ETV Bharat / bharat

યુકેના વડાપ્રધાન બોરિસ જોહ્નસને પીએમ મોદીનું આમંત્રણ સ્વીકાર્યું, પ્રજાસત્તાક દિવસની પરેડના બનશે મહેમાન

author img

By

Published : Dec 15, 2020, 7:54 PM IST

યુકેના વડાપ્રધાન બોરિસ જોહ્નસને પીએમ મોદીનું આમંત્રણ સ્વીકાર્યું, પ્રજાસત્તાક દિવસની પરેડના બનશે મહેમાન
યુકેના વડાપ્રધાન બોરિસ જોહ્નસને પીએમ મોદીનું આમંત્રણ સ્વીકાર્યું, પ્રજાસત્તાક દિવસની પરેડના બનશે મહેમાન

યુનાઇટેડ કિંગ્ડમના વડાપ્રધાન બોરિસ જોહ્નસન આવતા વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડના મહેમાન બનશે. તેમણે આ અંગે પીએમ મોદીનું આમંત્રણ સ્વીકાર્યું છે. ગતવર્ષે બ્રેક્ઝિટ તેમજ વડાપ્રધાન તરીકેનો પોતાનો કાર્યભાર સંભાળ્યા બાદ જોહ્નસનની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત બની રહેશે.

  • યુકેના વડાપ્રધાન બોરિસ જોહ્નસન બનશે ભારતના મહેમાન
  • સ્વીકાર્યુ પીએમ મોદીનું આમંત્રણ
  • પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે રહેશે ઉપસ્થિત

લંડન: યુનાઇટેડ કિંગ્ડમના વડાપ્રધાન બોરિસ જોહ્નસન આગામી 26 જાન્યુઆરીએ ભારતની મહેમાનગતિ માણશે. તેમણે પીએમ મોદીનું આમંત્રણ સ્વીકાર્યું છે. તેઓ પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

ભારત- બ્રિટનના દ્વિપક્ષીય સંબંધોમાં આવશે તેજી

ભારતની મુલાકાતે આવેલા બ્રિટનના વિદેશ પ્રધાન ડોમિનિક રાબે દિલ્હી ખાતે મંગળવારે આ આમંત્રણ સ્વીકારવામાં આવ્યું હોવાની પુષ્ટિ કરી હતી. જોહ્નસને હિંદ- પ્રશાંત ક્ષેત્રમાં ભારતને વિશાળ દેશ તરીકે ગણાવી તેમની આ મુલાકાત વડે 'ગ્લોબલ બ્રિટન' માટે એક ઉત્સાહજનક વર્ષ શરૂ થશે તેમ કહ્યું હતું. ઉપરાંત આનાથી દ્વિપક્ષીય સંબંધોમાં તેજી આવશે તેવું જણાવ્યું હતું.

ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું કે નવા વર્ષના પ્રવાસમાં સંરક્ષણ અને સુરક્ષા, આરોગ્ય અને આબોહવા પરિવર્તનને મુખ્ય અગ્રતાવાળા ક્ષેત્રો તરીકે ઓળખવામાં આવ્યા છે. જોહ્નસને કહ્યું, "હું આવતા વર્ષની ભારતની મુલાકાતને લઈને ખૂબ જ આનંદ અનુભવું છું જે ગ્લોબલ બ્રિટન માટે એક પ્રોત્સાહક વર્ષ બની રહેશે અને હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મેં જે દ્વિપક્ષીય સંબંધોને હાંસલ કરવાનું વચન આપ્યું છે તેને ખૂબ વેગ આપવા માંગુ છું."

રોજગાર વૃદ્ધિ અને આર્થિક વિકાસ માટે કામ કરીશું: બોરિસ જોહ્નસન

તેમણે કહ્યું, હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં મુખ્ય દેશ હોવાને કારણે ભારત યુનાઇટેડ કિંગડમનો મહત્વપૂર્ણ સહયોગી છે અને અમે રોજગાર વૃદ્ધિ અને આર્થિક વિકાસ માટે કામ કરીશું, આપણી સામાન્ય સુરક્ષાના જોખમોનો સામનો કરીશું અને આપણા ગ્રહનું રક્ષણ કરીશું.'

ભારતની સ્વતંત્રતા બાદ જોહ્નસન બ્રિટનના એવા દ્વિતીય વડાપ્રધાન છે જે મુખ્ય મહેમાન તરીકે ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ થશે. આ પહેલા 1993માં તત્કાલીન વડાપ્રધાન જોન મેજર મુખ્ય મહેમાન બન્યા હતા.

આ મુલાકાત ભારત- બ્રિટનના સંબંધોના નવા યુગનું પ્રતીક બનશે: એસ. જયશંકર

ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકેના આમંત્રણને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોહ્નસને સ્વીકારતા ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત-બ્રિટન વચ્ચેના સંબંધોના નવા યુગનું પ્રતીક બની રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.