ETV Bharat / bharat

CBI summons to CM Kejriwal: કેજરીવાલનો અવાજ દબાવવો ખૂબ મુશ્કેલ છેઃ CM ભગવંત માન

author img

By

Published : Apr 16, 2023, 10:06 AM IST

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં CBI દ્વારા અરવિંદ કેજરીવાલ સામે સમન્સ જારી કર્યાના એક દિવસ બાદ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કેજરીવાલનો અવાજ દબાવવો ખૂબ મુશ્કેલ છે.

CBI summons to CM Kejriwal: કેજરીવાલનો અવાજ દબાવવો ખૂબ મુશ્કેલ છેઃ CM ભગવંત માન
CBI summons to CM Kejriwal: કેજરીવાલનો અવાજ દબાવવો ખૂબ મુશ્કેલ છેઃ CM ભગવંત માન

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને સીબીઆઈ દ્વારા દારૂની નીતિના મામલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા બાદ પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન પણ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. મળતી માહિતી મુજબ ભગવંત માન આગામી બે દિવસ દિલ્હીમાં રહેશે.

  • अरविंद केजरीवाल जी की आवाज़ को दबाना बहुत मुश्किल है..सत्य बोलने वाले लोगों के दिल में जगह बनाते हैं..लोगों के दिलों से कोई किसी को डिलीट नहीं कर सकता..हम चट्टान की तरह उनके साथ खड़े हैं…ईनकलाब ज़िंदाबाद

    — Bhagwant Mann (@BhagwantMann) April 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચોઃ "અરાજકતાની ઊંચાઈ": અતીક અહેમદ, અશરદની હત્યાનો વિરોધ

કેજરીવાલની થઈ શકે ધરપકડઃ CBIએ થોડા સમય પહેલા દિલ્હી એક્સાઈઝ પોલિસીમાં નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની મજબૂત પુરાવાના આધારે ધરપકડ કરી હતી. હવે આ કેસમાં સીબીઆઈએ અરવિંદ કેજરીવાલને રવિવારે હાજર થવા કહ્યું છે. આવી સ્થિતિમાં હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે જો સીબીઆઈને દિલ્હીના મુખ્યપ્રધાન વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળશે તો કેજરીવાલની ધરપકડ થઈ શકે છે. સાથે જ પંજાબના મુખ્યપ્રધાન સંકેત આપ્યા છે કે તેઓ કેજરીવાલની સાથે ઉભા રહેશે.

સીએમ માનનું ટ્વીટઃ મુખ્યપ્રઘાન ભગવંત માને ટ્વીટ કરીને લખ્યું કે, અરવિંદ કેજરીવાલનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે લોકો સત્ય બોલે છે તે લોકોના દિલમાં સ્થાન બનાવે છે. લોકોના હૃદયમાંથી કોઈને ભૂંસી શકાતું નથી. અમે અરવિંદ કેજરીવાલની સાથે ખડકની જેમ ઊભા છીએ અને આ ક્રાંતિમાં તેમનો સાથ આપીશું.

આ પણ વાંચોઃ Atiq Ahmed Murder: મીડિયાકર્મીના વેશમાં આવ્યા હતા અતિક-અશરફને મારવા, નામ જાહેર કરાયા

કેજરીવાલ પર સવાલ: સીબીઆઈની પૂછપરછમાં કેજરીવાલ પાસેથી મનીષ સિસોદિયા જેવા કોઈ નક્કર પુરાવા બહાર આવશે તો સીબીઆઈ તેમની ધરપકડ પણ કરી શકે છે. તેમનું એમ પણ કહેવું છે કે, કેજરીવાલ સરકારના વડા ન હોવાથી આ નીતિ માટે મંજૂરી મેળવવી શક્ય ન હતી એટલા માટે તે કેજરીવાલ પર સવાલ ઉઠાવવાનો આધાર બની ગયો છે. કેજરીવાલ મુખ્યપ્રધાન હોય તો સીબીઆઈને કોઈ પરવા નથી. ભ્રષ્ટાચારના મામલામાં સીબીઆઈ પુરાવા મળ્યા બાદ કોઈપણ વ્યક્તિની સીધી ધરપકડ કરી શકે છે. જણાવી દઈએ કે હવે આ મામલો સમગ્ર દેશની હેડલાઈન્સ બની રહ્યો છે, કારણ કે દિલ્હીના બાહુબલી નેતાઓ એક્સાઈઝ પોલિસીથી ઘેરાયેલા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.