ETV Bharat / bharat

Corona Cases in India : ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો, 1.68 લાખ નવા કેસ નોંધાયા

author img

By

Published : Jan 11, 2022, 10:11 AM IST

Corona Cases in India : ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો, 1.68 લાખ નવા કેસ નોંધાયા
Corona Cases in India : ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો, 1.68 લાખ નવા કેસ નોંધાયા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 1.68 લાખથી વધુ નવા કેસ(Corona Cases in India) નોંધાયા છે, જે છેલ્લા 228 દિવસમાં નોંધાયેલા સૌથી વધુ દૈનિક કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓથી મુત્યુ(Coronavirus Death in India) પામ્યા હતા.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. એક દિવસમાં કેસની સંખ્યા 1,68,063 નવા કેસ(New Cases of Corona) નોંધાયા છે, જે પછી અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 35,875,790 પર પહોંચી ગઈ છે. કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોનના કેસ(Corona and New Variant Omicron) પણ વધી રહ્યા છે. દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, કોરોના વાયરસના આ સ્વરૂપથી સંક્રમિત લોકોની સંખ્યા અત્યાર સુધીમાં પાંચ હજારને વટાવી ગઈ છે.

ઓમિક્રોનના પાંચ હજારને પાર

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં ઓમિક્રોનના(Omicron in India) કેસ પાંચ હજારને વટાવી ગયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, જે 1500ને વટાવી ગયા છે. દેશમાં 24 કલાકમાં વધુ 277 મૃત્યુ નોંધાયા છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 4,84,231 લોકોના મોત થયા છે. તેમજ એક દિવસમાં સક્રિય કેસ વધીને 97827(Active Cases of Corona in India) થઈ ગયા છે, ત્યારબાદ સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 821446 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 34570131 દર્દીઓ ચેપમાંથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

કોરોના સંક્રમણને કારણે 30 ટકા લોકો મુત્યૃ પામ્યા છેઃ સ્વાસ્થ્ય મંત્રાલય

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોમાંથી 70 ટકાથી વધુ દર્દીઓને અન્ય બીમારીઓ પણ હતી. આ આંકડા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના(ICMR) ડેટા સાથે મેચ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત રસીકરણની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં 92,07,700 રસી આપવામાં આવી છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ(Vaccination Campaign India) અત્યાર સુધીમાં 1,52,89,70,294 લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

ભારતમાં એક દિવસમાં 15,79,928 લોકોના સેમ્પલ ટેસ્ટ

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, ગઈકાલે ભારતમાં એક દિવસમાં 15,79,928 લોકોના સેમ્પલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 69,31,55,280 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ કોવિડ ટેસ્ટ જરૂરી નથી: ICMR

સોમવારે ભારતમાં 227 દિવસમાં નોંધાયેલા સૌથી વધુ દૈનિક કેસ હતા

આ ઉપરાંત સોમવારે ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના 1,79,723 નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા 227 દિવસમાં નોંધાયેલા સૌથી વધુ દૈનિક કેસ હતા. દેશમાં સંક્રમણના નવા કેસ સહિત, 3,57,07,727 કેસ નોંધાયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર(Ministry of Health India) દેશમાં 146 દર્દીઓના મોત થયા છે. દેશમાં આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 4,83,936 લોકોના મોત થયા છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં ઓમિક્રોનના ભયના પગલે લોકો આયુર્વેદીક ઓસડીયાની બજારો તરફ વળ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.