ETV Bharat / bharat

PM મોદીની મુલાકાત પહેલા જ જમ્મુના એક ગામમાં થયો બ્લાસ્ટ

author img

By

Published : Apr 24, 2022, 12:32 PM IST

જમ્મુના બિશ્નાહ વિસ્તારના લાલિયન ગામમાં એક શંકાસ્પદ બ્લાસ્ટ (Suspected blast in Jammu village) થયો છે, સાંબાના પલ્લી ગામના સ્થળ પર સુરક્ષા તપાસ ચાલી (Security checks are underway at the venue) રહી છે, જ્યાંથી પીએમ મોદી દેશભરની પંચાયતોને સંબોધિત (PM Modis Jammu and Kashmir visit) કરશે. રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે અને દેશભરની ગ્રામસભાઓને સંબોધિત કરશે.

PM મોદીની જમ્મુ-કાશ્મીર મુલાકાત પહેલા જમ્મુના એક ગામમાં થયો રહસ્યમય વિસ્ફોટ
PM મોદીની જમ્મુ-કાશ્મીર મુલાકાત પહેલા જમ્મુના એક ગામમાં થયો રહસ્યમય વિસ્ફોટ

જમ્મુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ અને કાશ્મીરની પ્રથમ મોટી મુલાકાત (PM Modi's first major trip to the Union Territory) પહેલાં, પોલીસે જણાવ્યું હતું કે, લોકોએ જમ્મુના બિશ્નાહ વિસ્તારના લાલિયન ગામમાં એક શંકાસ્પદ બ્લાસ્ટની જાણ કરી (Security checks are underway at the venue) હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસે રવિવારે જણાવ્યું હતું કે, "જમ્મુના બિશ્નાહના લાલિયન ગામમાં ખુલ્લી ખેતીની જમીનમાં ગ્રામજનો દ્વારા એક શંકાસ્પદ વિસ્ફોટની જાણ (Suspected blast in Jammu village) કરવામાં આવી હતી."

PM મોદીની જમ્મુ-કાશ્મીર મુલાકાત પહેલા જમ્મુના એક ગામમાં થયો રહસ્યમય વિસ્ફોટ
PM મોદીની જમ્મુ-કાશ્મીર મુલાકાત પહેલા જમ્મુના એક ગામમાં થયો રહસ્યમય વિસ્ફોટ

આ પણ વાંચો: Polish Foreign Minister visit India: પોલેન્ડના વિદેશપ્રધાન 25થી 27 એપ્રિલ સુધી ભારતની મુલાકાત લેશે

શંકાસ્પદ વિસ્ફોટની તપાસ: પોલીસના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ વિસ્ફોટની તપાસ (PM Modis Jammu and Kashmir visit) ચાલુ છે. દરમિયાન, સાંબાના પલ્લી ગામમાં સ્થળ પર સુરક્ષા તપાસ ચાલી રહી છે, જ્યાંથી પીએમ મોદી દેશભરની પંચાયતોને સંબોધિત કરશે. રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે અને દેશભરની ગ્રામસભાઓને સંબોધિત કરશે.

અનેક વિકાસલક્ષી પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ: તેઓ રૂ. 20,000 કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસલક્ષી પહેલોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન, જળાશયોના પુનઃજીવિતકરણની ખાતરી કરવા માટે, વડાપ્રધાન અમૃત સરોવર નામની નવી પહેલ પણ શરૂ કરશે. તે દેશના દરેક જિલ્લામાં 75 જળાશયોને વિકસાવવા અને તેને પુનર્જીવિત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

આ પણ વાંચો: Andhra Pradesh Donkey Race: આ પણ ભારતમાં જ થઈ શકે, રથ ઉત્સવમાં ગધેડાઓની રેસ

બનિહાલ કાઝીગુંડ રોડ ટનલનું ઉદ્ઘાટન: પ્રધાનમંત્રી 3,100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલ બનિહાલ કાઝીગુંડ રોડ ટનલનું ઉદ્ઘાટન કરશે. આ ટનલ જમ્મુ અને કાશ્મીર વચ્ચે તમામ હવામાનમાં કનેક્ટિવિટી સ્થાપિત કરવામાં અને બંને પ્રદેશોને નજીક લાવવામાં મદદ કરશે. આ સિવાય પીએમ મોદી 7,500 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવનાર દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના ત્રણ રસ્તાના પેકેજનો શિલાન્યાસ કરશે. ઓગસ્ટ 2019માં કલમ 370 અને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ (since the abrogation of Article 370 ) કર્યા પછી સરહદી ચોકીઓની તેમની મુલાકાતો સિવાય કેન્દ્રશાસિત પ્રદેશની પીએમ મોદીની આ પ્રથમ મોટી મુલાકાત હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.