ETV Bharat / bharat

કોંગ્રેસે ફરી વિધાનસભા પક્ષની બેઠક બોલાવી, જાખરને મળી શકે છે પંજાબની કમાન

author img

By

Published : Sep 19, 2021, 10:26 AM IST

ગુજરાત રાજકારણ બાદ હવે પંજાબના પ્રધાન મંડળમાં પણ ધસમાસાટ શરૂ થઇ છે ત્યારે પંજાબના મુખ્યપ્રધઆને પણ પ્રધાનો સાથે રાજીનામું આપ્યું છે ત્યારે જેને લઇને કોંગ્રેસ પાર્ટીએ આજે ​​ફરી ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ બેઠક રવિવારે સવારે યોજાશે, જેમાં મુખ્યપ્રધાનના નામની જાહેરાત થઈ શકે છે. આ બેઠક સવારે 11 વાગ્યે શરૂ થશે અને તેમાં હરીશ રાવત અને અજય માકન પણ ઉપસ્થિત રહેશે.

કોંગ્રેસે ફરી વિધાનસભા પક્ષની બેઠક બોલાવી, જાખરને મળી શકે છે પંજાબની કમાન
કોંગ્રેસે ફરી વિધાનસભા પક્ષની બેઠક બોલાવી, જાખરને મળી શકે છે પંજાબની કમાન

  • ગુજરાત બાદ પંજાબમાં પણ રાજનૈતિક રકઝક
  • પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે આપ્યું રાજીનામું
  • કોંગ્રેસે નવી સરકાર બનાવવાની ફોર્મ્યુલાની તૈયારીઓ શરૂ

ન્યૂઝ ડેસ્ક: ગુજરાત બાદ પંજાબમાં પણ રાજનૈતિક રકઝક શરૂ થઇ છે ત્યારે શનિવારે પંજાબમાં મુખ્યપ્રધાન પદ પરથી કેપ્ટન અમરિંદર સિંહે (Captain Amarinder Singh) રાજીનામું આપ્યા બાદ હવે કોંગ્રેસે નવી સરકાર બનાવવાની ફોર્મ્યુલા નક્કી કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ સાંસદ અને પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડ, રાહુલ ગાંધી (Rahul Gandhi) અને નવજોત સિંહ સિદ્ધુના નજીકના મુખ્યપ્રધઆન બની શકે છે.

પંજાબના મુખ્યપ્રધાન બનાનારમાં આ નામ છે ચર્ચામાં

આ સિવાય નવી સરકારમાં બે ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવશે. બે ડેપ્યુટી સીએમમાંથી એક ડેપ્યુટી સીએમ દલિત સમુદાયમાંથી હશે. આ રેસમાં પૂર્વ કેબિનેટ પ્રધાનના ચરણજીત સિંહ ચન્ની અને કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય રાજકુમાર વેરકાના નામ આગળ છે.

આ પણ વાંચો: 'કેપ્ટન' પર ભારે પડ્યો 'ખેલાડી, નવજોત સિંહ સિદ્ધુએ બદલો વાળ્યો - અમરિંદરે છોડવી પડી CM ખુરશી

સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા ધારાસભ્ય પક્ષના નેતા તરીકે સિદ્ધુ સિવાય, કોંગ્રેસના ભૂતપૂર્વ પંજાબ એકમના અધ્યક્ષ સુનીલ જાખડ, ભૂતપૂર્વ પ્રધાન સુખજિંદર સિંહ રંધાવા, ત્રિપટ રાજિન્દર સિંહ બાજવા અને રાજ્યસભાના સભ્ય પ્રતાપ સિંહ બાજવાનાં નામ સમાચારોમાં છે. આ નામો ઉપરાંત પૂર્વ કેન્દ્રીય પ્રધાનો અંબિકા સોની, બ્રહ્મ મોહિન્દ્રા, વિજય ઈન્દર સિંગલા, પંજાબ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કુલજીત સિંહ નાગરાની નામોની પણ ચર્ચા છે.

એક નાયબ મુખ્યપ્રધાન શીખ સમુદાયમાંથી હશે

એક નાયબ મુખ્યપ્રધાન શીખ સમુદાયમાંથી હશે, જેમાં નવજોત સિંહ સિદ્ધુના નજીકના સહયોગી અને કેપ્ટન સામે બળવાનું રણશિંગુ ફૂંકનાર ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી સુખજિંદર સિંહ રંધાવાનું નામ આગળ વધી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે ચહેરો હવે કેપ્ટન અમરિંદર સિંહના સ્થાને મુખ્યમંત્રી પદ પર બેસશે, તેમના નેતૃત્વમાં 2022 વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે નહીં.

આ પણ વાંચો: પંજાબમાં રાજકીય ધર્મસંકટ: CM કેપ્ટન અમરિંદર બપોરે 3:30 કલાકે આપી શકે છે રાજીનામું

જો પાર્ટી હાઈકમાન્ડ સિદ્ધુને મુખ્યપ્રધાન બનાવવાનો નિર્ણય લેશે તો તેમની સાથે હિન્દુ અને દલિત સમુદાયના બે નાયબ મુખ્યપ્રધાનોઅથવા આ સમુદાયોમાંના એક નેતા, નાયબ મુખ્યપ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના અન્ય સમુદાયને ચેરમેન બનાવી શકાય છે.

અમરિંદર સિંહે સિદ્ધુના નામનો સખત વિરોધ કર્યો

અમરિંદર સિંહે સિદ્ધુના નામનો સખત વિરોધ કર્યો હતો તેમણે જણાવ્યું કે, સિદ્ધુનો પાકિસ્તાન સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે, જો તેઓ મુખ્યપ્રધાન બનશે તો પંજાબનો કાફલો ખોરવાઈ જશે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.