ETV Bharat / bharat

Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 41,649 નવા કેસ નોંધાયા

author img

By

Published : Jul 31, 2021, 10:14 AM IST

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના 41,649 નવા કેસ અને 593 મૃત્યુ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 46 કરોડ 15 લાખથી વધુ લોકોને કોવિડ રસીની પ્રથમ કે બીજી માત્રા આપવામાં આવી છે.

Corona Update
Corona Update

  • 24 કલાકમાં કોરોના વાઇરસના 41,649 નવા કેસ નોંધાયા
  • સંક્રમણને કારણે 593 લોકોના મોત
  • મૃત્યુની સંખ્યા 4,23,810 પર પહોંચી ગઈ

નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના 41,649 નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન સંક્રમણને કારણે 593 લોકોના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કેસોની સંખ્યા વધીને 3,16,13,993 થઈ ગઈ છે અને મૃત્યુની સંખ્યા 4,23,810 પર પહોંચી ગઈ છે.

હાલમાં સક્રિય કેસ 4,08,920 છે

મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 37,291 દર્દીઓ ચેપથી મુક્ત થયા છે. હાલમાં સક્રિય કેસ 4,08,920 છે. કોરોના રસીકરણની વાત કરીએ તો, અત્યાર સુધીમાં દેશભરમાં 46,15,18,479 લોકોને કોવિડ રસીની પ્રથમ અથવા બીજી માત્રા આપવામાં આવી છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજયમાં કોરોનાના 21 પોઝિટીવ કેસ, એક પણ મૃત્યુ નહિં

આ પણ વાંચો: Gujarat Corona Update: 27 નવા કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહિં

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના 30થી પણ ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં એક પણ મૃત્યુ નહીં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.