ETV Bharat / bharat

લદ્દાખમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત રૂપિયા 520 કરોડના પેકેજને મંજૂરી

author img

By

Published : Oct 14, 2020, 8:27 PM IST

કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ રૂપિયા 520 કરોડ રૂપિયાના વિશેષ પેકેજને મંજૂર આપી છે.

વડાપ્રધાન મોદી
વડાપ્રધાન મોદી

નવી દિલ્હી : કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ રૂપિયા 520 કરોડ રૂપિયાના વિશેષ પેકેજને મંજૂર આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આ માહિતી આપી હતી. જાવડેકરે પત્રકારોને જણાવ્યું હતું કે,"કેન્દ્રીય પ્રધાનમંડળે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન માટે રૂપિયા 520 કરોડના વિશેષ પેકેજને મંજૂરી આપી છે."

તેમણે કહ્યું કે, 'મોદી સરકાર એવી પરિકલ્પના કરે છે કે, આ યોજના 10 કરોડ મહિલાઓ સુધી પહોંચે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં, આ યોજના હેઠળ ખૂબ જ ઓછી મહિલાઓ દ્વારા નોંધણી કરાવામાં આવતી હતી. હવે ત્યા 10 લાખ મહિલાઓ હશે એટલે કે બે તૃતીયાંશ પરિવારો આ યોજના હેઠળ જોડાશે. જેના માટે એક વિશેષ પેકેજ આપવામાં આવ્યું છે.'' કેન્દ્રીય પ્રધાનને આશા જતાવી છે કે બંન્ને કેન્દ્ર શાસિત પ્રદેશોના લોકો આ નિર્ણયનું સ્વાગત કરશે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.