ભારતમાં ફરી કોરોનાનું ડોક્યું ભારી પડી શકે છે, એક જ દિવસમાં અનેક દર્દીઓના મોત

author img

By

Published : May 1, 2022, 1:56 PM IST

ભારતમાં કોવિડ-19ના 3,324 નવા કેસ, 40 દર્દીઓના મોત
ભારતમાં કોવિડ-19ના 3,324 નવા કેસ, 40 દર્દીઓના મોત ()

દેશમાં એક દિવસમાં કોવિડ-19ના 3,324 નવા કેસ (Covid Cases In India) નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન કોરોના વાયરસના કારણે 40 કોવિડ દર્દીઓના મોત થયા છે. કોવિડ-19 માટે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 19,092 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.04 ટકા છે.

નવી દિલ્હી: ભારતમાં કોવિડ-19ના એક દિવસમાં 3,324 નવા કેસ (Covid Cases In India) નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,30,79,188 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી હતી.

આ પણ વાંચો: બિહારમાં મળ્યો કોરોનાનો નવો વેરિઅન્ટ, ઓમિક્રોનના પેટા વેરિઅન્ટ કરતાં વધુ ઘાતક

કોરોના દર્દીઓનો મૃત્યુઆંક વધીને 5,23,843 થયો : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રવિવારે સવારે 8 વાગ્યે જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર ભારતમાં કોરોના વાયરસના કારણે વધુ 40 દર્દીઓના મોત બાદ, મૃત્યુઆંક વધીને 5,23,843 થઈ ગયો છે. દેશમાં કોવિડ -19 માટે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 19,092 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.04 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 403 નો વધારો નોંધાયો છે. કોરોના સંક્રમણમાંથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.74 ટકા છે.

કોરોના સંક્રમણનો દૈનિક દર 0.71 ટકા : અપડેટ થયેલા ડેટા અનુસાર કોરોના સંક્રમણનો દૈનિક દર 0.71 ટકા છે અને સાપ્તાહિક દર 0.68 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,25,36,253 લોકો કોરોના સંક્રમણ મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.22 ટકા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 189.17 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ફરી ભક્તો માટે પ્રતિબંધ, જાણો શું છે કોરોનાની નવી માર્ગદર્શિકા

2020 અને 2021ના કોરોના કેસ પર એક નજર : કોરોના સંક્રમણના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. 19 ડિસેમ્બર 2020 ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે, 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા 20 મિલિયનને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021 ના ​રોજ 30 મિલિયનને વટાવી ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.