ETV Bharat / bharat

Samyukt Kisan Morcha : સંયુક્ત કિસાન મોરચાએ ઈમરજન્સી બેઠક બોલાવી, થઈ શકે છે મોટો નિર્ણય

author img

By

Published : Dec 8, 2021, 10:15 AM IST

Samyukt Kisan Morcha : સંયુક્ત કિસાન મોરચાની 10 વાગે ઈમરજન્સી બેઠક થઈ શકે છે મોટો નિર્ણય
Samyukt Kisan Morcha : સંયુક્ત કિસાન મોરચાની 10 વાગે ઈમરજન્સી બેઠક થઈ શકે છે મોટો નિર્ણય

સંયુક્ત કિસાન મોરચાની(samyukt kisan morcha meeting) 5 સભ્યોની સમિતિની સવારે 10 વાગ્યે નવી દિલ્હીમાં તાકીદની બેઠક યોજાશે. ત્યારે યુનાઈટેડ કિસાન મોરચા(Samyukt Kisan Morcha)નું કહેવું છે કે, આંદોલનને સમાપ્ત કરવાના સરકારના પ્રસ્તાવનો પ્રતિસાદ આપ્યો છે, અમુક મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગી છે.

  • સંયુક્ત કિસાન મોરચાની 10 વાગે ઈમરજન્સી બેઠક
  • દરખાસ્તમાં કેટલાક મુદ્દાઓ પર અમને વાંધો હતોઃ ખેડૂત નેતા
  • ન્યૂનતમ ટેકાના ભાવ કાયદાકીય ગેરંટી માટેની માંગ પર એક સમિતિની રચના

નવી દિલ્હી: સંયુક્ત કિસાન મોરચાની(SKM) પાંચ સભ્યોની સમિતિ આજે નવી દિલ્હીમાં સવારે 10 વાગ્યે બેઠક(samyukt kisan morcha meeting) યોજાશે. જેમાં ખેડૂતો આંદોલનને લઈને મોટા નિર્ણય થઈ શકે છે. યુનાઇટેડ કિસાન મોરચાએ(Samyukt Kisan Morcha) મંગળવારે આંદોલન સમાપ્ત કરવાના સરકારના પ્રસ્તાવનો જવાબ આપ્યો, અમુક મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગી. સંગઠને કહ્યું કે તેણે ખેડૂતો સામે નોંધાયેલા ખોટા કેસો પાછા ખેંચવા માટે આંદોલન સમાપ્ત કરવાની સરકારની પૂર્વ શરત અંગે પણ સ્પષ્ટતા માંગી છે.

  • Samyukt Kisan Morcha's 5-member committee to hold an urgent meeting in New Delhi at 10 am today

    — ANI (@ANI) December 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

MSPની કાયદાકીય ગેરંટી માટેની માંગ પર એક સમિતિની રચના

બલબીર સિંહ રાજેવાલે કહ્યું કે સરકારે એક પ્રસ્તાવ મોકલ્યો, તેના પર ચર્ચા કરવામાં આવી અને સંયુક્ત કિસાન મોરચાના તમામ સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવી. સરકારના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે તે ન્યૂનતમ ટેકાના ભાવ(MSP)ની કાયદાકીય ગેરંટી માટેની માંગ પર એક સમિતિની રચના(samyukt kisan morcha meeting) કરશે અને આ સમિતિમાં SKM બહારના ખેડૂતોના સંગઠનો, સરકારી અધિકારીઓ અને રાજ્યોના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવશે.

સરકારની શરતની પણ વિરુદ્ધઃ રાજેવાલ

રાજેવાલે કહ્યું કે, અમે MSP પર એવી સમિતિઓ નથી ઈચ્છતા જે શરૂઆતથી અમારી માંગની વિરુદ્ધ હોય. અમે સરકારને આ અંગે સ્પષ્ટતા કરવા કહ્યું છે. 'અમે સરકારની શરતની પણ વિરુદ્ધ છીએ, જેમાં કહ્યું હતું કે ખેડૂતો પર નોંધાયેલા ખોટા કેસ પાછા ખેંચવા માટે ખેડૂતોનું આંદોલન સમાપ્ત કરવું પડશે.'

અન્ય એક ખેડૂત નેતાએ(samyukt kisan morcha leader) કહ્યું કે, મંગળવારે બપોરે ઓફર મળી હતી. અમે બેઠકમાં આ અંગે ચર્ચા કરી હતી. દરખાસ્તમાં અમુક મુદ્દાઓ પર અમને વાંધો હતો. અમારા સભ્યોએ કેટલાક સૂચનો આપ્યા છે અને તે સરકારને મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Death threat to rakesh tikait : ખેડૂત નેતા રાકેશ ટિકૈતને મારી નાંખવાની મળી ધમકી

આ પણ વાંચોઃ ત્રણેય કૃષિ કાયદા પરત લેતા દેશભરમાં ઉજવણી, ગાઝીપુર બોર્ડરમાં ખેડૂતોએ એકબીજાને જલેબી ખવડાવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.