ETV Bharat / bharat

Corona case in India : ભારતમાં કોરોનાના 1,94,720 નવા કેસ, ઓમિક્રોનના 4,868 કેસ નોંધાયા

author img

By

Published : Jan 12, 2022, 12:53 PM IST

Corona case in India : ભારતમાં કોરોનાના1,94,720 નવા કેસ, ઓમિક્રોનના 4,868 કેસ નોંધાયા
Corona case in India : ભારતમાં કોરોનાના1,94,720 નવા કેસ, ઓમિક્રોનના 4,868 કેસ નોંધાયા

ભારતમાં કોરોનાના કેસ (Corona case in India) અટકવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે બુધવારે નવા કેસની (new cases increased on Wednesday) સંખ્યા વધીને 1,94,720 થઈ ગઈ છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ (Corona case in India) અટકવાનું નામ નથી લઈ રહ્યા, ત્યારે ગઈકાલ (મંગળવારે) સુધી જ્યાં નવા કેસની સંખ્યા 1,68,063 હતી ત્યાં બુધવારે નવા કેસની (new cases increased on Wednesday) સંખ્યા વધીને 1,94,720 થઈ ગઈ છે. 24 કલાકમાં મૃત્યુઆંક 442 નોંધાયો છે, જે ચિંતાજનક છે.

ઓમિક્રોનના કેસ વધ્યા

કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોનના કેસ (Cases of Omicron increased) પણ વધી રહ્યા છે. દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, અત્યાર સુધીમાં કોરોના વાયરસના આ સ્વરૂપથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,868 થઈ ગઈ છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યું

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ બુધવારે અપડેટ ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં ઓમિક્રોનના કેસ વધીને 4,868 થઈ ગયા છે. આમાંથી ઘણા લોકો સ્વસ્થ થઈને સ્વદેશ અથવા વિદેશ પરત ફર્યા છે.

60,405 દર્દીઓ સંક્રમણમાંથી સ્વસ્થ થયા

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર 60,405 દર્દીઓ સંક્રમણમાંથી સ્વસ્થ થયા પછી ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં સક્રિય કેસની સંખ્યા 9,55,319 થઈ ગઈ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી. મંત્રાલયે તેની વેબસાઈટ પર તેના આંકડા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડેટા સાથે મેચ કરવામાં આવી રહ્યા છે.

ભારતમાં મંગળવારે કોરોના વાયરસના 17,61,900 સેમ્પલ ટેસ્ટ કરાયા

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના (ICMR) અનુસાર ગઈકાલે (મંગળવારે) ભારતમાં કોરોના વાયરસ માટે 17,61,900 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. મંગળવાર સુધીમાં કુલ 69,52,74,380 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. મંગળવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,68,063 નવા કેસ નોંધાયા હતા, જે પછી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 35,875,790 થઈ ગઈ છે.

સોમવારે પોઝીટીવીટી દર 13.29 ટકા હતો

ગઈકાલે (મંગળવારે) એક દિવસમાં પોઝિટિવ કેસમાં ઘટાડાને કારણે પોઝીટીવીટી દરમાં થોડો ઘટાડો નોંધાયો હતો.ગઈકાલે ((મંગળવારે) દૈનિક પોઝીટીવીટી દર 10.64 ટકા નોંધાયો હતો જે સોમવારે 13.29 ટકા હતો.

કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોનના કેસ વધ્યા

કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના આ સ્વરૂપથી સંક્રમિત લોકોની સંખ્યા 4,461 છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે અપડેટ ડેટામાં આ માહિતી આપવામાં આવી છે.

ભારતમાં ઓમિક્રોનના કેસમાંથી 1,711 લોકો સ્વસ્થ થયા

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં ઓમિક્રોનના કેસમાંથી 1,711 લોકો સ્વસ્થ થઈને સ્વદેશ અથવા વિદેશ પરત ફર્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. 24 કલાકમાં વધુ 277 મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 4,84,231 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.

આ પણ વાંચો:

Omicron Case in India : ભારતમાં કોરોનાના 1,79,723 નવા કેસ, ઓમિક્રોનના 4,033 કેસ નોંધાયા

Corona Cases in India : ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો, 1.68 લાખ નવા કેસ નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.