ETV Bharat / bharat

ચંદ્રયાન 2: એક ગુજરાતીનું નામ ચંદ્ર સુધી પહોંચશે, જુઓ અહેવાલ

author img

By

Published : Jul 23, 2019, 1:46 PM IST

sarabhai

ન્યૂઝ ડેસ્ક: કરોડો ભારતીયોની આશા સાથે ચંદ્રયાન-2 સોમવારે ચંદ્રની ઐતિહાસિક સફળે રવાના થઈ ગયું. ઇસરોએ બપોરે 2.43 વાગે શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી તેનું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. ચંદ્રયાન-2 ધરતી પરથી ચંદ્ર વચ્ચેનું 3.84 લાખ કિલોમીટરનું અંતર 48 દિવસમાં કાપશે. તેનું લેન્ડર 7 સપ્ટેમ્બરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. આ હિસ્સામાં હજુ સુધી કોઈ દેશ પહોંચ્યો નથી.

વિક્રમ લૈંડરનું નામ ઇસરોના પુર્વ અધ્યક્ષ સ્વર્ગીય ડૉ.વિક્રમ સારાભાઇના સન્માનમાં રાખવામાં આવ્યું છે. વિક્રમ સારાભાઇને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક માનવામાં આવે છે. વિક્રમ લૈંડરનું કુલ વજન 1,471 કિલોગ્રામ છે. ચંદ્રયાન-2ને ઓબિર્ટર, વિક્રમ લૈંડર અને પ્રજ્ઞાન રોવર સહિત ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે.

વિક્રમ લૈંડર
વિક્રમ લૈંડર

શું છે વિક્રમ લૈંડર

વિક્રમ લૈંડર એક એવુ મોડ્યુલ છે જે તેના કેટલાક પ્રયોગો હાથ ધરી ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવર લઈ જશે. એકવાર વિક્રમ લૈંડર નક્કી કરેલા સમય અનુસાર ચંદ્રની સપાટી પર લેન્ડ કરેશે, તો પ્રજ્ઞા રોવર આપમેળે ચંદ્રની સપાટી પર આવશે, પ્રક્રિયાને રોલઆઉટ કહેવામાં આવે છે. તેમાં ઘણા ટૂલ્સ અને પેલોડ્સ પણ શામેલ છે જે સમગ્ર મિશન દરમિયાન નક્કી કરેલા સમય અનુસાર પ્રયોગો કરતો રહેશે.

આ લૈંડરનું નામ ઇસરોના પૂર્વ અધ્યક્ષ સ્વર્ગીય ડૉ.વિક્રમ સારાભાઇના સન્માનમાં રાખવામાં આવ્યું છે. આ લૈંડર ચંદ્રની સપાટી પર પહોંચ્યા બાદ 14 દિવસ સુધી સંચાલીત કરવામાં આવશે. આ સમય દરમિયાન વિક્રમ લૈંડર બેંગ્લોર નજીક "બેંગ્લોરમાં ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક" (IDSN) સાથે સંપર્કમાં રહેશે. ઓર્બિટર અને રોવર દ્વારા સંચાર માટે પણ સમાન નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે. વિક્રમ લૈંડરનું કુલ વજન 1,471 કિગ્રા છે, જેમાં પ્રજ્ઞાન રોવર (27 કિગ્રા) નો સમાવેશ થાય છે. આ લેન્ડર આશરે 650 ડબ્લ્યુ પાવર પેદા કરવા માટે સક્ષમ છે.

ISROએ પોતે તૈયાર કર્યુ લૈંડર

આ વાત 2007ની છે, જ્યારે રુસમી ફેડરલ સ્પેસ એજંસી Roscosmos ને એક લૈંડર તૈયાર કરવા માટે કમીશન કરવામાં આવ્યું હતું. જો કે, આ લૈંડરની ડિલીવરી સ્થગિત કરવામાં આવી હતી, કારણ કે રુસ સમય મર્યાદાની અંદર લૈડંર બનાવવામાં સક્ષમ ન હતું. રુસની આ સ્પેસ એજન્સી મંગળ માટે ફોબોસ ગ્રંટ મિશનમાં રોસ્કોસ્મોસ વિફળ થયા બાદ 2015 સુધી ડિલીવરી આપવામાં અસમર્થ હતી. ત્યાર બાદ ઇસરો પાસે કોઇ બીજો વિકલ્પ ન હતો અને તેમણે પોતે જ લૈડંર તૈયાર કરવાનો નિર્ણય લીધો.

