગ્ન કર્યા નથી અને તેની માતા હોશ ગુમાવ્યા બાદ મૃત્યુ પામી હતી.

આ પણ વાંચો: Protest of Women in Afghanistan: તાલિબાન રાજમાં અફઘાની મહિલાઓનું પ્રદર્શન, સરકારી નોકરીમાં હકની કરી માગ

આ પણ વાંચો: UP Assembly election 2022 : અયોધ્યાથી ચૂંટણી લડશે યુપીના CM યોગી આદિત્યનાથ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.