ETV Bharat / bharat

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ થયા કોવિડ પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી

author img

By

Published : Jan 10, 2022, 7:16 PM IST

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જો કે, તેમને હળવા લક્ષણો હતા. રાજનાથ સિંહે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને તપાસ કરવા અપીલ કરી છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ થયા કોવિડ પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ થયા કોવિડ પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી

નવી દિલ્હી: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે, તેમણે ટ્વિટર પર આ માહિતી શેર કરી છે. રાજનાથ સિંહે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને તપાસ કરવવા અપીલ પણ કરી છે.

  • I have tested positive for Corona today with mild symptoms. I am under home quarantine. I request everyone who have recently come in my contact to isolate themselves and get tested.

    — Rajnath Singh (@rajnathsingh) January 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સંપર્કમાં આવેલા લોકોને તપાસ કરાવવા કરી અપીલ

રાજનાથ સિંહે ટ્વિટ કરીને જણાવ્યું હતુ કે, તેનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેઓને હળવા લક્ષણો છે, તેઓ ખુદ હોમ ક્વોરન્ટાઈન થઇ ગયા છે. તેમજ તેમને વધુમાં જણાવ્યું હતું કે, 'હું એવા તમામ લોકોને વિનંતી કરું છું જેઓ મારા સંપર્કમાં આવ્યા છે તેઓ જલદીથી પોતાનો રિપોર્ટ કરાવે. 6 જાન્યુઆરીએ રાજનાથ સિંહે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી, આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ પણ વાંચો : Corona Guidelines Gujarat: નેતાઓ માસ્ક નથી પહેરતા તો હું પણ નહીં પહેરું તેવું ન કરતાં... ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ લોકોને ચેતવ્યા

આ પણ વાંચો : આણંદમાં કીર્તિદાનના ડાયરામાં રાજકીય નેતાઓની હાજરીમાં જ કોરોના ગાઇડલાઇનનું થયું ઉલ્લંઘન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.