વિક્રમ લૈંડર ચંદ્રની સપાટી પર સ્મૂથલી લૈંડિંગ કરશે જેના કારણે બોર્ડ પરના કોઇ પણ ઉપકરણોને નુકસાન ન થાય. અંતરિક્ષની દુનિયામાં આવુ પહેલી વાર થશે કે કોઇ લૈંડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. આ લૈંડર પોતે નિશ્ચિત કરેલા સ્થાન પર લૈંડ કરીને પ્રજ્ઞાન રોવર બહાર કાઢશે જે ચંદ્ર પરની સ્થિતી વિશેની જાણકારી સ્પેસ સેંટરને આપશે. આ દરમિયાન ત્યાંથી સીધા ફોટો સ્પેસ સેન્ટર મોકલવામાં આવશે. વિક્રમ લૈંડર 6 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર પહોંચશે અને ત્યાર બાદ પ્રજ્ઞાન પોતાનું કામ શરુ કરશે.

ઇસરોના Space application center (SAC)એ ઘણા અત્યાધુનિક સેંસર વિકસીત કર્યા છે જેના કારણે વિક્રમ લૈંડરને સુરક્ષિત રીતે ચંદ્ર પર ઉતારવામાં આવે અને ચોક્કસ માહિતી મેળવી શકાય. આ સિવાય Orbiter high-resolution camera (OHRC), નું બેન્ડ અલ્ટીમીટર, Lander Position Detection Camera (LPDC) અને Lander Hazard Detection and Endurance Camera (LHDAC) પણ સામેલ છે.

ડૉ વિક્રમ સારાભાઇનો જીવન પરિચય

ડૉ.વિક્રમ સારાભાઇ
ડૉ.વિક્રમ સારાભાઇ

ભારતીય વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઇને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક માનવામાં આવે છે. વિક્રમ સારાભાઇના વૈજ્ઞાનિક યોગદાન માટે તેમને "શાંતિ સ્વરુપ ભટનાગર" મૈડલ, પદ્મ ભુષણ અને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

વિક્રમ સારાભાઈ અને મૃણાલિની સારાભાઇ
વિક્રમ સારાભાઈ અને મૃણાલિની સારાભાઇ

ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદ ગુજરાતમાં 12 ઓગસ્ટ 1919 ના રોજ થયો હતો. તેમના પિતા અંબાલાલ સારાભાઈ સમૃદ્ધ ઉદ્યોગપતિ અને માતા સરલા દેવી હતા. વિક્રમ સારાભાઈનું પ્રારંભિક શિક્ષણ તેમના 8 ભાઇ બહેનો સાથે માતા સરલા દેવી દ્વારા સ્થાપના કરાયેલી, "મૈડમ મારિયા મોન્ટેસરી"થી થઇ. તેમણે ખાનગી શાળામાંથી વિજ્ઞાન વિષય સાથે ઇન્ટરમિડીયટ પરીક્ષા પુરી કરી. વિક્રમ સારાભાઈએ અમદાવાદ કૉલેજ, ગુજરાતમાંથી મેટ્રિક પાસ કરીને અને વર્ષ 1937માં કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેન્ટ જ્હોન કોલેજ ગયા. જ્યાંથી 'વિક્રમ સારાભાઈ'એ 1940માં પ્રાકૃતિક વિજ્ઞાનમાં ટ્રાયપોઝ ડિગ્રી પ્રાપ્ત કરી.

બીજા વિશ્વયુદ્ધની શરૂઆતના કારણે, ડો. સારાભાઈ ઈંગ્લેન્ડથી ભારત આવ્યા અને નોબલ વિજેતા સર સી. વી. રામન સાથે ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગ્લોરમાં પાંચ વર્ષ માટે અંતરિક્ષ કિરણો (કોસ્મિક રે) પર સંશોધન કર્યું. વર્ષ 1942 માં વિક્રમ સારાભાઈએ શાસ્ત્રીય નૃત્યાંગના મૃણાલીની સારાભાઈ સાથે લગ્ન કર્યા. તેમને 2 બાળકો હતા, જેમનું નામ કાર્તિકેય સારાભાઈ અને મલ્લિકા સારાભાઈ હતું. મલ્લિકા સારાભાઈ ભારતના પ્રસિદ્ધ નૃત્યાંગના છે. વિક્રમ સારાભાઈ વર્ષ 1945 માં કેમ્બ્રિજમાં પાછા ફર્યા, અને વર્ષ 1947 માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી, તેમણે ઉષ્ણકટિબંધીય અક્ષાંશોમાં કોસ્મિક કિરણો પર સંશોધન કરવા માટે PHDની ઉપાધી પ્રાપ્ત કરી. વિક્રમ સારાભાઈએ કેટલાક સમય માટે કેવેન્ડિશ લેબોરેટરીમાં સંશોધન કર્યું હતું, ત્યારબાદ તેઓ ભારત પાછા ફર્યા હતા.

