ETV Bharat / bharat

કોંગ્રેસ પાર્ટી જમ્મુ-કાશ્મીરમાં બોલાવાયેલી PM Modiની બેઠકમાં ભાગ લેશે

author img

By

Published : Jun 23, 2021, 9:23 AM IST

કોંગ્રેસ પક્ષ (Congress party)ના ટોચના કાશ્મીરી નેતાઓ-પૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad), ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તારાચંદ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ (Jammu Kashmir Regional Congress Committee)ના પ્રમુખ ગુલામ અહમદ મીર (Ghulam Ahmad Mir) 24 June વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા 24 જૂને બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેશે.

Congrકોંગ્રેસ પાર્ટી જમ્મુ-કાશ્મીરમાં બોલાવાયેલી PM Modiની બેઠકમાં ભાગ લેશેess party to
Congresકોંગ્રેસ પાર્ટી જમ્મુ-કાશ્મીરમાં બોલાવાયેલી PM Modiની બેઠકમાં ભાગ લેશેs party to

  • કોંગ્રેસ દ્વારા 24 જૂને બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય
  • સોનિયા ગાંધીની આગેવાની હેઠળ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ડિજિટલ મીટિંગમાં લેવાયો નિર્ણય
  • જમ્મુ-કાશ્મીરનું સંપૂર્ણ રાજ્યત્વ ફરીથી સ્થાપિત થવું જોઈએ

નવી દિલ્હી : કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા 24 જૂને બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ (Jammu Kashmir Regional Congress Committee)ના પ્રમુખ ગુલામ અહેમદ મીરે (Ghulam Ahmad Mir) મંગળવારે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi President Indian National Congress)ની આગેવાની હેઠળ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની ડિજિટલ મીટિંગ (Digital Meeting)માં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વડાપ્રધાન દ્વારા 24 જૂને જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોની બેઠક બોલાઇ

તેમણે જણાવ્યુ હતુંં કે, આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Former Prime Minister Manmohan Singh), ભૂતપૂર્વ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ (Former Home Minister Of India P Chidambaram), કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad), કરણસિંહ (Karan Singh), રાજ્ય પ્રભારી (In Charge Of The State) રજની પાટિલ અને તેઓ પોતે ઉપસ્થિત રહ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે, વડાપ્રધાન મોદી દ્વારા 24 જૂને જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોની બેઠક બોલાવવામાં આવી છે.

કેન્દ્રશાસિત પ્રદેશને સંપૂર્ણ રાજ્યનો દર્જો આપવો જોઈએ

મીરે જણાવ્યુંં હતું કે, વડાપ્રધાનની બેઠકનો એજન્ડા આવે પછી નક્કી કરવામાં આવશે કે, બેઠકમાં પક્ષનો શું અભિપ્રાય હશે. તેમના કહેવા મુજબ, જમ્મુ-કાશ્મીરના લોકોની એવી લાગણી છે કે, આ કેન્દ્રશાસિત પ્રદેશને સંપૂર્ણ રાજ્યનો દર્જો આપવો જોઈએ. કોંગ્રેસે (Congress party) તાજેતરના દિવસોમાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરનું સંપૂર્ણ રાજ્યત્વ ફરીથી સ્થાપિત થવું જોઈએ.

ગુપકર ગઠબંધને આ સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો

કોંગ્રેસ પહેલા ગુપકર ગઠબંધન (PAGD)એ પણ આ સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો. વડાપ્રધાને બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં ભાગ લેવાનો નિર્ણય શ્રીનગરમાં પૂર્વ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રીય પરિષદના નેતા ફારૂક અબ્દુલ્લા (National Council Leader Farooq Abdullah)ના નિવાસ સ્થાને PAGD નેતાઓની બેઠક બાદ લેવામાં આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીર ઇકાઇએ સર્વપક્ષીય બેઠકમાં પાર્ટીને આમંત્રણ ન અપાયું

આ દરમિયાન બસપાના જમ્મુ-કાશ્મીર ઇકાઇએ સર્વપક્ષીય બેઠકમાં પાર્ટીને આમંત્રણ ન અપાયું હોવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. પાર્ટીના જમ્મુ-કાશ્મીર એકમના પ્રમુખ એસ. આર. મજોત્રાએ જણાવ્યું હતું કે, તેમનો પક્ષ અનુસૂચિત જાતિ (Scheduled Caste) અને અન્ય પછાત જાતિઓ અને લઘુમતી સમુદાયોની ભાવનાઓને રજૂ કરે છે.

કેન્દ્ર સરકારના દલિત વિરોધી અને ગરીબ વિરોધી નિર્ણયની નિંદા કરીએ

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે કેન્દ્ર સરકારના દલિત વિરોધી અને ગરીબ વિરોધી નિર્ણયની નિંદા કરીએ છીએ. જેણે સર્વપક્ષીય બેઠકમાં આપણને અવગણ્યા છે.” મજોત્રાએ જણાવ્યું હતું કે, બિનસાંપ્રદાયિક દળો, ખાસ કરીને દલિતો, અન્ય પછાત વર્ગ અને મુસ્લિમોએ એક થઈને ભાજપને મદદ કરવી જોઈએ. આગામી ચૂંટણીમાં મારે 'યોગ્ય જવાબ' આપવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.