ડૉ વિક્રમ સારાભાઇના શોધ કાર્ય

વિક્રમ સારાભાઇનો પહેલો અનુસંધાન લેખ, "ટાઇમ ડિસ્ટ્રીબ્યૂશન ઓફ કોસ્મિક રેઝ" ભારતીય વિજ્ઞાન એકેડમી પત્રિકામાં પ્રકાશિત થયો હતો.

ભારતમાં વિક્રમ સારાભાઇએ ઇન્ટર-ગ્લોબલ સ્પેસ, જિયોમેગ્નેટિઝમ અને સૌર-ઇક્વેટોરિયલ કનેક્શન પર અધ્યયન કરીને 86 વૈજ્ઞાનિક શોધ પત્ર લખ્યા.

વિક્રમ સારાભાઈ એક Institution creator

28 વર્ષની વયે, વિક્રમ સારાભાઈએ 11 નવેમ્બર, 1947 ના રોજ 'ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી' (PRL), અમદાવાદની સ્થાપના કરી.

વર્ષ 1957-1958 'ઇન્ટરનેશનલ જીઓફિઝિક્સ યર' (IGW) તરીકે ઓળખાતું હતું. વર્ષ 1957માં સ્પુટનિક-1ના લોંચિગ વખતે ડો વિક્રમ સારાભાઇને અંતરિક્ષ વિજ્ઞાનના નવા પરિદ્રશ્યોથી પરિચીત કરાવવામાં આવ્યા. અંતરિક્ષ અનુસંધાન માટે ભારતીય રાષ્ટ્રીય સમિતિ (INCOSPAR)નું સારાભઆઇની અધ્યક્ષતામાં ગઠન કરવામાં આવ્યું.

ડૉ. વિક્રમ સારાભાઇએ તિરુવનંતપુરમના થુમ્બા ગામમાં દેશના પ્રથમ રોકેટ પ્રમોચન સ્ટેશન, Thumba Geo-Linear Rocket Launching Station (TERLS) ની સ્થાપના કરી. આ દરમિયાન તેમને તત્કાલીન પરમાણુ શક્તિ કમિશનના અધ્યક્ષ "હોમી જહાંગીર ભાભા"નો સહયોગ મળ્યો.

થુમ્બાથી 21 નવેમ્બર 1963થી "Sodium vapor charge" સાથે પ્રથમ રોકેટનું લોન્ચિંગ કરવામાં આવ્યું. વર્ષ 1965માં Thumba Geo-Linear Rocket Launching Station (TERLS) ને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના એક આંતરાષ્ટ્રીય સુવિધાના રુપમાં માન્યતા આપવામાં આવી.

હોમી જહાંગીર ભાભાના મૃત્યુ બાદ, મે 1966 માં વિક્રમ સારાભાઇ તત્કાલીન પરમાણુ શક્તિ કમિશનના અધ્યક્ષ બન્યા અને ભારતના અવકાશ કાર્યક્રમની શરૂઆત થઈ.

ડૉ વિક્રમ સારાભાઇના પુરસ્કાર

વર્ષ 1962 માં ડો વિક્રમ સરાભાઈને 'શાંતિ સ્વરુપ ભટનાગર' પદક આપવામાં આવ્યું. ભારત દ્વારા વર્ષ 1966 માં ડો વિક્રમ સરાભાઈને 'પદ્મ ભૂષણ અને વર્ષ 1972 માં તેમના મૃત્યુ પછી' પદ્મ વિભૂષણથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. 31 ડિસેમ્બર 1971 ના રોજ ડૉ વિક્રમ સરાભાઈ નિદ્રાઅવસ્થામાં મૃત્યુ પામ્યા.

વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપિત સંસ્થા

  1. ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL), અમદાવાદ
  2. ભારતીય સંસ્થા ઑફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદ
  3. કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, અમદાવાદ
  4. દર્પણ અકાદમી માટે પરફોર્મિંગ આર્ટ્સ, અમદાવાદ (તેમની પત્ની સાથે મળીને)
  5. વિક્રમ સરાભાઈ અવકાશ કેન્દ્ર, તિરુવનંતપુરમ
  6. સ્પેસ ઍપ્લિકેશન્સ સેન્ટર, અમદાવાદ (આ વિક્રમ સરાભાઈ કે 6 કેન્દ્રો મળીને બનાવેલ છે)
  7. ફાસ્ટર બ્રેડર ટેસ્ટ રિએક્ટર (FBTR), કલ્પકમ
  8. વેરિયેબલ એનર્જી સાયક્લોટ્રોન પ્રોજેક્ટ, કોલકાતા
  9. ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ (ECIL), હૈદરાબાદ
  10. યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (UCIL), જાદુગુડા, બિહાર

15 ઑગસ્ટ 1969 માં 'Indian Space Research Organization' (ઇસરો) ની સ્થાપના ડૉ વિક્રમ સરાભાઈની સૌથી મોટી સફળતા હતી. ડૉ વિક્રમ સરાભાઈએ પોતાના કાર્યકાળમાં ભારત દેશના અવકાશ કાર્યક્રમની મહત્વતા પર ભાર મૂક્યો હતો. ભારતીય પરમાણુ વિજ્ઞાન કાર્યક્રમના જનક તરીકે ઓળખનારા 'ડો હોમી જહાંગીર ભાભા' એ ભારતમાં પ્રથમ રોકેટ લોંચિગ કેન્દ્રની સ્થાપનામાં ડૉ વિક્રમ સારાભાઈનો મહત્વનો ફાળો હતો. વર્ષ 1966માં NASA સાથે ડૉ. વિક્રમ સરાભાઈની વાતચીતના પરિણામે, જુલાઈ 1975- જુલાઈ 1976 માં 'Satellite Instructional Television Testing' (SITE) ની રજૂઆત કરવામાં આવી. ડૉ વિક્રમ સરાભાઈએ વિજ્ઞાનના શિક્ષણમાં રસ દાખવ્યો તેના કારણે વર્ષ 1966 માં 'Community Science Center, અમદાવાદની સ્થાપના કરી જે આજે વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર નામે ઓળખાય છે.

Intro:Body:

Chandrayan-2, Know about the great Scientis Dr.Vikarm sarabhai



Chandrayan-2, ડૉ.વિક્રમ સારાભાઇ, Science, ISRO, Space



ચંદ્રયાન 2: એક ગુજરાતીનું નામ ચંદ્ર સુધી પહોંચશે, જુઓ અહેવાલ



કરોડો ભારતીયોની આશા સાથે ચંદ્રયાન-2 સોમવારે ચંદ્રની ઐતિહાસિક સફળે રવાના થઈ ગયું. ઇસરોએ બપોરે 2.43 વાગે શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી તેનું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. ચંદ્રયાન-2 ધરતી પરથી ચંદ્ર વચ્ચેનું 3.84 લાખ કિલોમીટરનું અંતર 48 દિવસમાં કાપશે. તેનું લેન્ડર 7 સપ્ટેમ્બરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. આ હિસ્સામાં હજુ સુધી કોઈ દેશ પહોંચ્યો નથી.



વિક્રમ લૈંડરનું નામ ઇસરોના પુર્વ અધ્યક્ષ સ્વર્ગીય ડૉ.વિક્રમ સારાભાઇના સન્માનમાં રાખવામાં આવ્યું છે. વિક્રમ સારાભાઇને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક માનવામાં આવે છે. વિક્રમ લૈંડરનું કુલ વજન 1,471 કિલોગ્રામ છે. ચંદ્રયાન-2ને ઓબિર્ટર, વિક્રમ લૈંડર અને પ્રજ્ઞાન રોવર સહિત ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. 



શું છે વિક્રમ લૈંડર



વિક્રમ લૈંડર એક એવુ મોડ્યુલ છે જે તેના કેટલાક પ્રયોગો હાથ ધરી ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવર લઈ જશે. એકવાર વિક્રમ લૈંડર નક્કી કરેલા સમય અનુસાર ચંદ્રની સપાટી પર લેન્ડ કરેશે, તો પ્રજ્ઞા રોવર આપમેળે ચંદ્રની સપાટી પર આવશે,   પ્રક્રિયાને રોલઆઉટ કહેવામાં આવે છે. તેમાં ઘણા ટૂલ્સ અને પેલોડ્સ પણ શામેલ છે જે સમગ્ર મિશન દરમિયાન નક્કી કરેલા સમય અનુસાર પ્રયોગો કરતો રહેશે.



આ લૈંડરનું નામ ઇસરોના પૂર્વ અધ્યક્ષ સ્વર્ગીય ડૉ.વિક્રમ સારાભાઇના સન્માનમાં  રાખવામાં આવ્યું છે. આ લૈંડર ચંદ્રની સપાટી પર પહોંચ્યા બાદ 14 દિવસ સુધી સંચાલીત કરવામાં આવશે. આ સમય દરમિયાન વિક્રમ લૈંડર બેંગ્લોર નજીક "બેંગ્લોરમાં ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક" (IDSN) સાથે સંપર્કમાં રહેશે. ઓર્બિટર અને રોવર દ્વારા સંચાર માટે પણ સમાન નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે. વિક્રમ લૈંડરનું કુલ વજન 1,471 કિગ્રા છે, જેમાં પ્રજ્ઞાન રોવર (27 કિગ્રા) નો સમાવેશ થાય છે. આ લેન્ડર આશરે 650 ડબ્લ્યુ પાવર પેદા કરવા માટે સક્ષમ છે.



ISROએ પોતે તૈયાર કર્યુ લૈંડર



આ વાત 2007ની છે, જ્યારે રુસમી ફેડરલ સ્પેસ એજંસી Roscosmos ને એક લૈંડર તૈયાર કરવા માટે કમીશન કરવામાં આવ્યું હતું. જો કે, આ લૈંડરની ડિલીવરી સ્થગિત કરવામાં આવી હતી, કારણ કે રુસ સમય મર્યાદાની અંદર લૈડંર બનાવવામાં સક્ષમ ન હતું. રુસની આ સ્પેસ એજન્સી મંગળ માટે ફોબોસ ગ્રંટ મિશનમાં રોસ્કોસ્મોસ વિફળ થયા બાદ 2015 સુધી ડિલીવરી આપવામાં અસમર્થ હતી. ત્યાર બાદ ઇસરો પાસે કોઇ બીજો વિકલ્પ ન હતો અને તેમણે પોતે જ લૈડંર તૈયાર કરવાનો નિર્ણય લીધો.



વિક્રમ લૈંડર ચંદ્રની સપાટી પર સ્મૂથલી લૈંડિંગ કરશે જેના કારણે બોર્ડ પરના કોઇ પણ ઉપકરણોને નુકસાન ન થાય. અંતરિક્ષની દુનિયામાં આવુ પહેલી વાર થશે કે કોઇ લૈંડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. આ લૈંડર પોતે નિશ્ચિત કરેલા સ્થાન પર લૈંડ કરીને પ્રજ્ઞાન રોવર બહાર કાઢશે જે ચંદ્ર પરની સ્થિતી વિશેની જાણકારી સ્પેસ સેંટરને આપશે. આ દરમિયાન ત્યાંથી સીધા ફોટો સ્પેસ સેન્ટર મોકલવામાં આવશે. વિક્રમ લૈંડર 6 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર પહોંચશે અને ત્યાર બાદ પ્રજ્ઞાન પોતાનું કામ શરુ કરશે.



ઇસરોના Space application center (SAC)એ ઘણા અત્યાધુનિક સેંસર વિકસીત કર્યા છે જેના કારણે વિક્રમ લૈંડરને સુરક્ષિત રીતે ચંદ્ર પર ઉતારવામાં આવે અને ચોક્કસ માહિતી મેળવી શકાય. આ સિવાય Orbiter high-resolution camera (OHRC), નું બેન્ડ અલ્ટીમીટર, Lander Position Detection Camera (LPDC) અને Lander Hazard Detection and Endurance Camera (LHDAC) પણ સામેલ છે.



ડૉ વિક્રમ સારાભાઇનો જીવન પરિચય



ભારતીય વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઇને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક માનવામાં આવે છે. વિક્રમ સારાભાઇના વૈજ્ઞાનિક યોગદાન માટે તેમને "શાંતિ સ્વરુપ ભટનાગર" મૈડલ, પદ્મ ભુષણ અને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. 



ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદ ગુજરાતમાં 12 ઓગસ્ટ 1919 ના રોજ થયો હતો. તેમના પિતા અંબાલાલ સારાભાઈ સમૃદ્ધ ઉદ્યોગપતિ અને માતા સરલા દેવી હતા. વિક્રમ સારાભાઈનું પ્રારંભિક શિક્ષણ તેમના 8 ભાઇ બહેનો સાથે માતા સરલા દેવી દ્વારા સ્થાપના કરાયેલી, "મૈડમ મારિયા મોન્ટેસરી"થી થઇ. તેમણે ખાનગી શાળામાંથી વિજ્ઞાન વિષય સાથે ઇન્ટરમિડીયટ પરીક્ષા પુરી કરી. વિક્રમ સારાભાઈએ અમદાવાદ કૉલેજ, ગુજરાતમાંથી મેટ્રિક પાસ કરીને અને વર્ષ 1937માં કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેન્ટ જ્હોન કોલેજ ગયા. જ્યાંથી 'વિક્રમ સારાભાઈ'એ 1940માં પ્રાકૃતિક વિજ્ઞાનમાં ટ્રાયપોઝ ડિગ્રી પ્રાપ્ત કરી.



બીજા વિશ્વયુદ્ધની શરૂઆતના કારણે, ડો. સારાભાઈ ઈંગ્લેન્ડથી ભારત આવ્યા અને નોબલ વિજેતા સર સી. વી. રામન સાથે ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગ્લોરમાં પાંચ વર્ષ માટે અંતરિક્ષ કિરણો (કોસ્મિક રે) પર સંશોધન કર્યું. વર્ષ 1942 માં વિક્રમ સારાભાઈએ શાસ્ત્રીય નૃત્યાંગના મૃણાલીની સારાભાઈ સાથે લગ્ન કર્યા. તેમને 2 બાળકો હતા, જેમનું નામ કાર્તિકેય સારાભાઈ અને મલ્લિકા સારાભાઈ હતું. મલ્લિકા સારાભાઈ ભારતના પ્રસિદ્ધ નૃત્યાંગના છે. વિક્રમ સારાભાઈ વર્ષ 1945 માં કેમ્બ્રિજમાં પાછા ફર્યા, અને વર્ષ 1947 માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી, તેમણે ઉષ્ણકટિબંધીય અક્ષાંશોમાં કોસ્મિક કિરણો પર સંશોધન કરવા માટે PHDની ઉપાધી પ્રાપ્ત કરી. વિક્રમ સારાભાઈએ કેટલાક સમય માટે કેવેન્ડિશ લેબોરેટરીમાં સંશોધન કર્યું હતું, ત્યારબાદ તેઓ ભારત પાછા ફર્યા હતા.



ડૉ વિક્રમ સારાભાઇના શોધ કાર્ય



વિક્રમ સારાભાઇનો પહેલો અનુસંધાન લેખ, "ટાઇમ ડિસ્ટ્રીબ્યૂશન ઓફ કોસ્મિક રેઝ" ભારતીય વિજ્ઞાન એકેડમી પત્રિકામાં પ્રકાશિત થયો હતો.



ભારતમાં વિક્રમ સારાભાઇએ ઇન્ટર-ગ્લોબલ સ્પેસ, જિયોમેગ્નેટિઝમ અને સૌર-ઇક્વેટોરિયલ કનેક્શન પર અધ્યયન કરીને 86 વૈજ્ઞાનિક શોધ પત્ર લખ્યા.



વિક્રમ સારાભાઈ એક Institution creator

28 વર્ષની વયે, વિક્રમ સારાભાઈએ 11 નવેમ્બર, 1947 ના રોજ 'ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી' (PRL), અમદાવાદની સ્થાપના કરી.



વર્ષ 1957-1958 'ઇન્ટરનેશનલ જીઓફિઝિક્સ યર' (IGW) તરીકે ઓળખાતું હતું. વર્ષ 1957માં સ્પુટનિક-1ના લોંચિગ વખતે ડો વિક્રમ સારાભાઇને અંતરિક્ષ વિજ્ઞાનના નવા પરિદ્રશ્યોથી પરિચીત કરાવવામાં આવ્યા. અંતરિક્ષ અનુસંધાન માટે ભારતીય રાષ્ટ્રીય સમિતિ (INCOSPAR)નું સારાભઆઇની અધ્યક્ષતામાં ગઠન કરવામાં આવ્યું.



ડૉ. વિક્રમ સારાભાઇએ તિરુવનંતપુરમના થુમ્બા ગામમાં દેશના પ્રથમ રોકેટ પ્રમોચન સ્ટેશન, Thumba Geo-Linear Rocket Launching Station (TERLS) ની સ્થાપના કરી. આ દરમિયાન તેમને તત્કાલીન પરમાણુ શક્તિ કમિશનના અધ્યક્ષ "હોમી જહાંગીર ભાભા"નો સહયોગ મળ્યો.



થુમ્બાથી 21 નવેમ્બર 1963થી "Sodium vapor charge" સાથે પ્રથમ રોકેટનું લોન્ચિંગ કરવામાં આવ્યું. વર્ષ 1965માં Thumba Geo-Linear Rocket Launching Station (TERLS) ને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના એક આંતરાષ્ટ્રીય સુવિધાના રુપમાં માન્યતા આપવામાં આવી.



હોમી જહાંગીર ભાભાના મૃત્યુ બાદ, મે 1966 માં વિક્રમ સારાભાઇ તત્કાલીન પરમાણુ શક્તિ કમિશનના અધ્યક્ષ બન્યા અને ભારતના અવકાશ કાર્યક્રમની શરૂઆત થઈ.



ડૉ વિક્રમ સારાભાઇના પુરસ્કાર

વર્ષ 1962 માં ડો વિક્રમ સરાભાઈને 'શાંતિ સ્વરુપ ભટનાગર' પદક આપવામાં આવ્યું. ભારત દ્વારા વર્ષ 1966 માં ડો વિક્રમ સરાભાઈને 'પદ્મ ભૂષણ અને વર્ષ 1972 માં તેમના મૃત્યુ પછી' પદ્મ વિભૂષણથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. 31 ડિસેમ્બર 1971 ના રોજ ડૉ વિક્રમ સરાભાઈ નિદ્રાઅવસ્થામાં મૃત્યુ પામ્યા.



વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપિત સંસ્થા



ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL), અમદાવાદ

ભારતીય સંસ્થા ઑફ મેનેજમેન્ટ (IIM), અમદાવાદ

કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, અમદાવાદ

દર્પણ અકાદમી માટે પરફોર્મિંગ આર્ટ્સ, અમદાવાદ (તેમની પત્ની સાથે મળીને)

વિક્રમ સરાભાઈ અવકાશ કેન્દ્ર, તિરુવનંતપુરમ

સ્પેસ ઍપ્લિકેશન્સ સેન્ટર, અમદાવાદ (આ વિક્રમ સરાભાઈ કે 6 કેન્દ્રો મળીને બનાવેલ છે)

ફાસ્ટર બ્રેડર ટેસ્ટ રિએક્ટર (FBTR), કલ્પકમ

વેરિયેબલ એનર્જી સાયક્લોટ્રોન પ્રોજેક્ટ, કોલકાતા

ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા લિમિટેડ (ECIL), હૈદરાબાદ

યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (UCIL), જાદુગુડા, બિહાર



15 ઑગસ્ટ 1969 માં 'Indian Space Research Organization' (ઇસરો) ની સ્થાપના ડૉ વિક્રમ સરાભાઈની સૌથી મોટી સફળતા હતી. ડૉ વિક્રમ સરાભાઈએ પોતાના કાર્યકાળમાં ભારત દેશના અવકાશ કાર્યક્રમની મહત્વતા પર ભાર મૂક્યો હતો. ભારતીય પરમાણુ વિજ્ઞાન કાર્યક્રમના જનક તરીકે ઓળખનારા 'ડો હોમી જહાંગીર ભાભા' એ ભારતમાં પ્રથમ રોકેટ લોંચિગ કેન્દ્રની સ્થાપનામાં ડૉ વિક્રમ સારાભાઈનો મહત્વનો ફાળો હતો. વર્ષ 1966માં NASA સાથે ડૉ. વિક્રમ સરાભાઈની વાતચીતના પરિણામે, જુલાઈ 1975- જુલાઈ 1976 માં 'Satellite Instructional Television Testing' (SITE) ની રજૂઆત કરવામાં આવી. ડૉ વિક્રમ સરાભાઈએ વિજ્ઞાનના શિક્ષણમાં રસ દાખવ્યો તેના કારણે વર્ષ 1966 માં 'Community Science Center, અમદાવાદની સ્થાપના કરી જે આજે વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર નામે ઓળખાય છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.